SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ . बावीसतिमं किरियापयं पावट्ठाणविरएसु जीवाईसु किरियाभेय परूवणं પ્રાણાતિપાતની વિરતિનો સંભવ ન હોય. પ્રાણાતિપાતની વિરતિના બે પદ છે-જીવ અને મનુષ્ય. તેમાં જેમ સામાન્ય જીવને આશ્રયી કહ્યું છે તેમ મનુષ્યને આશ્રયી કહેવું. એ પ્રમાણે સૂત્રકાર કહે છે–“પફવાવાય મપૂસ વિ” એમ પ્રાણાતિપાતની વિરતિવાળા મનુષ્યને પણ કહેવું. એમ માયામૃષાની વિરતિવાળા જીવ અને મનુષ્યને કહેવું. મિથ્યાદર્શન શલ્યની વિરતિવાળા જીવને આશ્રયી સૂત્ર— fમચ્છાદંસણ7વિજય ાં અંતે નીવર'–હે ભગવન્!મિથ્યાદર્શનશલ્યની વિરતિવાળા જીવને શું આરંભિકી ક્રિયા હોય કે માયાપ્રયિકી ક્રિયા હોય? ઇત્યાદિ. આરંભિકી કદાચ હોય અને કદાચ ન હોય. પ્રમત્તસંયત સુધી હોય અને બાકીના ને ન હોય એ ભાવાર્થ છે. પરિગ્રહિક ક્રિયા દેશવિરતિ સુધી હોય છે પછી હોતી નથી. માયાપ્રત્યયિકી ક્રિયા પણ અનિવૃતિ બાદરસપરાય સુધી હોય છે, પછી ન હોય, અપ્રત્યાખ્યાનક્રિયા પણ અવિરતિસમ્યગ્દષ્ટિ સુધી હોય પછી ન હોય તેથી એ ક્રિયાઓને આશ્રયી પણ સિય વનરૂ, સિય નો વન' કદાચ હોય અને કદાચ ન હોય-એમ કહેવું. તે પ્રમાણે સૂત્રકાર કહે છે–‘વં નાવ અપવરવારિયા'—એ પ્રમાણે યાવત્ અપ્રત્યાખ્યાન ક્રિયા સુધી જાણવું. મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાનો નિષેધ કરવો. કારણ કે તેનો મિથ્યાદર્શનની વિરતિવાળાને અસંભવ છે. ચોવીશ દંડકના વિચારમાં નૈરયિકથી આરંભી સ્વનિતકુમાર સુધીના જીવને ચાર ક્રિયાઓ કહેવી. અને મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયાનો નિષેધ કરવો.તિર્યંચ પંચિન્દ્રિયને આદિની ત્રણ ક્રિયાઓ અવશ્ય કહેવી. અને અપ્રત્યાખ્યાન ક્રિયા ભજનાએ (વિકલ્પ) જાણવી. તે દેશવિરતિને ન હોય, બાકીનાને હોય. મિથ્યાદર્શન ક્રિયાનો નિષેધ કરવો.મનુષ્યને સામાન્ય જીવની પેઠે કહેવું અને વ્યન્તરાદિને નૈરયિકની જેમ જાણવું. ll૧પપ૯૭ll एयासि णं भंते! आरंभियाणंजाव मिच्छादसणवत्तियाण य कतरे कतरेहितो अप्पा वा ४? गोयमा! सव्वत्थोवाओ मिच्छादसणवत्तियाओ किरियाओ, अपच्चक्खाणकिरियाओ विसेसाहियाओ, परिग्गहियाओ विसेसाहियाओ, आरंभियाओ किरियाओ विसेसाहियाओ, मायावत्तियाओ विसेसाहियाओ।।सू०-१६।।५९८।। . पण्णवणाए भगवईए बावीसइमं किरियापयं समत्तं ।। | (મૂળ) હે ભગવન્! એ આરંભિકી ક્રિયા, યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયાઓમાં કઈ ક્રિયા કોનાથી અલ્પ બહું, તુલ્ય કે | વિશેષાધિક હોય? હે ગૌતમ! સૌથી થોડી મિાદર્શનપ્રત્યયિકી ક્રિયા હોય છે. તેથી અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક છે, તેથી પરિગ્રહિક ક્રિયાઓ વિશેષાધિક છે, તેથી આરંભિકી ક્રિયાઓ વિશેષાધિક છે તેથી માયાપ્રત્યયિકી ક્રિયાઓ વિશેષાધિક છે. /૧૬//પ૯૮L પ્રજ્ઞાપના ભગવતીના અનુવાદમાં બાવીશમું ક્રિયાપદ સમાપ્ત. (ટી) હવે આજ આરંભિકી વગેરે ક્રિયાઓનું પરસ્પર અલ્પબહુવૈકહે છે “પતિ ને અંતે'-ભગવન્!એ આરંભિકી, યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયાઓમાં કોણ કોનાથી અલ્પ છે-ઇત્યાદિ સૌથી થોડી મિથ્યાદર્શન પ્રત્યય ક્રિયા છે, કારણ કેમિથ્યાદષ્ટિને જ હોય છે. તેથી અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક છે, કારણ કે તે અવિરતિસમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિને હોય છે. તેથી પણ પરિગ્રહિક ક્રિયા વિશેષાધિક છે, કારણ કે તે દેશવિરતિવાળા અને તેની પૂર્વનાને હોય છે. તેથી આરંભિકી ક્રિયા વિશેષાધિક છે, કારણ કે તે પ્રમત્તસંયત અને તેની પહેલાના જીવને હોય છે. તેથી પણ માયાપ્રત્યયિકી ક્રિયા વિશેષાધિક છે, કારણ કે અપ્રમત્ત સંયતને પણ હોય છે. ૧૬/૫૯૮ પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં બાવીશમ્ ક્રિયાપદ સમાપ્ત. • 194
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy