SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ बावीसतिमं किरियापयं पावद्वाणविरएसु जीवाईसु किरियाभेय परूवणं ર, पाणाइवायविरयस्स णं भंते! जीवस्स मायावत्तिया किरिया कज्जति ? गोयमा ! सिय कज्जति, सिय नो कज्जति । पाणातिपातविरयस्स णं भंते! जीवस्स अपच्चक्खाणवत्तिया किरिया कज्जति ? गोयमा ! णो इणट्टे समट्टे । मिच्छादंसणवत्तियाए पुच्छा । गोयमा ! णो इणट्ठे समट्टे । एवं पाणाइवायविरयस्स मणूसस्स वि, एवं जाव मायामोसविरयस्स जीवस्स मणूसस्स य । मिच्छादंसणसल्लविरयस्स णं भंते! जीवस्स किं आरंभिया किरिया कज्जति, जाव मिच्छादंसणवत्तिया किरिया कज्जति ? गोयमा ! मिच्छादंसणसल्लविरतस्स जीवस्स आरंभिया किरिया सिय कज्जति, सिय णो कज्जइ, एवं जाव अपच्चक्खाणकिरिया [सिय कज्जति सिय नो कज्जति ] | मिच्छादंसणवत्तिया किरिया णो कज्जइ । मिच्छादंसणसल्लविरयस्स णं भंते! णेरइयस्स किं आरंभिया किरिया कज्जति जाव मिच्छादंसणवत्तिया किरिया कज्जइ ? गोयमा ! आरंभिया वि किरिया कज्जति, जाव अपच्चक्खाणकिरिया वि कज्जइ, मिच्छादंसणवत्तिया किरिया नो कज्जइ । एव जाव थणियकुमारस्स | मिच्छादंसणसल्लविरयस्स णं भंते! पंचिंदियतिरिक्खजोणियस्स एवमेव पुच्छा। गोयमा ! आरंभिया किरिया कज्जइ जाव मायावत्तिया किरिया कज्जइ, अपच्चक्खाणकिरिया सिय कज्जइ, सिय णोकज्जइ, मिच्छादंसणवत्तिया किरिया णो कज्जति । मणूसस्स जहा जीवस्स । वाणामंतरजोइसियवेमाणियाणं जहा नेरइयस्स । सू० - १५ । । ५९७ ।। (મૂળ) હે ભગવન્! પ્રાણાતિપાતની વિરતિવાળા જીવને શું આરંભિકી ક્રિયા હોય? યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા હોય? હે ગૌતમ!પ્રાણાતિપાતની વિરતિવાળા જીવને કદાચ આરંભિકી ક્રિયા હોય અને કદાચ ન હોય. હે ભગવન્!પ્રાણાતિપાતની વિરતિવાળા જીવને પરિગ્રહિકી ક્રિયા હોય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! પ્રાણાતિપાતની વિરતિવાળા જીવને માયાપ્રત્યયિકી ક્રિયા હોય? હે ગૌતમ! કદાચ હોય અને કદાચ ન હોય. હે ભગવન્! પ્રાણાતિપાતની વિરતિવાળા જીવને અપ્રત્યાખ્યાન પ્રત્યયિકી ક્રિયા હોય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! પ્રાણાતિપાતની વિરતિવાળા જીવને મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા હોય એમ પૃચ્છા કરવી. હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એમ પ્રાણાતિપાતની વિરતિવાળા મનુષ્યને પણ જાણવું. એ પ્રમાણે યાવત્ માયામૃષાવાદની વિરતિવાળા જીવને અને મનુષ્યને સમજવું. હે ભગવન્! મિથ્યાદર્શનશલ્યની વિરતિવાળા જીવને શું આરંભિકી ક્રિયા હોય?યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા હોય? હે ગૌતમ! મિથ્યાદર્શનશલ્યની વિરતિવાલા જીવને આરંભિકી ક્રિયા કદાચ હોય અને ક્દાચ ન હોય. એ પ્રમાણે યાવત્ અપ્રત્યાખ્યાન ક્રિયા જાણવી. મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ન હોય. હે ભગવન્! મિથ્યાદર્શનશલ્યની વિરતિવાળા નૈરયિકને શું આરંભિકી ક્રિયા હોય? યાવત્–મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા હોય? હે ગૌતમ! આરંભિકી ક્રિયા હોય, યાવત્ અપ્રત્યાખ્યાન ક્રિયા પણ હોય. મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ન હોય. એમ યાવત્ સ્તનિતકુમારને જાણવું. હે ભગવન્! મિથ્યાદર્શનશલ્યનીવિરતિવાળા પંચેન્દ્રિય તિર્યંચને એમજ પૃચ્છા કરવી. હે ગૌતમ! આરંભિકી ક્રિયા હોય. માયાપ્રત્યયિકી ક્રિયા હોય. અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ન હોય. મનુષ્યને જીવની પેઠે જાણવું. વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકને નૈરયિકની જેમ કહેવું. /૧૫૪૫૯૭૪॥ (ટી૦) હવે આરંભિકી આદિ ક્રિયાઓમાં કઇ ક્રિયા પ્રાણાતિપાતની વિરુતિવાળાને હોય તેનો વિચાર કરે છે–‘પાળાવાયવિયસ્ક ખં મંતે!'હે ભગવન્! પ્રાણાતિપાતની વિરતિવાળા જીવને આરંભિકી ક્રિયા હોય કે યાવત્ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા હોય ઇત્યાદિ. આરંભિકી ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. પ્રમત્તસંયતને હોય અને બાકીનાને ન હોય. પરિગ્રહિકી ક્રિયા ન હોય, કારણ કે તેઓ પરિગ્રહથી સર્વથા નિવૃત્ત થયેલા છે. જો એમ ન હોય તો સમ્યક્ પ્રાણાતિપાતની વિરતિ ન ઘટે. માયા પ્રત્યયિકી કદાચ હોય અને કદાચ ન હોય. કારણ કે માયાપ્રત્યયિકી અપ્રમત્તને પણ કદાચિત્ પ્રવચનની મલિનતાનું રક્ષણ કરવા માટે હોય છે, બીજા કાળે ન હોય. અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા સર્વથા ન હોય. કારણ કે તે હોય તો ન 193
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy