SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ बावीसतिमं किरियापयं जीवाईसु आओजियकिरियापरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ अधिगरणिया किरिया कज्जति एवं तहेव जाव वेमाणियस्स। एवं एते जस्सजं समयं जं देसंजं पएसंणं चत्तारि દંડ હોંતિ તૂ૦-૮પા૫૬૦ (મૂ૦) હે ભગવન્!જે સમયે જીવને કાયિકી ક્રિયા હોય છે તે સમયે અધિકરણિકી ક્રિયા હોય? જે સમયે અધિકરણિકી ક્રિયા હોય તે સમયે કાયિકી કિયા હોય?—એ પ્રમાણે જેમ પ્રથમનો દંડક કહ્યો તેમજ આ દંડક યાવતુ-વૈમાનિક સુધી કહેવો. હે ભગવન્! જીવને જે અંશે કાયિકી ક્રિયા હોય તે અંગે અધિકરણિકી ક્રિયા હોય?-ઈત્યાદિ યાવતુ વૈમાનિકને તેમજ કહેવું. હે ભગવન્! જીવને જે પ્રદેશ કાયિકી કિયા હોય તે પ્રદેશ અધિકરણિકી ક્રિયા હોય?–ઇત્યાદિ તેમજ યાવતુ વૈમાનિકો સુધી જાણવું. એ પ્રમાણે ૧ જે જીવને, ૨ જે સમયે, ૩જે અંશે અને ૪ જે પ્રદેશે–એ ચાર દંડકો થાય છે. llcli૫૯oll || નવાગામોનિવરિયાવળ || कति णं भंते! आओजिताओ किरियाओ पण्णत्ताओ? गोयमा! पंच आओजिताओ किरियाओ पण्णत्ताओ, तं जहा–काइया जाव पाणाइवायकिरिया, एवं नेरइयाणं जाव वेमाणियाणं। जस्स णं भंते! जीवस्स काइया आओजिया किरिया अत्थि तस्स अधिकरणिया किरिया आओजिया किरिया अत्थि? जस्स आहिगरणिया आओजिया किरिया अस्थि तस्स काइया आओजिया किरिया अत्थि? एवं एतेणं अभिलावेणं ते चेव चत्तारि दंडगा भाणियव्वा, जस्स जं समयं जं देसंजं पदेसं जाव वेमाणियाणं ।।सू०-९।।५९१।। (મૂ9) હે ભગવન્! કેટલી આયોજિકા–સંસારની સાથે જોડનારી ક્રિયાઓ કહેલી છે?હે ગૌતમ! પાંચ આયોજિકા ક્રિયાઓ કહી છે. તે આ પ્રમાણે- કાયિકી, યાવતુ-પ્રાણાતિપાત ક્રિયા. એ પ્રમાણે નરયિકો, યાવત્ વૈમાનિકોને જાણવું. હે ભગવન્!જે જીવને કાયિકી આયોજિકા ક્રિયા હોય છે તેને અધિકરણિકી આયોજિકા ક્રિયા હોય? જેને અધિકરણિકી આયોજિકા ક્રિયા હોય છે તેને કાયિકી આયોજિકાકિયા હોય?એ પ્રમાણે આવા પ્રકારના પાઠવડે તે (પૂર્વોક્ત) જેને, જે સમયે, જે અંશે અને જે પ્રદેશે-એમ ચાર દંડકો યાવત્ વૈમાનિક સુધી કહેવા. ll ll૫૯૧// (ટી0) હવે કાળને આશ્રયી ઉપર કહ્યા પ્રમાણે બીજો દંડક કહે છે –“નં સમયે માં અંતે! નીવસ ફિયા શિરિયા ઝરુ સમયે દિકરાયા '–હે ભગવન્! જે સમયે જીવને કાયિકી ક્રિયા હોય છે તે સમયે અધિકરણિકી ક્રિયા હોય? ઇત્યાદિ બધું પૂર્વે કહેલું સૂત્ર તે પ્રમાણે વૈમાનિક સૂત્ર સુધી કહેવું. તે પ્રમાણે સૂત્રકાર કહે છે–પર્વ દેવ માફ7મો વંડો તહેવ માળિયત્રો નાવ માળિય' એ પ્રમાણે જેમ પ્રથમનો દંડક કહ્યો તેમજ યાવત્ વૈમાનિક સુધી કહેવું.અહીં સમયના ગ્રહણ કરવા વડે સામાન્ય કાળનું ગ્રહણ કરવું, પરન્તુ અત્યન્ત સૂક્ષ્મ પૂર્વે કહેલા સ્વરૂપવાળો નૈૠયિક સમય ગ્રહણ ન કરવો. કારણ કે પરિતાપ અથવા પ્રાણાતિપાત બાણાદિના ફેકવાથી થયેલા હોવાને લીધે તેનો કાયિકી ક્રિયાના પ્રથમ સમયેજ અસંભવ છે. આ બીજો દંડક છે. હવે ક્ષેત્રને આશ્રયી બે દંડકો કહે છ–‘વં સં ાં અંતે! નીવ'—જે દેશ-અંશને આશ્રયી જીવને કાયિકી ક્રિયા થાય છે તે દેશને આશ્રયી અધિકરણિકી ક્રિયા થાય? ઇત્યાદિ. અહીં પણ પૂર્વોક્ત સૂત્ર તે આ પ્રમાણેજ વૈમાનિક સૂત્ર પર્યન્ત કહેવું. તે પ્રમાણે સૂત્રકાર કહે છે–દેવ નાવ માળિય' તેમજ યાવતુ-વૈમાનિક સુધી કહેવું. આ ત્રીજો દંડક છે. ‘નં 1 નં અંતે! નીવર્સી ફિયા શિરિયા વન્ગર' જે પ્રદેશને આશ્રયી જીવને કાયિકી ક્રિયા હોય છે તે પ્રદેશને આશ્રયી અધિકરણિકી ક્રિયા હોય? ઇત્યાદિ ચોથો દંડક છે. અહીં પણ પૂર્વે કહેલા ક્રમ વડે જ્યાં સુધી વૈમાનિક સૂત્ર છે ત્યાં સુધી કહેવું. તે પ્રમાણે સૂત્રકાર કહે છે દેવ નાવ મળu' ઇતિ. એ પ્રમાણે તેમજ યાવત વૈમાનિક સુધી જાણવું. હવે દંડકની સંકલના બતાવે છે–‘તે ન નં સમય'ઇત્યાદિ. એ રીતે જેને, જે સમયે જે દેશને આશ્રયી, અને જે પ્રદેશને આશ્રયી–એમ ચાર દંડકો થાય છે. એ ક્રિયાઓ જેમ જ્ઞાનાવરણીયાદિ કર્મબન્ધનું કારણ છે તેમસંસારનું પણ કારણ છે, કારણ કે જ્ઞાનાવરણીયાદિ કર્મનો બન્ધ સંસારનું કારણ હોવાથી અને તે ક્રિયાઓ કર્મબન્ધના હેતુ હોવાથી ઉપચારથી તે ક્રિયાઓ પણ સંસારનું કારણ થાય છે. તે બાબત સૂત્રકાર કહે છ–“શરૂ 183
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy