SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ बावीसतिमं किरियापयं जीवाईसुएगत्तपुहत्तेहिं किरियापरूवणं હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળા પણ હોય, કદાચ ચાર ક્રિયાવાળા પણ હોય, કદાચિત્ પાંચ ક્રિયાવાળા પણ હોય અને કદાચિત્ ક્રિયારહિત પણ હોય. હે ભગવન્! જીવો નૈયિકોને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળા, કદાચ ચાર ક્રિયાવાળા અને કદાચ ક્રિયારહિત હોય. અસુરકુમારોને આશ્રયી પણ એમજ જાણવું. યાવત્ વૈમાનિકોને આશ્રયી એમજ સમજવું. જેમ જીવોને આશ્રયી કહ્યું તેમ ઔદારિકશરીરોને આશ્રયી કહેવું. હે ભગવન્! નૈરયિક જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો અને કદાચ પાંચ ક્રિયાવાળો હોય. હે ભગવન્! નૈરિયક નૈરિયકને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કદાચિત્ ત્રણ ક્રિયાવાળો અને કદાચ ચાર ક્રિયાવાળો હોય. એ પ્રમાણે યાવત્ વૈમાનિકોને આશ્રયી સમજવું. પરન્તુ નૈરયિકો, નૈરયિકોને અને દેવોને આશ્રયી પાંચમી પ્રાણાતિપાત ક્રિયા નથી. હે ભગવન્! નૈરયિકો જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળા, કદાચ ચાર ક્રિયાવાળા અને કદાચ પાંચ ક્રિયાવાળા પણ હોય. એ પ્રમાણે યાવત્ વૈમાનિકને આશ્રયી જાણવું. પરન્તુ નૈરયિક અને દેવને આશ્રયી પાંચમી પ્રાણાતિપાત ક્રિયા નથી. હે ભગવન્! નૈરયકો જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! ત્રણ ક્રિયાવાળા, ચાર ક્રિયાવાળા અને પાંચ ક્રિયાવાળા પણ હોય. હે ભગવન્!નૈયિકો નૈયિકોને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! ત્રણ ક્રિયાવાળા અને ચાર ક્રિયાવાળા હોય. એ પ્રમાણે યાવત્ વૈમાનિકોને આશ્રયી જાણવું. પરન્તુ. ઔદારિક શરીરને આશ્રયી જેમ જીવોને આશ્રયી કહ્યું તેમ કહેવું. હે ભગવન્! અસુરકુમાર જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! જેમ નૈયિકને ચાર દંડકો કહ્યા તેમ અસુરકુમારને યણ ચાર દંડકો કહેવા. એમ ઉપયોગ રાખીને વિચાર કરવો. જીવ અને મનુષ્ય ક્રિયારહિત કહેવાય છે. અને બાકીના ક્રિયારહિત કહેવાતા નથી. બધા જીવો ઔદારિક શરીરોને આશ્રયી પાંચક્રિયાવાળા હોય છે. અને નૈરયિકો અને દેવોને આશ્રયી પાંચ ક્રિયાવાળા નથી. એ પ્રમાણે એક એક જીવપદમાં ચાર ચાર દંડકો કહેવા. એ પ્રમાણે એ બધા જીવાદિ દંડકો મળી સો દંડકો થાય છે. ।।૬।।૫૮૮॥ (ટી0)‘ખીને ખં મંતે નીવાતો ઋતિવિ'િહે ભગવન્! જીવ જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? આ સૂત્રનો પૂર્વના સૂત્રની સાથે શો સંબંધ છે? ઉત્તર-અહીં કેવળ વર્તમાન ભવમાં રહેલા જીવને જ્ઞાનાવરણીયાદિ કર્મ બન્ધના ભેદના વિચારમાં કાયિકી વગેરે ક્રિયા રૂપ વિશેષણવાળો પ્રાણાતિપાતનો ભેદ કા૨ણ છે એટલે કર્મબન્ધની વિશેષતામાં પ્રાણાતિપાતની વિશેષતા કા૨ણ છે એમ ન સમજવું. પણ વિજી: આદિ ક્રિયારૂપ વિશેષણવાળો અતીત ભવનો શરીર સંબન્ધ પણ કારણ છે. તેથી આ અર્થનું પ્રતિપાદન કરવા માટે આ સૂત્ર છે. તેનો પૂર્વાચાર્યોએ બતાવેલો આ ભાવાર્થ છ— “આ સંસા૨ાટવીમાં પરિભ્રમણ કરતા સર્વ: જીવોએ તે તે સ્થાનોમાં શ૨ી૨ આયુધાદિ (અધિકરણો) છોડ્યા છે અને તે શસ્ત્રો વડે જ્યારે કોઇને સ્વયમેવ પીડા વગે૨ે થાય છે ત્યા૨ે ભવાન્તરમાં ગયેલા તેના માલીકને પણ તેનાથી નિવૃત્ત થયેલો નહિ હોવાથી ક્રિયાનો સંભવ છે, પણ તેનો ત્યાગ કરે તો ક્રિયાનો સંભવ નથી, કારણ કે તેથી નિવૃત્ત થયેલો છે. અહીં આ ઉદાહરણ છે— “વસંતપુર નગરમાં અજિતસેન રાજાની સેવા કરનારા બે ફુલપુત્રો છે. તેમા એક શ્રમણોપાસક શ્રાવક છે અને બીજો મિથ્યાર્દષ્ટિ છે. કોઈ દિવસે રાત્રીએ રાજાની સાથે એ બન્નેને બહા૨ જવાનુ થયું અને ઉતાવળથી ઘોડા ઉપર ચઢતાં તેઓના ખડ્ગો પડી ગયા. શ્રાવક કુલપૂત્રે તેની તપાસ કરી પણ મનુષ્યોનો કોલાહલ હોવાથી તે ખડ્ગ ન મલ્યું. બીજો કુલપૂત્ર હસ્યો, કે શું બીજું ખડ્ગ નહિ મળે? શ્રાવકે અધિકરણ સમજી વોસરાવ્યું. તે ખડ્ગને ગ્રહણ કરનારા બીજાઓનેં બંદીવાનોને પકડવામાં સાહસિક રાજપુરુષોએ પકડ્યા. બીજાઓએ (તેઓએ)રાજાના પ્રિય મનુષ્યને પકડ્યો અને તે નાસવા લાગ્યો એટલે એ ખડ્ગ દ્વારા મારી નાંખ્યો. ત્યાર પછી આરક્ષકો તેઓને પકડી રાજા પાસે લઇ ગયા અને વૃત્તાંત કહ્યો. રાજા ગુસ્સે થયો. તેણે પૂછયું–તમે કોના માણસો છો? તેઓએ કહ્યું ક—‘અમે અનાથ છીએ’ કાલે અમે કાર્પેટિકો–ભિક્ષુકો હતા. આ ખગો તમને ક્યાં મળ્યાં? એમ પૂછ્યું એટલે તેઓએ કહ્યું કે પડેલા હતાં. ત્યાર પછી રાજાએ ક્રોધ પૂર્વક કહ્યું કે જેની સાથે મારે વૈર નથી એવા મહાપ્રમાદી ફુલપુત્રોની તપાસ કરો કે આ ખડ્ગો કોનાં છે? તેથી તે રાજપુરુષોએ બારીક તપાસ કરીને રાજાને . 178
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy