SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ इगवीसमं सरीरपयं सरीर ओगाहणऽप्पबहुदारं श्री प्रज्ञापना सूत्र भाग २ અવગાહના પરસ્પર તુલ્ય અને ઔદારિકની જઘન્ય અવગાહનાથી વિશેષાધિક છે. કેવી રીતે છે? આ પ્રમાણે છે–‘મરણ સમુદ્ધાત યુક્ત પ્રાણીના પૂર્વના શરીરથી જે બહાર નીકળેલું તેજસ શ૨ી૨ છે તેની લંબાઇ, જાડાઇ અને વિસ્તાર વડે અવગાહનાનો વિચાર કરાય છે’–એમ પૂર્વે કહેલું છે. તેમાં જે પ્રદેશમાં ઉત્પન્ન થવાનો છે તે પણ ઔદારિક શરીરની અવગાહના જેટલો આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ પ્રદેશ તૈજસ શરીર અે વ્યાપ્ત છે અને જે વચ્ચેનો ભાગ ઘણોજ થોડો છે તે પણ તૈજસ શ૨ી૨ વડે વ્યાપ્ત છે. માટે ઔદારિક શરીરની જઘન્ય અવગાહનાથી વિશેષાધિક છે. તેથી પણ વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે, કારણ કે આંગળના અસંખ્યાતમા ભાગના અસંખ્યાતા ભેદો છે. તેથી આહા૨ક શરીરની જધન્ય અવગાહના અસંખ્યાતગુણી છે, કારણ કે કાંઇક ન્યૂન એક હાથ પ્રમાણ છે. ઉત્કૃષ્ટ અવગાહનાના વિચારમાં સૌથી થોડી આહારક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના છે, કારણ કે તે એક હાથ પ્રમાણ છે. તેથી પણ ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગુણી છે, કારણ કે તે કાંઇક અધિક હજાર યોજન પ્રમાણ છે. તેથી વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગુણી છે, કારણ કે તે કાંઇક અધિક લાખ યોજન પ્રમાણ છે. તેથી તૈજસ–કાર્યણની ઉત્કૃષ્ટ અવગાહના પરસ્પર તુલ્ય અને વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહનાથી અસંખ્યાતગુણી હોય છે, કારણ કે તે ચૌદ રાજલોક પ્રમાણ છે. જધન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાના વિચારમાં આહારક શરીરની જઘન્ય અવગાહના કરતાં તેનીજ ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક જાણવી. કારણ કે તે પણ અંશ વડે અધિક છે. બાકી બધું સુગમ છે, કારણ કે તેનો હમણાજ વિચાર કર્યો છે. ૧૪૫૮૨૫ પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં એકવીશમું અવગાહનાસંસ્થાન પદ સમાપ્ત. પુણ્ય અરિહંત ભગવંતની આજ્ઞાની આરાધના અચરમાર્વતકાળમાં પણ આત્મા કરે છે પણ એ આરાધના ભૌતિક ભૂખની ભુતાવળ દ્વારા ભવ ભ્રમણ વધારનારી બને છે. જેમ-જેમ આરાધના કરે અને બળથી ભૌતિક સામગ્રી મળે તેમ-તેમ તે આત્મા આસક્તિભાવ વધારીને ભવ ભ્રમણા વધારે દ અરિહંત ભગવંતની આજ્ઞાની આરાધના ચરમાર્વતકાળમાં જ ભૌતિક સુખ સામગ્રીઓની ભૂખને દૂર કરાવનારી બની શકે છે, એ પહેલાં નહીં. અરિહંત ભગવંતની આશાતના કરવાથી જ અરિહંતની આશાતના થાય છે એમ નથી. અરિહંત કથિત પંચપરમેષ્ટિપદમાં રહેલા એક પણ આત્માની આશાતના એ પણ અરિહંતની આશાતનામાં જાય છે. એ ભુલાવું ન જોઈએ. અરિહંત ભગવંતની આજ્ઞાનુસાર ચાલનાર એજ ચતુર્વિધ સંઘ ગણાય. એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર આત્મા ભૌતિકતાથી કેટલો પણ સમૃદ્ધ હોય, કોઈપણ પદનો ધારક હોય તો પણ એ સંઘ બહાર ગણાય. અને કદાચ એવા આત્માઓનું ટોળું હોય તો પણ એને સંઘ ન કહેવાય. એના માટે તો આગમોમાં ‘હાડકાનો માળો' શબ્દ વપરાયેલો છે. અરિહંતની આરાધના અર્થાત્ એમની આજ્ઞાની આરાધના. જે જે ક્રિયામાં એમની આજ્ઞાની અવહેલના થતી હોય તે આરાધનામાં આવે જ નહીં. - જયાનંદ - 169
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy