________________
इगवीसमं सरीरपयं कम्मगसरीरे विहि-संठाण-पमाणदाराई
श्री प्रज्ञापना सूत्र भाग २
હે ગૌતમ! પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે—એકેન્દ્રિય કામણશરીર,યાવત્ પંચેન્દ્રિય કામણ શરીર. એ પ્રમાણે જેમ તેજસ
શરીરનો ભેદ, સંસ્થાન અને અવગાહના કહી છે તેમ બધું યાવતુ અનુત્તરૌપપાતિક સુધી કહેવું. //holl૫૭૮ (ટી.) એ પ્રમાણે તૈજસસંસ્થાન કહ્યું, હવે તૈજસ શરીરની અવગાહનાનું પ્રમાણ કહેછ નીવસ ના અંતે!મારતિય સમુધાળ' ઈત્યાદિ. હે ભગવન્!તેમાં પ્રથમ નૈરયિક વગેરે મારણાન્તિકસમુઘાત વડેયુક્ત જીવોની વિવક્ષા કર્યા સિવાય સામાન્યતઃ સંસારી જીવના તેજસ શરીરની કે મહાલિયા” કેટલી મોટી શરીરવગાહના કહેલી છે? અહીં જીવને ઔદારિક શરીર પણ હોય છે માટે તેજસ શરીરની’ એ વિશેષણ આપવામાં આવ્યું છે. ભગવાન્ ઉત્તર આપે છવિષ્કસ્મ-ઉદરાદિનો વિસ્તાર, બાહલ્ય-છાતી અને પીઠના ભાગની સ્કૂલતા, જાડાઇ; તેમાં વિષ્કસ્મ-વિસ્તાર અને બાહલ્ય-જાડાઇમાં તેજસ શરીરની અવગાહના શરીર પ્રમાણ છે. આયામ-દીર્ઘતા, તે આયામ-લંબાઇમાં જઘન્યથી આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. આ તેજસ શરીરની અવગાહના તદન પાસેજ રહેલા એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા એકેન્દ્રિયની અપેક્ષાએ જાણવી. અને ઉત્કૃષ્ટ અવગાહના લોકાન્તથી આરંભી લોકાન્ત સુધી હોય છે. તાત્પર્ય એ છે કે અધોલોકના અન્તથી માંડી ઊર્ધ્વ લોકના અન્ન સુધી અને ઊર્વીલોકના અન્તથી માંડી અધોલોકના અન્ત સુધી જાણવી. આ અવગાહનાનું પ્રમાણ સૂક્ષ્મ કે બાદર એકેન્દ્રિયની અપેક્ષાએ સમજવું. બાકીના જીવની અપેક્ષાએ ન સમજવું, કારણ કે બીજાઓને સંભવ નથી. એકેન્દ્રિયો સૂક્ષ્મ કે બાદર યથાસંભવ બધા લોકમાં હોય છે, બીજા જીવો હોતા નથી, તેથી અધોલોકના અત્તે વર્તતો સુક્ષ્મ કે બાદર એકેન્દ્રિય ઊર્ધ્વલોકના અત્તે સુક્ષ્મપણે કે બાદ પણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય, અથવા ઊર્ધ્વલોકના અન્ને વર્તતો સૂક્ષ્મ કે બાદ એકેન્દ્રિય અપોલોકના અન્ને સૂક્ષ્મપણે કે બાદરપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય ત્યારે તેને મરણાન્તિકસમુદ્યાત કરતાં ઉપર કહ્યા પ્રમાણે તેજસ શરીરની અવગાહના હોય છે. એ કથન વડે પૃથિવી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના સૂત્રોનો પણ વિચાર કરવો. તે આ પ્રમાણ—અધોલોક કે ઊર્ધ્વલોકમાં વર્તતો સૂક્ષ્મ પૃથિવીકાયિક જ્યારે સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિ રૂપે કે બાદર વાયુકાયકરૂપે ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થવાનો હોય ત્યારે તેને મારશાન્તિક સમુદ્યાત કરતાં ઉત્કૃષ્ટ લોકાન્તથી આરંભી લોકાન્ત સુધી તૈજસ શરીરની અવગાહના હોય છે. એમ અપ્લાયિકાદિ સંબધે પણ જાણવું.
બેઇન્દ્રિય સત્રમાં આયામ-લંબાઈ વડે જઘન્યથી આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ તૈજસ શરીરની અવગાહના હોય છે. જ્યારે આગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ઔદારિકશરીરવાળો અપર્યાપ્ત બેઇન્દ્રિય પોતાની નજીકના પ્રદેશમાં એકેન્દ્રિયાદિ પણે ઉત્પન્ન થાય ત્યારે જાણવી. અથવા જે શરીરમાં રહી મરણસમુદ્દાત વડે તે શરીરથી બહાર નીકળેલ તેજસ શરીરની અવગાહનાનો આયામ અને વિષ્કસ્મ-વિસ્તાર વડે વિચાર કરાય છે. પણ શરીરસહિત તેજસ શરીરની અવગાહનાનો વિચાર કરાતો નથી. જો એમ ન હોય તો ભવનપતિ વગેરેની અવગાહનાજઘન્યથી અંગુલનાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ કહેવામાં આવશે તેની સાથે વિરોધ થશે. કારણ કે ભવનપતિ વગેરેનું શરીર સાત હાથ ઇત્યાદિ પ્રમાણવાળું હોય છે. તેથી મોટા શરીરવાળો પણ બેઇન્દ્રિય જ્યારે પોતાની નજીકના પ્રદેશમાં એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય ત્યારે પણ આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અવગાહના જાણવી. અને ઉત્કૃષ્ટતીરછા લોકથી આરંભી લોકાન્ત સુધીની હોય છે. તાત્પર્ય એ છે કે તીરછા લોકથી અધોલોકનો અત્ત કે ઊર્ધ્વલોકનો અન્ત જેટલો હોય છે તેટલા પ્રમાણવાળી અવગાહના હોય છે. કેવી રીતે એટલા પ્રમાણવાળી અવગાહના હોય? અહીં બેઇન્દ્રિયો એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે. અને એકેન્દ્રિયો તો સકલ લોકવ્યાપી હોય છે. તેથી જ્યારે તીરછા લોકમાં રહેલો બેઈન્દ્રિય ઊર્ધ્વલોકના અન્ત કે અધોલોકના અન્ને એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય ત્યારે તેને મારણાનિક સમુદ્રઘાત કરતાં ઉપર કહેલા પ્રમાણવાળી અવગાહના હોય છે. તીરછા લોકને ગ્રહણ કરવાનું કારણ એ છે કે પ્રાયઃ બેઇન્દ્રિયોનું તીરછોલોક સ્વસ્થાન છે, અન્યથા અધોલોકના એક ભાગમાં અધોલૌકિક પ્રામાદિને વિષે પણ તથા ઊર્વીલોકના એક ભાગમાં આવેલા પંડક વનાદિમાં પણ બેઈજિયનો સંભવ છે, માટે તેની અપેક્ષાએ તૈજસ શરીરની અવગાહના અધિક પણ સમજવી. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય સૂત્રોનો પણ વિચાર કરવો.
161