SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ इगवीसमं सरीरपयं आहारगसरीरे पमाणदारं છે તે માનસપર્યોય અથવા મન:પર્યાય કહેવાય છે. ‘જોષ્ટાવિબુદ્ધીí' અહીં આદિ શબ્દથી પદાનુસારી અને બીજબુદ્ધિનું ગ્રહણ કરવું. સિદ્ધાન્તમાં પરમ અતિશય રૂપ ત્રણ પ્રકારની બુદ્ધિ કહેલી છે. તે આ પ્રમાણ—૧ કોષ્ટબુદ્ધિ, ૨ પદાનુસારી બુદ્ધિ અને ૩ બીજ બુદ્ધિ. તેમાં કોષ્ટક–કોઠારમાં ધાન્ય તેની પેઠે જે બુદ્ધિ આચાર્યના મુખથી નીકળેલા સૂત્ર અને અર્થને તે જ રૂપમાં ધારણ કરે પણ તેમાંથી કાલાન્તરે પણ કાઇપણ વિસ્મૃત ન થાય તે કોષ્ટબુદ્ધિ. જે બુદ્ધિ એક પણ સૂત્રના પદને જાણી બાકીનું શ્રુત નહિ સાંભળવા છતા જે રીતે હોય તે રીતે જાણે તે પદાનુસારી બુદ્ધિ. જે તેવા પ્રકારના એક અર્થપદને અનુસરી બાકીનું નહિ સાંભળવા છતા યથાર્થપણે ઘણા અર્થને જાણે તે બીજબુદ્ધિ. સૌથી ઉત્તમ અને પરાકાષ્ટાએ પહોંચેલી તે બીજબુદ્ધિ પૂજ્ય ગણધરોને હોય છે. ગણધર ભગવંતો ‘૩પ્પન્ને રૂ વા, વિમે હૈં વા, ધ્રુવે રૂ વા' એ ઉત્પાદાદિ ત્રણ પદને સાંભળી સર્વે દ્વાદશાઙીરૂપ પ્રવચનની રચના કરે છે. તથા ‘ચારણ-વૈયિ-સર્વોષધિતાઘા:' ચારણ, વૈક્રિય અને સર્વોષધિતા વગેરે લબ્ધિઓ પણ અપ્રમત્ત સંયતને પ્રાપ્ત થાય છે. તેમાં ચરણ–ગમન શક્તિ જેઓને હોય તે ચારણ. અહીં મત્વર્થક ‘અન્' પ્રત્યય થયો છે. તેમાં ગમન તો બીજા મુનિઓને પણ હોય છે. તેથી વિશેષણ બીજી રીતે સાર્થક નહિં હોવાથી વિશિષ્ટ ગમન ગ્રહણ કરવું. તેથી અતિશય અર્થમાં મત્વર્થક ‘અન્’પ્રત્યય થયો છે. જેમકે રૂપવાળી કન્યા, જો કે રૂપ તો બધી કન્યાઓમાં હોય છે, પરન્તુ અહીં વિશિષ્ટ રૂપ ગ્રહણ કરવાનું છે એટલે વિશિષ્ટ રૂપવાળી કન્યા એ અર્થ છે. તેથી અહીં આ અર્થ થાય છ—અતિશય ચરણ–ગમન ક૨વામાં સમર્થ તે ચારણ. અહીં ભાષ્યકાર પોતાની કરેલી ભાષ્યની ટીકામાં કહે છે—‘અતિશયવરાત્ત્વારળા:, અતિશય ાનનાવિત્યર્થ: ।" અતિશય ગમનશક્તિ હોવાથી ચારણ કહેવાય છે. તે ચારણ બે પ્રકારના છે—જદ્યાચારણ અને વિદ્યાચારણ. તેમાં ચારિત્ર અને તપવિશેષના પ્રભાવથી જેઓને ગમન કરવાની લબ્ધિ વિશેષ ઉત્પન્ન થઇ છે તે જહ્વાચારણ. જેઓને વિદ્યાના સામર્થ્યથી ગમન કરવાની લબ્ધિ ઉત્પન્ન થઇ છે તે વિદ્યાચારણ. જÜાચારણ રુચકવર દ્વીપ સુધી જવાને સમર્થ છે અને વિદ્યાચારણ નન્દીશ્વર સુધી જવાને સમર્થ છે. તેમાં જÜાચારણ કોઇપણ સ્થળે જવાની ઇચ્છાવાળા હોય તો, તે સૂર્યકિરણોની નિશ્રા (અવલમ્બન) કરીને ત્યાં જાય છે અને વિદ્યાચારણ પણ એમ જ જાય છે. જÜાચારણ રુચકવર દ્વીપે જતા એક ઉત્પાત વડે જાય છે અને ત્યાંથી પાછા આવતા એક ઉત્પાત વડે નન્દીશ્વર દ્વીપે આવે છે અને બીજા ઉત્પાત વડે પોતાના સ્થાને આવે છે. જો મેરુ પર્વતના શિખર ઉપર જવાની ઇચ્છાવાળા હોય તો તેઓ પહેલા ઉત્પાતવડે ત્યાં રહેલા પંડક વન ઉ૫૨ જાય છે, અને ત્યાંથી પાછા આવતા પ્રથમ ઉત્પાતવડે નન્દનવનમાં આવે છે અને બીજા ઉત્પાતવડે સ્વસ્થાને આવે છે. ચારિત્રાતિશયના પ્રભાવથી જÜાચારણ થાય છે, તેથી લબ્ધિનો ઉપયોગ ક૨વાનું ઔત્સુક્ય થવાવડ પ્રમાદનો સંભવ હોવાથી ચારિત્રના અતિશયહેતુક લબ્ધિ ક્ષીણ થાય છે તેથી પાછા વળતા બે ઉત્પાત વડે સ્વસ્થાને આવે છે. વિદ્યાચારણ તો પ્રથમ ઉત્પાતવડે માનુષોત્તર પર્વતે જાય છે અને બીજા ઉત્પાતવડે નન્દીશ્વર દ્વીપે જાય છે અને ત્યાંથી પાછા વળતા એક ઉત્પાતવડે સ્વસ્થાને આવે છે. તથા તે ઉપર જતા પ્રથમ ઉત્પાતવડે નન્દનવન જાય છે અને બીજા ઉત્પાતવડે પંડક વનમાં જાય છે. ત્યાંથી પાછા વળતાં એક ઉત્પાતવડે સ્વસ્થાને આવે છે. વિદ્યાચરણ વિદ્યાના સામર્થ્યથી થાય છે. અને પરિશીલન– અભ્યાસ કરાતી વિદ્યા સ્ફુટ અને વધારે સ્ફુટ થતી જાય છે તેથી પાછા વળતા વધારે શક્તિનો સંભવ હોવાથી એક ઉત્પાતવડે સ્વસ્થાને આવે છે. કહ્યું છે ક— "अइसयचरणसमत्था जङ्घाविज्जाहि चारणा मुणओ । जङ्घाइ जाइ पढमो नीसं काउं रविकरे वि ॥ एगुप्पाएण गओ रुयगवरम्मि उ तओ पडिनियत्तो । बिइएणं नंदिस्सरमिहं तओ एइ इणं ॥ पढमेण पंडगवणं बिइउप्पएण नंदणं एइ । तइउप्पाएण तओ इह जङ्घाचारणो एइ || पढमेण माणुसोत्तरनगं स नन्दिस्सरं तु बिइएण । एइ तओ तइएणं कयचेइयवंदणो इहई || पढमेणं नंदणवणे बिअउप्पारण पंडगवणम्मि । एइ इहं तइएणं जो विज्जाचारणो होइ ॥ ', જલ્લા અને વિદ્યાવડે અતિશય ગમનના સામર્થ્યવાળા ચારણ મુનિઓ હોય છે. પ્રથમ જÜાચારણ જથ્થા વડે સૂર્યના કિરણોનું 156
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy