SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ इगवीसमं सरीरपयं वेउब्वियसरीरे पमाणदारं અને ત્રણ આંગળ, આઠમા પ્રતટમાં ચાર ધનુષ,ત્રણ હાથ અને સાડા અિ ૧, આઠમા પ્રસ્તટમાં ચાર ધનુષ, ત્રણ હાથ અને સાડા અગિયાર આંગળ, નવમા પ્રસ્તટમાં પાંચ ધનુષ, એક હાથ અને વીસ આંગળ, દસમા પ્રસ્તટમાં છ ધનુષ અને સાડા ચાર આંગળ, અગિયારમાં પ્રસ્તટમાં છ ધનુષ, બે હાથ અને તેર આંગળ, બારમાં પ્રસ્તટમાં સાત ધનુષ અને સાડી એકવીસ આંગળ અને તેરમા પ્રસ્તટમાં સાત ધનુષ, ત્રણ હાથ અને પુરા છ આંગળ હોય છે. અહીં આ તાત્પર્યાર્થ છે–પહેલા પ્રસ્તટમાં જે શરીરાવગાહનાનું પ્રમાણ ત્રણ હાથ કહ્યું છે, તેમાં તેના ઉપર ઉપર પ્રતરના અતિક્રમથી સાડી છપ્પન આગળ નાંખવામાં આવે એટલે પ્રસ્તોમાં પૂર્વે કહેલું શરીરાવગાહનાનું પરિમાણ થાય છે. એ સંબધે કહ્યું છે કે - "रयणाए पढमपयरे हत्थतियं देहउस्सओ भणिओ । छप्पनंगुल सड्ढा पयरे हवइ वुड्ढी" । રત્નપ્રભાના પ્રથમ પ્રતરમાં ત્રણ હાથપ્રમાણ શરીરની ઉંચાઈ છે અને તે પછી પ્રત પ્રતરે સાડી છપ્પન આગળની વૃદ્ધિ થાય છે, 'તત્વ [ સા સત્તરવેત્રિય' ઇત્યાદિ. તેમાં જે ઉત્તર વૈક્રિય છે તે જઘન્યથી અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ છે, કારણ કે ઉત્તરવૈક્રિયના પ્રથમ સમયે પણ તેની અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ જ હોય છે, પણ અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોતી નથી. સંગ્રહણીના મૂલ ટીકાકાર આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે– "उत्तरवैक्रिया तु तथाविधप्रयत्नभावादाद्यसमयेऽप्यनुलसंख्येभागमात्रैव,उत्कर्षतः पञ्चदश धनूंषि अर्धतृतीया हस्ताः"। ઉત્તર વૈક્રિય શરીરવગાહના તેના પ્રકારના પ્રયત્નથી પ્રથમ સમયે પણ અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને અઢી હાથ હોય છે. આ ઉત્તરવૈક્રિય શરીરની અવગાહનાનું પરિમાણ તેરમાં પ્રતરમાં જાણવું. બાકીના પ્રતિરોમાં પૂર્વ કહેલા ભવધારણીય શરીરના પ્રમાણની અપેક્ષાએ બમણું જાણવું. શર્કરા પ્રભામાં ભવધારણીય શરીર ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને અઢી હાથ છે. આ ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહનાપરિમાણ અગિયારમે પ્રતરે જાણવું બાકીના પ્રતરોમાં આ પ્રમાણે છે—શર્કરા પ્રજાના પહેલા પ્રતરે સાત ધનુષ, ત્રણ હાથ અને છ આંગળ, બીજા પ્રતરમાં આઠ ધનુષ, બે હાથ અને નવ આંગળ; ત્રીજા પ્રતરમાં નવ ધનુષ, એક હાથ અને બાર આંગળ, ચોથા પ્રતરમાં દશ ધનુષ અને પંદર આંગળ, પાંચમા પ્રતરમાં દસ ધનુષ, ત્રણ હાથ અને અઢાર આંગળ, છઠ્ઠા પ્રતરમાં અગિયાર ધનુષ, બે હાથે અને એકવીશ આંગળ, સાતમાં પ્રતરમાં બાર ધનુષ અને બે હાથ, આઠમાં પ્રતરમાં તેર ધનુષ, એક હાથ અને ત્રણ આંગળ, નવમાં પ્રતરમાં ચૌદ ધનુષ અને છ આંગળ, દસમાં પ્રતરમાં ચૌદ ધનુષ, ત્રણ હાથ અને નવ આંગળ અને અગિયારમાં પ્રતરમાં મૂળ સૂત્રમાં કહેલું (પંદર ધનુષ, બે હાથ અને બાર આંગળ) પરિમાણ જાણવું. અહીં પણ આ તાત્પર્ય છે–પ્રથમ પ્રતરમાં જે પરિમાણ કહ્યું છે તેના ઉપર ઉપરના ખતરનાક્રમથી ત્રણ હાથ અને ત્રણ આંગળા નાખવા. તેથી પ્રતિરોમાં પૂર્વે કહેલું પરિમાણ થાય છે. કહ્યુ છે કે- ' सो चेव बीयाए पढमे पयरम्मि होइ उस्सेहो । हत्थत्तिय तिन्नि अंगुल पयरे पयरे य वुड्ढीए ॥ एक्कारसमे पयरे पण्णरस धणूणि दोण्णि रयणिओ । बारस अंगुलाई देहपमाणं तु विन्नेयं ॥ આ બે ગાથાનો અક્ષરાર્થ આ છે—જે પ્રથમ પૃથિવીના તેરમા પ્રતરને વિષે ઉત્કૃષ્ટથી ઉંચાઈ સાત ધનુષ, ત્રણ હાથ અને છ અંગુલ કહી છે તે બીજી શર્કરાપભાના પ્રથમ પ્રતરને વિશે જાણવી. તે પછી પ્રતરે પ્રતેરે ત્રણ હાથ અને ત્રણ અંગુલની વૃદ્ધિ કરવી, તેથી અગિયારમાં પ્રતરમાં ઉત્કૃષ્ટથી ભવધારણીય શરીરનું પરિણામ પંદર ધનુષ, બે હાથ અને બાર આંગળનું આવે છે. હવે ઉત્કૃષ્ટથી ઉત્તર વૈક્રિયનું પરિમાણ કહે છે–એકત્રીશ ધનુષ અને એક હાથ પ્રમાણ છે. આ અગિયારમાં પ્રતરને વિશે જાણવું. બાકીના પ્રતિરોમાં પોતપોતાના ભવધારણીય શરીરપ્રમાણની અપેક્ષાએ બમણું બમણું જાણવું. ત્રીજી વાલુકાપ્રભા પૃથિવીમાં ઉત્કૃષ્ટથી ભવધારણીય અવગાહના એકત્રીશ ધનુષ અને એક હાથ છે. એ નવમાં પ્રતરને આશ્રયી કહેલું સમજવું, બાકીના પ્રતરોમાં આ પ્રમાણે છે–પ્રથમ પ્રતરમાં ભવધારણીય અવગાહના પંદર ધનુષ, બે હાથ અને બાર અંગુલ, બીજા પ્રતરમાં સત્તર ધનુષ, બે હાથ અને સાડાસાત અંગુલ, ત્રીજા પ્રતરમાં ઓગણીશ ધનુષ બે હાથ અને ત્રણ અંગુલ, ચોથા પ્રતરમાં એકવીશ ધનુષ, એક હાથ અને સાડી બાવીશ અંગુલ, પાંચમાં પ્રતરમાં તેવીશ ધનુષ, એક હાથ અને અઢાર આંગળ, છઠ્ઠા પ્રતરમાં પચીશ ધનુષ, એક હાથ અને . 148
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy