SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ इगवीसमं सरीरपयं ओरालियसरीरसंठाणदारं શરીર સંબંધે જાણવું. એ પ્રમાણે ઔધિક–સામાન્ય તિર્યંચોના નવ આલાપકો થાય છે. હે ભગવન્! જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે? હે ગૌતમ! છ પ્રકારના સંસ્થાનવાળું છે. તે આ પ્રમાણે– સમચતુરસસંસ્થાનવાળું યાવત્ હુંડ સંસ્થાનવાળું. એ પ્રમાણે પર્યાપ્તા અને અપર્યાપ્તાનું શરીર જાણવું. સંમૂર્છિમ જલચરો હુંડસંસ્થાનવાળા છે. એઓના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમજ સમજવા. ગર્ભજ જલચરો છ પ્રકારના સંસ્થાનવાળા છે. એ પ્રમાણે પર્યાપ્તા અને અપર્યાપ્તાને પણ જાણવું. એમ સ્થલચરોના પણ નવ સૂત્રો જાણવા. ચતુષ્પદ સ્થલચરોના, ઉરપરિ—સર્પ સ્થલચરોના અને ભુજપરિર્પ સ્થલચરોના પણ નવ નવ સૂત્રો જાણવા. એ રીતે ખેચરના પણ નવ સૂત્રો જાણવાં. પરન્તુ બધે સંમૂમિો હૂંડસંસ્થાનવાળા કહેવા. અને બીજા ગર્ભજ છ એ સંસ્થાનોમાં હોય છે. એટલે તેઓને છ સંસ્થાનો હોય છે. મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું હોય છે ? હે ગૌતમ! છ પ્રકારના સંસ્થાનવાળું હોય છે. તે આ પ્રમાણે–સમચતુરસ સંસ્થાનવાળું યાવત્ હુંડસંસ્થાનવાળું. પર્યાપ્તા અને અપર્યાપ્તાના શરીર પણ એમજ જાણવાં. ગર્ભજના તથા ગર્ભજ પર્યાપ્તા અને અપર્યાપ્તાના એમજ સમજવાં. સંમૂર્ચ્છિમ મનુષ્યો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેઓ હુંડસંસ્થાનવાળા હોય છે. ૩૫૭૧ (ટી૦) એમ ઔદારિક શરીરના ભેદો કહ્યા, હવે એ શરીરભેદોના અનુક્રમે સંસ્થાનો કહે છે–‘ઓરાપ્તિય સરીરે ાં મંતે' ! ઇત્યાદિ. ઔદારિક શરીર અનેક પ્રકારના સંસ્થાનવાળું છે, કારણ કે જીવની જાતિના ભેદથી સંસ્થાનનો ભેદ થાય છે. એકેન્દ્રિય ઔદારિક શરીરને વિષે અનેક પ્રકારના સંસ્થાન હોય છે, કારણ કે પૃથિવ્યાદિ પ્રત્યેકના જુદા જુદા સંસ્થાન છે. તેમાં સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા પૃથિવીકાયિકના ઔદારિક શરીરના સંસ્થાનો મસૂરના ચંદ્રની-ચંદ્રાકાર અર્ધ ભાગની આકૃતિ જેવાં છે. સૂક્ષ્માદિ ભેદથી ચાર પ્રકારના અષ્ઠાયિક જીવોના ઔદારિક શરીરો સ્તિબુકબિંદુના-૫૨૫ોટાની આકૃતિ જેવા છે. સ્તિબુકની આકૃતિ જેવો બિન્દુ, પણ પવન વગેરેથી ચારે તરફ ફેલાયેલો નહિ, તેનું જે સંસ્થાન–આકાર તેના જેવી આકૃતિવાળાં છે. સૂક્ષ્માદિ ભેદથી ચાર પ્રકારવાળા તૈજસકાયિક જીવોના ઔદારિક શરીરો સોયના જથ્થાની આકૃતિ જેવાં છે. સૂક્ષ્માદિ ભેદથી ચાર ભેદવાળા વાયુકાયિકોના ઔદારિક શરીરો પતાકા-ધ્વજાની આકૃતિ જેવાં છે. સૂક્ષ્મ બાદ૨, પર્યાપ્તા અને અપર્યાપ્તા દરેક વનસ્પતિકાયિકોના ઔદારિક શરીરો અનેક પ્રકારની આકૃતિવાળાં છે. કારણ કે દેશ, કાળ અને જાતિના ભેદથી તેઓના સંસ્થાનો અનેક પ્રકારનાં છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય પ્રત્યેકના ઔદારિક શરીરો હુંડસંસ્થાનવાળાં હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયના શરી૨ સામાન્ય રીતે છ પ્રકારના સંસ્થાનવાળા છે. તેજ બતાવે છે-‘સમન્નડરસાળમંqિ' ઇત્યાદિ. સમચતુરસ .સંસ્થાનવાળું, યાવત્ શબ્દથી 'નોહરિમંડલમંડાળમંÇિ'-ન્યગ્રોધપરિમંડલસંસ્થાનવાળું, સાસંદાળમં–િસાદિસંસ્થાનવાળું, વામળસંતાળતિ, વામનસંસ્થાનવાળું, વુન્ગસંતાળમંતિ–કુબ્જસંસ્થાનવાળું, હુંડસંતાળમં–િકુંડ સંસ્થાનવાળું હોય છે, તેમાં સમ–સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા પ્રમાણ અને લક્ષણ યુક્ત ચતુર્–ચાર-અસિ–ચાર બાજુના શરીરના અવયવો જેના છે તે સમચતુરસ અહીં સમાસાન્ત ‘અ’ પ્રત્યય થવાથી સમચતુરસ થાય છે. ન્યગ્રોધ–વડની પેઠે પરિમંડલ-આકાર જેનો છે તે ન્યગ્રોધપરિમંડલ. જેમ વડ ઉપરના ભાગમાં (શાખા, પ્રશાખા, પાંદડા વગેરેથી) સંપૂર્ણ પ્રમાણવાળો છે અને નીચે થડનો ભાગ હીન પ્રમાણવાળો છે તેમ જે સંસ્થાન નાભિની ઉપરના ભાગમાં સંપૂર્ણ પ્રમાણવાળું હોય અને નીચે તેવા પ્રકારનું ન હોય તે ન્યગ્રોધપરિમંડલ, આદિ સહિત તે આદિ–ઉત્સેધ નામે નાભિની નીચેના શરીરનો ભાગ, એટલે જેમાં નાભિની નીચેનો ભાગ શાસ્ત્રોક્ત પ્રમાણ અને લક્ષણયુક્ત હોય તે સાદિ સંસ્થાન. યદ્યપિ સર્વ શરીરો આદિ—નાભિની નીચેના ભાગ–સહિતજ હોય છે તેથી સાદિ વિશેષણ બીજી રીતે સાર્થક થતું નહિ હોવાથી વિશિષ્ટ પ્રમાણ અને લક્ષણ સહિત આદિ ભાગ ગ્રહણ કરવો. માટે યથોક્ત હોય પ્રમાણ અને લક્ષણવાળા આદિ ભાગ સહિત એમ કહ્યું છે. તાત્પર્ય એ છે કે જે સંસ્થાન નાભિની નીચેના ભાગમાં પ્રમાણ અને લક્ષણયુક્ત હોય અને ઉપરના ભાગમાં પ્રમાણ અને લક્ષણહીન હોય તે સાદિ. બીજા આચાર્યો સાદિને બદલે ‘સાચી’ એવો પાઠ કહે છે. તેમા પ્રવચનને જાણનાર સાચી–શાલ્મલી–શેમળાના ઝાડને કહે છે. જેમ શેમળાના ઝાડના સ્કન્ધ-થડ અને કાંડ પુષ્ટ હોય છે. અને ઉપર તેને યોગ્ય વિશાલતા હોતી નથી, તેમ આ સંસ્થાનનો પણ નીચેનો ભાગ પરિપૂર્ણ હોય છે અને ઉપરનો 136
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy