SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ वीसइमं अंतकिरियापयं वीसइमंपयस्स पंचमं तित्थगरदारं णं पुच्छा। गोयमा! णो इणटेसमटे, अंतकिरियं पुण करेजा। बेइंदिय-तेइंदिय-चउरिदिए णं पुच्छा। गोयमा! नो इण्डे समढे, मणपज्जवनाणं पुण उप्पाडेज्जा। पंचिंदियतिरिक्खजोणियमणूस-वाणमंतर-जोइसिए णं पुच्छा। गोयमा! णो इणटेसमटे, अंतकिरियं पुण करेज्जा। सोहम्मगदेवेणं भंते! अणंतरंचयं चइत्ता तित्थगरत्तं लभेज्जा? गोयमा! अत्थेगतिए लभेज्जा, अत्थेगतिए नो लभेज्जा, एवं जहा रयणप्पभापुढविनेरइए, एवं जावसव्वट्ठसिद्धगदेवे Iટૂ-TIધ૬ધl/ (૧૦) હે ભગવન્! રત્નપ્રભા પૃથિવીનો નરયિક રત્નપ્રભા પૃથિવીના નરયિકોથી નીકળી પછીના ભવમાં તીર્થંકરપણું પામે? હે ગૌતમ! કોઈ પાસે અને કોઈ ન પામે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે કોઇ પામે અને કોઈ ન પામે? હે ગૌતમ! જે રત્નપ્રભા પૃથિવીના નૈરયિકે તીર્થકર નામ ગોત્ર કર્મ બાંધ્યું છે, નિધત્ત કર્યું છે, કૃત-નિકાચિત કર્યું છે, પ્રસ્થાપિત કર્યું છે, નિવિષ્ટ, અભિનિવિષ્ટ, અભિસમન્વાગત-ઉદયાભિમુખ અને ઉદયમાં આણેલું છે, પણ ઉપશાન્ત કર્યું નથી તે રત્નપ્રભા પૃથિવીનો નૈરયિક રત્નપ્રભાપૃથિવીના નૈરયિકોથી નીકળી પછીના ભવમાં તીર્થંકરપણું પામે છે. જે રત્નપ્રભા પૃથિવીના નૈરયિકે તીર્થકર નામગોત્ર કર્મ બાંધ્યું નથી, યાવત્ ઉદયમાં આણેલું નથી, ઉપશાન્ત થયેલું છે, તે રત્નપ્રભા પૃથિવીનો નરયિક રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોથી નીકળી પછીના ભવમાં તીર્થંકરપણું પામતો નથી. તે માટે હે ગૌતમ! એમ કહું છું કે કોઈ તીર્થંકરપણું પામે અને કોઈ ન પામે. એ પ્રમાણે શર્કરાપ્રભાથી યાવત્ વાલુકાપ્રભાના નૈરયિકોથી નીકળી તીર્થકરપણું પામે. પંકપ્રભા પૃથિવીથી નીકળી પછીના ભવમાં તીર્થકરપણું પામે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, પણ અત્તક્રિયા કરે. ધૂમપ્રભા પૃથિવી સંબંધે પૃચ્છા. એટલે ત્યાંથી નીકળી તીર્થંકરપણું પામે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, પરંતુ તે સર્વવિરતિ પ્રાપ્ત કરે. તમઃ પ્રભા પૃથિવી સંબંધે પૃચ્છા. હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, પરંતુ ત્યાંથી નીકળી દેશવિરતિ પ્રાપ્ત કરે. અધઃસપ્તમપૃથિવી-સંબંધે પૃચ્છા. હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, પરન્તુ ત્યાંથી નીકળેલો સમ્યક્ત પ્રાપ્ત કરે. અસુરકુમાર સંબંધે પૃચ્છા. હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પણ અન્તક્રિયા કરે. એ પ્રમાણે નિરન્તર યાવત્ અષ્કાયિક સુધી જાણવું. હે ભગવન્! તેજસ્કાયિક તેજસ્કાયિકોથી નીકળી પછીના ભવમાં તીર્થંકરપણું પામે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પણ કેવલજ્ઞાનીએ કહેલા ધર્મનું શ્રવણ કરે. એ પ્રમાણે વાયુકાયિક સંબંધે જાણવું. વનસ્પતિકાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, પણ અન્તક્રિયા કરે. બેઇન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય સંબંધે પૃચ્છા. હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પણ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન કરે. પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વ્યત્તર અને જ્યોતિષિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, પણ અન્તક્રિયા કરે. હે ભગવન્! સૌધર્મ દેવ ઍવી પછીના ભવમાં તીર્થંકરપણું પામે? હે ગૌતમ! કોઈ પાસે અને કોઇ ન પામે. એ પ્રમાણે જેમ રત્નપ્રભા નરયિક સંબંધે કહ્યું તેમ સર્વાર્થસિદ્ધ દેવ સુધી કહેવું. l/૧૦પ૬પી/ (ટી૦) હવે તીર્થંકરપણાના વક્તવ્યરૂપ એટલે “ક્યાંથી નીકળી તીર્થંકરપણું પામે એ સંબધે પાંચમું દ્વાર કહે છેરથMUબાપુઠવીને મંતે'! ઇત્યાદિ સૂત્ર સુગમ છે. પરંતુ જેણે તીર્થંકર નામ ગોત્ર કર્મ ‘વનિ' સૂતર વડે સોયના સમુદાયની પેઠે પ્રથમ માત્ર બાંધેલાં હોય, ત્યારબાદ અગ્નિમાં તપાવ્યા પછી ઘણ વડે ટીપેલા સોયના જથ્થાની પેઠે 'કૃષ્ટનિ' સ્પેશ્ય હોય, નિદત્તાનિ' નિધત્તરૂપે કર્યા હોય-એટલે ઉદ્વર્તના અને અપવર્તના સિવાય બાકીના કરણને અયોગ્ય કર્યા હોય, ‘તાનિ' નિકાચિત-સર્વ કરણને અયોગ્ય કર્યા હોય, ‘પ્રસ્થાપિતાનિ'–મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રાસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીર્તિ નામ કર્મની સાથે ઉદયરૂપે વ્યવસ્થિત કર્યો હોય, ‘નિવિષ્ટાન'–તીવ્ર રસના ઉત્પાદકપણે કરેલાં હોય–તીવ્ર વિપાકને આપવાવાળાં કર્યો હોય, ‘ વિઝાનિ'–વિશુદ્ધ, વિશુદ્ધતર અધ્યવસાય થવાથી અતિ તીવ્ર રસના ઉત્પાદકપણે કરેલાં હોય-અતિ તીવ્ર વિપાકને આપનારાં કર્યા હોય, ‘મસમવા'તાનિ'–ઉદયાભિમુખ કરેલાં હોય, ‘ીનિ' • 122
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy