SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ अट्ठारसमं कायठिइपयं अत्थाहिगारपरूवणं छट्टं वेयदारं श्री प्रज्ञापना सूत्र भांग २ કારણ કે ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિમાં વેદોદયનો વિચ્છેદ થાય છે. જે ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરી ત્યાં વેદના ઉદય રહિત થઇને પુનઃ ઉપશમશ્રેણિથી પડતો વેદના ઉદયવાળો થાય છે તે સાદિ સાન્ત. તે જધન્યથી અન્તર્મુહૂર્ત સુધી હોય છે. તે આ પ્રમાણે—અહીં જ્યારે કોઇ પણ ઉપશમશ્રેણિને પ્રાપ્ત કરી ત્રણે પ્રકારના વેદને ઉપશમાવી વેદોદયરહિત થઇને પુનઃ શ્રેણિથી પડતો સવેદપણું પ્રાપ્ત કરી જલદી ઉપશમશ્રેણિ અને કાર્યગ્રન્થિક આચાર્યના અભિપ્રાયથી ક્ષપકશ્રેણિ પ્રાપ્ત થાય અને પ્રાપ્ત થઇ અન્તર્મુહૂર્તમાં ત્રણે વેદનો ઉપશમ કરે કે ક્ષય કરે ત્યારે જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી વેદસહિત હોય છે. અને ઉત્કૃષ્ટથી અપાર્ધકંઇક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત કાળ સુધી હોય છે. કારણ કે ઉપશમશ્રેણિથી પડેલો વધારેમાં વધારે એટલા કાળ સુધી સંસારમાં રખડે છે. માટે ઉત્કૃષ્ટથી સાદિ સાન્ત સવેદીને ઉપર કહેલા કાળનું પ્રમાણ ઘટે છે. સ્ત્રી વેદના વિષયમાં પાંચ આદેશો છે. તે અનુક્રમે જણાવે છે—‘ìળ આવેસેળ' ઇત્યાદિ. તેમાં બધે જઘન્યથી સમય માત્રનો વિચાર આ પ્રમાણે છે–કોઇક સ્ત્રી ઉપશમશ્રેણિમાં ત્રણ વેદનો ઉપશમ કરી વેદરહિત થઇને તે શ્રેણિથી પડતી સ્ત્રીવેદનો ઉદય એક સમય અનુભવી બીજે સમયે કાળ કરી દેવોમાં ઉત્પન્ન થાય. ત્યાં તેને પુરુષપણું પ્રાપ્ત થાય, પણ સ્ત્રીપણું ન હોય, તેથી એ પ્રમાણે જઘન્યથી સમયમાત્ર સ્ત્રીવેદ હોય છે. ઉત્કૃષ્ટના વિચારમાં પ્રથમાદેશની ભાવના આ પ્રમાણે છે–કોઇ જીવ પૂર્વકોટી આયુષ્યવાળી મનુષ્ય સ્ત્રી કે તિર્યંચ સ્ત્રીમાં પાંચ છ ભવો અનુભવી ઈશાન કલ્પમાં પંચાવન પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી અપરિગૃહીતા દેવીપણે ઉત્પન્ન થાય અને પોતાના આયુષ્યનો ક્ષય થવાથી ત્યાંથી મરણ પામી ફરીથી પૂર્વકોટી આયુષ્યવાળી મનુષ્ય સ્ત્રીમાં કે તિર્યંચ સ્ત્રીમાં સ્ત્રીપણે ઉત્પન્ન થાય, ફરીથી બીજીવાર ઈશાન દેવલોકમાં પંચાવન પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળી અપરિગૃહીતા દેવીમાં દેવીપણે ઉત્પન્ન થાય, ત્યાર પછી સ્રીવેદ સિવાય બીજો વેદ પામે. એ પ્રમાણે પૂર્વકોટી પૃથક્ક્સ અધિક એકસો દસ પલ્યોપમ થાય. અહીં અન્ય શંકા કરે છે કે “જો દેવકુરુ, ઉત્તરકુરુ વગેરેમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળી સ્ત્રીઓમાં સ્ત્રીપણે ઉત્પન્ન થાય તો સ્ત્રી વેદની તેથી અધિક સ્થિતિ પણ સંભવે તો એટલી જ સ્થિતિ કેમ કહી?' (0)—તે અયુક્ત છે, કારણ કે અભિપ્રાયનું જ્ઞાન નથી, તે આ પ્રમાણે—દેવીથી ચ્યવીને અસંખ્યાત વરસના આયુષ્યવાળી સ્ત્રીમાં ઉત્પન્ન થતી નથી. કારણ કે દેવયોનિથી ચ્યવેલાને અસંખ્યાત વરસના આયુષ્યવાળામાં ઉત્પત્તિનો નિષેધ કરેલો છે. વળી અસંખ્યાત વરસની આયુષ્યવાળી સ્ત્રી ઉત્કૃષ્ટ સ્થિતિવાળી દેવીઓમાં ઉત્પન્ન થતી નથી. જેથી મૂળ ટીકાકારે કહ્યું છે કે ‘નત્તો અસંવેન્ગવાસાડયા ક્રોસર્ફિન પાવંતિ'' ઇતિ—જે હેતુથી અસંખ્યાત વરસના આયુષ્યવાળી સ્ત્રી દેવોમાં ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરતી નથી. માટે ઉપર કહેલી જ ઉત્કૃષ્ટ સ્થિતિ સ્ત્રીવેદની હોય છે. બીજા આદેશવાદી આ પ્રમાણે કહે છે—પૂર્વકોટીના આયુષ્યવાળી મનુષ્યસ્રી કે તિર્યંચસ્ત્રીમાં પાંચ છ ભવો કરીને પૂર્વે કહ્યા પ્રમાણે ઈશાન દેવલોકમાં બે વાર ઉત્કૃષ્ટ સ્થિતિવાળી દેવીમાં ઉત્પન્ન થતી અવશ્ય પરિગૃહીતા દેવીઓમાં જ ઉત્પન્ન થાય, પણ અપરિગૃહીતા દેવીઓમાં ઉત્પન્ન ન થાય, તેથી તેના મતે સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વકોટી પૃથક્ત્વ અધિક અઢાર પલ્યોપમની હોય. ત્રીજા આદેશવાદી આ પ્રમાણે કહે છે—સૌધર્મ દેવલોકમાં સાત પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળી પરિગૃહીતા દેવીમાં બે વાર ઉત્પન્ન થાય તેથી તેના મતે પૂર્વકોટી પૃથક્ક્સ અધિક ચૌદ પલ્યોપમની સ્ત્રીવેદની સ્થિતિ હોય છે. ચોથા આદેશવાદીના મતે– સૌધર્મ દેવલોકમાં પચાસ પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળી અપરિગૃહીતા દેવીમાં પણ પૂર્વે કહ્યા પ્રમાણે બે વાર દેવીપણે ઉત્પન્ન થાય તેથી તેના મતે પૂર્વકોટીપૃથક્ક્સ અધિક સો પલ્યોપમની સ્થિતિ થાય છે. પાંચમા આદેશવાદી આ પ્રમાણે કહે છે– –અનેક ભવમાં ભ્રમણ કરવા વડે સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિનો વિચાર કરીએ તો પૂર્વકોટી પૃથક્ત્વ અધિક પલ્યોપમપૃથક્ત્વની સ્થિતિ હોય, પણ અધિક ન હોય, તે આ પ્રમાણે-પૂર્વકોટી વર્ષના આયુષ્યવાળી માનુષી કે તિર્યંચ સ્ત્રીમાં સાત ભવો કરીને આઠમા ભવે દેવકુરુ વગેરેમાં ત્રણ પલ્યોપમવાળી સ્ત્રીમાં સ્ત્રીપણે ઉત્પન્ન થાય, ત્યાંથી મરીને સૌધર્મ દેવલોકમાં જઘન્ય ૧. ઉપશમશ્રેણિમાં કે ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી વેદના ઉદયનો વિચ્છેદ થાય છે. . . 97
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy