________________
प्रथम पद संठाण पन्नवणा
श्री प्रज्ञापना सूत्र भाग १ ૧૨ યુગ્મપ્રદેશ-ઘનચતુર -- આઠ પરમાણુઓથી ઉત્પન્ન થયેલું અને આઠ આકાશ પ્રદેશોમાં રહેલું છે. તે આ પ્રમાણેચાર પ્રદેશના પૂર્વોક્ત પ્રતરના ઉપર બીજા ચાર પરમાણુઓ મૂકવા. ૧૩ ઓજ:પ્રદેશ-શ્રેણ્યાયત -- ત્રણ પરમાણુવાળું અને ત્રણ આકાશ પ્રદેશમાં રહેલું છે. તેમાં તીરછા નિરન્તર ત્રણ પરમાણુઓ
સ્થાપવા. સ્થાપના – ૦િ૦૦] ૧૪ યુગ્મપ્રદેશ-શ્રેણ્યાયત -- બે પરમાણુવાળું અને બે આકાશ પ્રદેશમાં રહેલું છે. તે આ પ્રમાણે-(તીરછા) બે પરમાણુઓ મૂકવા. સ્થાપના - [D] ૧૫ ઓજ:પ્રદેશ-પ્રતરાયત -- પંદર પરમાણુઓ વડે બનેલું અને પંદર આકાશ પ્રદેશમાં રહેલું હોય છે. તેના પાંચ પ્રદેશની ત્રણ પંક્તિઓ તીરછી સ્થાપન કરવી. સ્થાપના – ઉ9999ો ૧૬ યુગ્મપ્રદેશ-પ્રતરાયત -- છ પરમાણુઓનું બનેલું અને છ આકાશ પ્રદેશમાં રહેલું છે. તેમાં ત્રણ ત્રણ પ્રદેશની બે પંક્તિ
સ્થાપવી. સ્થાપના – 8િ88] ૧૭ ઓજ:પ્રદેશ-ઘનાયત –પીસ્તાલીશ પરમાણુઓથી ઉત્પન્ન થયેલું અને તેટલા જ આકાશ પ્રદેશમાં રહેલું છે. તેમાં પૂર્વે કહેલા પંદર પ્રદેશના પ્રતરાયતની નીચે અને ઉપર તેમજ પંદર પંદર પરમાણુઓ મૂકવા. ૧૮ યુગ્મપ્રદેશ-ઘનાયત –બાર પરમાણુઓનું બનેલું અને બાર આકાશ પ્રદેશમાં રહેલું છે. તેમાં પૂર્વે કહેલા છ પ્રદેશના પ્રતરાયતના ઉપર તેવીજ રીતે તેટલા પરમાણુઓ મૂકવા. ૧૯ પ્રતરપરિમંડલ -- વીશ પરમાણુઓનું બનેલું અને વિશ આકાશ પ્રદેશમાં રહેલું છે. તે આ પ્રમાણે-પૂર્વદિ ચાર દિશાઓમાં પ્રત્યેક દિશાએ ચાર ચાર પરમાણુઓ સ્થાપવા અને વિદિશાઓમાં પ્રત્યેક વિદિશાએ એક એક પરમાણુ મૂકવો.
સ્થાપના - 2
૨૦ ઘનપરિમંડલ – ચાળીશ પરમાણુઓનું બનેલું અને ચાળીશ આકાશ પ્રદેશોમાં રહેલું છે. તેમાં તેજ વીશ પરમાણુઓની ઉપર બીજા વીશ પરમાણુઓ મૂકવા. ( આ પ્રમાણે એ સંસ્થાનોની પ્રરૂપણા કરી છે. કારણ કે જો એથી પણ ન્યૂન પ્રદેશો હોય તો ઉપર કહેલા સંસ્થાનો થતાં નથી. એ અર્થનો સંગ્રહ કરનારી આ ઉત્તરાધ્યયન નિયુક્તિની ગાથાઓ છે –
"परिमंडले य वट्टे तंसे चउरंस आयए चेव। घण-पयर पढमवज्जं ओजपएसे य जुम्मे य॥ पंचग-बारसगं खलु सत्तग-बत्तीसगं च वट्टम्मि। तिग-छक्क-पणगतीसा चत्तारि य होंति तंसंमि।। नव चेव तहा चउरो सत्तावीसा य अट्ठ चउरंसे। तिग-युग-पन्नरसेव य छच्चेव य आयए होंति।। पणयाला बारसगं तह चेव य आययंमि संठाणे। वीसा चत्तालीसा परिमंडलए य संठाणे"॥
અર્થ : પરિમંડલ, વૃત્ત, વ્યસ (ત્રિકોણ), ચતુરસ (ચતુષ્કોણ), અને આયત–એ પાંચ સંસ્થાન છે. તેના ઘન અને પ્રતર બે ભેદ છે. તેમાં પ્રથમ પરિમંડલ સિવાયના પ્રત્યેકના ઓજ:પ્રદેશજનિત-એકી સંખ્યાવાળા પ્રદેશોથી ઉત્પન્ન થયેલ અને યુગ્મપ્રદેશજનિત-બેકી સંખ્યાવાળા પ્રદેશોથી ઉત્પન્ન થયેલ–એવા બે ભેદ છે. વૃત્ત સંસ્થાનને વિશે પાંચ, બાર, સાત અને બત્રીસ પ્રદેશો છે. વ્યસ સંસ્થાનમાં ત્રણ, છ, પાંત્રીશ અને ચાર પ્રદેશો છે. ચતુરસ સંસ્થાનમાં નવ, ચાર, સત્યાવીશ અને આઠ પ્રદેશ છે. આયત સંસ્થાનમાં ત્રણ, બે, પંદર અને છ તથા પીસતાળીશ અને બાર પ્રદેશો પણ છે. વીશ અને ચાળીશ પ્રદેશો ૧. જુઓ આ. સ. ઉત્તરાવ ગાથા ૩૮-૪૧ ૫. ૨૮-૧; ૨. આયત સંસ્થાનના શ્રેણ્યાયત, પ્રતરાયત અને ઘનાયત-એ ત્રણ ભેદ થાય છે. અને તે પ્રત્યેકના ઓજ:પ્રદેશજનિત અને યુગ્મપ્રદેશજનિત એવા બે ભેદ થાય છે. બધા મળી આવત-સંસ્થાનના છ ભેદ થાય છે.
15