________________
श्री प्रज्ञापना सूत्र भाग १
પ્રજ્ઞાપનાસૂત્ર ટીકા અને ટીકાકાર
પ્રસ્તુત પ્રજ્ઞાપનાસૂત્રમાં કેટલાંક એવાં સ્થાન પણ છે, જ્યાં અમે ટીકાકારની વ્યાખ્યાથી વિરુદ્ધ જઈને પ્રાચીન–પ્રાચીનતમ પ્રતિઓનો સૂત્રપાઠ સંગત માનીને તેને મૂળ વાચનામાં સ્વીકાર્યો છે. આવાં સ્થાનોનો નિર્ણય કરતાં અમને એમ જણાયું છે કે કાં તો ટીકાની રચના કર્યા પછી ગ્રંથકારે સમગ્ર ટીકાગ્રંથને શોધ્યો નથી અથવા શોધ્યો છે તો તે શોધેલા ટીકાગ્રંથના કુળનો આજે કોઈ આદર્શ ઉપલબ્ધ નથી.
ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિજીની પ્રતિભા અને જીવનસરણીની પ્રસંગોપાત્ત અતિસંક્ષિપ્ત રૂપરેખા જણાવીએ છીએ : પુણ્યનામધેય મહર્ષિ મલયગિરિજીએ જૈન આગમ આદિ સાહિત્ય ઉપર અનેક મહાકાય વ્યાખ્યાગ્રંથો રચ્યા છે એટલું જ નહિ તેમનો દેહવિલય પણ વ્યાખ્યાગ્રંથ રચતાં રચતાં જ થયો છે. એ હકીકત તેમની અધૂરી રહેલી રચનાઓ દ્વારા સ્પષ્ટ જ છે. આવા અંતકાળ સુધી અવિરત અને અપ્રમત્ત રહીને જૈન આગમ આદિ સાહિત્યના વાચકો, ચિંતકો અને શ્રોતાજનો ઉપર અસાધારણ ઉપકાર કરનાર આ મહાપુરુષના ચરણારવિંદમાં આગમ આદિ વિષયના અભ્યાસીઓનું તો શું સમગ્ર વિશ્વના વિદ્યાપ્રેમી કોઈ પણ વિદ્વાનનું મસ્તક નમી જાય તે તદ્દન સ્વાભાવિક છે. “શ્રુતજ્ઞાનની ભક્તિ માટે મેં શક્ય શ્રમ કર્યો છે અને તેમાં જે કાંઈ ઊણપ રહી હોય કે અનવધાન થયું હોય તેનું પરિમાર્જન સુયોગ્ય શ્રુતોપાસક વાચક કરશે જ.’’ આવી અપેક્ષાથી પ્રેરાઈને ખુદ આચાર્ય શ્રી મલયગિરિજીએ, પોતે રચેલા ગ્રંથોને ફરીથી સાદ્યંત જોવા કરતાં, અન્યાન્ય જટિલ સૂત્રગ્રંથોની વ્યાખ્યાઓ રચવામાં પોતાની સર્વ શક્તિ અને સમય ખપાવ્યાં હોય, એવું અનુમાન કરીએ તો તે અનુચિત નહીં કહેવાય. અને જો આ અનુમાન સાચું હોય તો કોઈ પણ અભ્યાસીને આ પૂજ્યશ્રીના અજુગતું નથી; પણ આવી એકાદ સામાન્ય ક્ષતિ જોઈને, પોતાના અલ્પ જ્ઞાનના આવેશમાં, જો અનેક મહાકાય ગ્રંથોની દેણગી આપનાર આવા ઉપકારી વ્યાખ્યાકારો પ્રત્યે અવિવેક બતાવવામાં આવે તો તેને કોઈ પણ વિજ્ઞ વિચારક બાલિશતા જ કહેશે.
અસ્તુ.
પ્રસ્તુત પ્રજ્ઞાપના સૂત્રનું સંપાદન કરતાં અમે બે સ્થળોમાં ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિજીની વ્યાખ્યાથી વિરુદ્ધ સમગ્ર સૂત્રપ્રતિઓએ આપેલા સૂત્રપાઠ પ્રમાણે મૂળ વાચનાનો પાઠ સ્વીકાર્યો છે. આ બે સ્થળ પૈકીના ૧૪૨૦ [૪] ક્રમાંકવાળા સૂત્રના સંબંધમાં અદ્યાવધિ પ્રકાશિત થયેલી પ્રજ્ઞાપના સૂત્રની આવૃત્તિઓમાં ટીકાકારની વ્યાખ્યાથી ભિન્ન સમગ્ર સૂત્રપ્રતિઓએ આપેલો પાઠ જ મૂળ વાચનામાં લેવાયો છે. પ્રસ્તુત બે સ્થાન આ પ્રમાણે છે :
૧. સૂત્રાંક ૯૯૯ [૧]માં (પૃ. ૨૪૬) ગોયમા! નો અવાયં પેતિ' આ સૂત્રપાઠ સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે. ટબાકારો૧ પણ આ સૂત્રપાઠ પ્રમાણે જ અર્થ કરે છે. (જુઓ પૃ. ૨૪૬, ટિ. ૨). અહીં આચાર્ય શ્રી મલયગિરિજી નોયના ! અદ્દાયં પેતિ આવા સૂત્રપાઠ પ્રમાણે વ્યાખ્યા કરે છે. બધીય સૂત્રપ્રતિઓ ઉપરનો પાઠ આપે છે તેથી અને તે જ પાઠ અમને સુસંગત લાગવાથી ટીકાકારની વ્યાખ્યાની વિરુદ્ધ જઈને પણ અમે પોયમા! નો અવાયં પેહતિ પાઠને મૌલિક પાઠ રૂપે સ્વીકાર્યો છે. વિશેષ સ્પષ્ટીકરણ માટે જુઓ પૂ. ૨૪૬, ટિ.૨. રાય શ્રી ધનપતિબાબુની તથા શ્રી અમોલકૠષિજીની આવૃત્તિમાં અહીં અમે સ્વીકાર્યો છે તેવો જ પાઠ છે. તેથી આ બે પ્રકાશનોમાં આધારરૂપે લેવાયેલી પ્રજ્ઞાપનાસૂત્રની હસ્તલિખિત પ્રતિઓમાં પણ અમને મળેલી પ્રતિઓના જેવો જ પાઠ હોવો જોઈએ તે સ્પષ્ટ થાય છે; જ્યારે આગમોદય સમિતિની આવૃત્તિમાં અહીં ટીકાકારની વ્યાખ્ય પ્રમાણે નો પદ સિવાયનો સૂત્રપાઠછે. પં. શ્રી ભગવાનદાસજીની, શિલાગમની અને સુTમે ની આવૃત્તિમાં આ સ્થાનમાં સમિતિના પાઠનું જ અનુકરણ થયું છે.
૨. સૂત્રાંક ૧૪૨૦ [૪]નો પાઠ સમગ્ર હસ્તલિખિત પ્રતિઓમાં અને અઘાવધિ પ્રકાશિત થયેલી આવૃત્તિઓમાં આ
પ્રમાણે છે :
जेणं भंते! केवलं बोहिं बुज्झेज्जा से णं सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा ? गोयमा ! सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा । (પૃ. ૩૨૧)
1. પં. શ્રી જીવવિજયજી તથા પં. શ્રી ધનવિમલજી 2. આ પાઠ ભેદ ૧૫મા પદમાં અદ્દાવાવારસત્તાં માં છે. 3. વીસમાં પદમાં સત્ત્રદૃાર માં છે. આ સૂત્રાંક મ.વિ. પ્રકાશિત પન્નવણા સૂત્રના છે.
70