________________
श्री प्रज्ञापना सूत्र भाग १
पन्नरसं इंदियपयं पढमो उद्देसो अलोंगंदारं
, ".
| મનોવાંવારં I. अलोए-णं भंते! किंणा' फुडे,कतिहिं वा कारहिं पुच्छा। गोयमा। नो धम्मत्थिकारणंफुडे, जाव नो आगासत्थिकारणं फुडे, आगासत्थिकायस्स देसेणं फुडे, आगासत्थि कायस्स पदेसेहिं फुडे, नो पुढविकाइएणं फुडे, जाव नो अद्धासमएणं फुडे। एगे अजीवदव्वदेसे अगुरुलहुए अणंतेहिं अगुरुलहुयगुणेहिं संजुत्ते सव्वायासे अणंतभागूणे Iટૂ૦-રરાજા
पन्नवणाए भगवईए पन्नरसस्स इंदियपयस्स पढमो उद्देसो समत्तो। (મૂ૦) હે ભગવન્! લોક કોનાથી સ્પર્શ કરાયેલો છે? કેટલા કાય વડે સ્પર્શ કરાયેલો છે? ઈત્યાદિ આકાશથિગ્ગલની જેમ
જાણવું. હે ભગવન્! અલોક કોનાથી સ્પર્શ કરાયેલો છે? કેટલા કાય વડે સ્પર્શ કરાયેલો છે? ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! ધમસ્તિકાયથી સ્પર્શ કરાયેલો નથી, યાવતું આકાશાસ્તિકાયથી સ્પર્શ કરાયેલો નથી, આકાશાસ્તિકાયના દેશથી સ્પર્શ કરાયેલો નથી. પથિવીકાયથી સ્પર્શ કરાયેલો નથી, યાવતું અદ્ધાસમયથી સ્પર્શ કરાયેલો નથી. તે એક અજીવદ્રવ્યનો દેશ-ભાગ છે, અનન્ત અગુરુલઘુ ગુણો વડે સંયુક્ત છે અને સર્વ આકાશથી અનત્તમ ભાગ ન્યૂન છે. //ર ૨/૪૪૬/l
પ્રજ્ઞાપના ભગવતીમાં પંદરમા ઈન્દ્રિયપદનો પ્રથમ ઉદેશક સમાપ્ત. (ટી૦) પૂર્વે આકાશથિગ્નલ શબ્દ વડે લોકસંબધે પ્રશ્ન કર્યો હતો, હવે લોકશબ્દ વડે જ લોક સંબધે પ્રશ્ન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે– તોળે બં! વિના –હે ભગવન્! લોક કોનાથી સ્પર્શ કરાયેલો છે-ઇત્યાદિ સૂત્ર પાઠસિદ્ધ છે. અલોકસૂત્ર પણ પાઠસિદ્ધ છે, પરન્તુ અલક એ એક અજીવદ્રવ્યનો દેશ છે–એટલે આકાશાસ્તિકાયનો દેશ છે. પણ સંપૂર્ણ આકાશાસ્તિકાય નથી, કારણ કે તે લોકાકાશ વડે હીન છે. આજ કારણથી તે અગુરુલઘુરૂપ છે. કારણ કે અમૂર્ત છે. અનન્ત અગુરુલઘુગુણો વડે સંયુક્ત છે, કારણ કે દરેક પ્રદેશે સ્વ અને પર ભેદવડે ભિન્ન અનન્ત અગુરુલઘુપર્યાયો હોય છે. અલોકનું કેટલું પ્રમાણ છે? એ માટે સૂત્રકાર કહે છે–અનન્તભાગ ન્યૂન સર્વ આકાશરૂપ છે–એટલે લોકાકાશના ખંડરહિત સર્વ આકાશપ્રમાણ છે.
શ્રીમદાચાર્ય મલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં પંદરમા ઇન્દ્રિયપદનો પ્રથમ ઉદેશક સમાપ્ત.
૨. વિપI (. વિ.)
અરિહંત કોઈને દુર્ગતિમાં જતા બચાવતા નથી છતાં એમને તારક કહેવાય છે. એનું કારણ છે કે એમનું આલંબન લેનારો અને એમના કથનાનુસાર ચાલનારો દુર્ગતિમાં જતો નથી. જેમ નાકા ડુબતાં માણસને બચાવતી નથી પણ એ નૌકાનું આલંબન લે એ અવશ્ય કિનારા પર આવી જાય. સમુદ્રમાં ન ડુબે. તેમ અરિહંતનું આલંબન લઈને એ અનુસાર ચાલનારો જ દુર્ગતિમાં જતો નથી એને સુગતિ મળે જ છે.
- જયાનંદ
458