SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं पढमो उद्देसो संठाणदारं-बाहलदारं “નિવૃત્યુપર છે. વ્યક્તિ, નથુપયોગી માયિ ” (અ) ૨ સૂ૦૧૭-૧૮) નિવૃત્તિ અને ઉપકરણ દ્રન્દ્રિય, અને લબ્ધિ અને ઉપયોગ ભાવેન્દ્રિય છે. તેમાં નિવૃત્તિ–પ્રતિનિયત-અમુક પ્રકારનો આકારવિશેષ, તે બે પ્રકારે છે–બાહ્ય નિવૃત્તિ અને અભન્તર નિવૃત્તિ. તેમાં બાહ્યનિવૃત્તિ પાપડી વગેરેના જેવી આકૃતિવાળી અને વિચિત્ર છે, માટે તે પ્રતિનિયતરૂપે વર્ણવી શકાય તેમ નથી. જેમકે મનુષ્યના કાન બને નેત્રની પડખે રહેલા છે અને ભમરો કાનના ઉપરના ભાગની અપેક્ષાએ સમ રેખામાં આવેલી છે. ઘોડાને નેત્રના ઉપર કાન છે અને તેનો અગ્રભાગ તીક્ષ્ણ છે-ઇત્યાદિ જાતિના ભેદથી અનેક પ્રકારની બાહ્ય નિવૃત્તિ હોય છે અને અત્યન્તર નિવૃત્તિ સર્વ પ્રાણીઓને સરખી જ હોય છે, તેથી તેને આશ્રયી સંસ્થાનાદિ વિષયક સૂત્રો આગળ કહેવાનાં છે. કેવળ સ્પર્શનેન્દ્રિયની નિવૃત્તિમાં આકૃતિની અપેક્ષાએ બાહ્ય અને અભ્યન્તરનો ભેદ નથી, કારણ કે પૂર્વાચાર્યોએ તેનો નિષેધ કરેલો છે. માટે સ્પર્શનેન્દ્રિયના બાહ્ય સંસ્થાન વિષેજ સૂત્ર કહેવામાં આવશે કે પ્રાણિ નું ! વિસંવાદિ પug'? ઇત્યાદિ–હે ભગવન્! સ્પર્શનેન્દ્રિયનો કેવો આકાર છે? ઈત્યાદિ ખજ્ઞસમાન બાહ્ય નિવૃત્તિ છે અને ખગની ધાર જેવી જે સ્વચ્છ પુદ્ગલોના સમુદાયરૂપ અભ્યત્તર નિવૃત્તિ છે, તેની શક્તિવિશેષ તે ઉપકરણેન્દ્રિય છે. આ ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિય અભ્યત્તર નિવૃત્તિથી કથંચિત્ ભિન્ન છે. કારણ કે શક્તિ અને શક્તિવાળાનો કથંચિત્ ભેદ છે. એ હેતથી જ અભ્યત્તર નિવૃત્તિ છતાં દ્રવ્યાદિ વડે ઉપકરણના વિઘાતનો સંભવ છે. જેમ કે-કદંબપુષ્પાદિના સમાન આકારવાળી અભ્યત્તર નિવૃત્તિ છતાં અત્યંત કઠોર મેઘની ગર્જનાદિ વડે ઉપઘાત થવાથી પ્રાણીઓ શબ્દાદિ વિષયને જાણવા સમર્થ થતા નથી. ભાવેન્દ્રિય બે પ્રકારની છે–લબ્ધિ અને ઉપયોગ. તેમાં શ્રોત્રેન્દ્રિયાદિના વિષયરૂપ સર્વ આત્મપ્રદેશો સંબધી ઇન્દ્રિયજ્ઞાનાવરણ કર્મનો જ ક્ષયોપશમ તે લબ્ધિ, અને પોતપોતાના વિષયમાં લબ્ધિને અનુસાર આત્માનો જે વ્યાપાર, જેને પ્રણિધાન કહે છે તે ઉપયોગ છે. III૪૨પII सोतिदिए णं भंते! किंसंठिए पन्नत्ते? गोयमा! कलंबुयापुप्फसंठाणसंठिते पन्नत्ते। चक्खिंदिए णं भंते। किंसंठिते पन्नत्ते? गोयमा! मसूरचंदसंठाणसंठिते पन्नत्ते। घाणिदिए णं भंते! पुच्छा। गोयमा। अइमुत्तगचंदसंठाणसंठिते पन्नत्ते। जिब्भिदिए णं पुच्छा। गोयमा! खुरप्पसंठाणसंठिते पन्नत्ते। फासिदिए णंपुच्छा।गोयमा। णाणासंठाणसंठिते પુનત્તે શનૂિ -રાજરદા. (મૂળ) હે ભગવન! શ્રોત્રેન્દ્રિયનો કેવો આકાર છે? હે ગૌતમ! કદંબ પુષ્પના જેવો આકાર છે. હે ભગવન્! ચલઇન્દ્રિયનો કેવો આકાર છે? હે ગૌતમ! મસૂર ચન્દ્રના જેવો આકાર છે. હે ભગવન્! ઘ્રાણેન્દ્રિયનો કેવો આકાર છે? હે ગૌતમ! અતિમુક્તપુષ્પના જેવો આકાર છે. હે ભગવન્! જિન્દ્રિયનો કેવો આકાર છે? હે ગૌતમ! અસ્ત્રાના જેવો આકાર છે. હે ભગવન્! સ્પર્શનેન્દ્રિયનો કેવો આકાર છે? અનેક પ્રકારનો આકાર છે. //ર ૪૨૬/ (ટી4) હવે અભ્યત્તર નિવૃત્તિને આશ્રયી સંસ્થાનાદિનો વિચાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રથમ સંસ્થાનનો વિચાર કરે છે–“નોતિલિઇ ને અંતે! વિવિઘ નિત્તે?—હે ભગવન! શ્રોત્રેજિયનો કેવો આકાર છે ઇત્યાદિ સૂત્ર પાઠસિદ્ધ છે. |RI૪૨૬ll सोइंदिएणं भंते! केवइयं बाहल्लेणं पन्नत्ते? गोयमा! अंगुलस्स असंखेज्जइ भागे बाहल्लेणं पन्नत्ते २। एवं जाव फासिदिए। 438
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy