SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तेरसमं परिणामपयं अजीवपरिणामा પરિણામો વડે સહિત નરયિકાદિ જીવો છે તે પરિણામોનું તે પ્રકારે પ્રતિપાદન કરે છે–“નેરા તિરાને–વૈરયિકો ગતિપરિણામ વડે નરકગતિવાળા છે–ઇત્યાદિ પાઠ સુગમ છે, પરન્ત નરયિકોને કૃષ્ણ, નીલ, અને કાપોત એ ત્રણ જ વેશ્યા હોય છે, બાકીની વેશ્યા હોતી નથી. અને તે ત્રણ વેશ્યાઓ પણ નરકમૃથિવીઓમાં આ ક્રમથી છે–પ્રથમની બે નરકમૃથિવીમાં કાપોતલેશ્યા, ત્રીજી પૃથિવીમાં કાપોત અને નીલલેશ્યા, ચોથી નરકમૃથિવીમાં નીલલેશ્યા, પાંચમી નરકમૃથિવીમાં નીલલેશ્યા અને કૃષ્ણલેશ્યા અને છઠ્ઠી અને સાતમી નરકમૃથિવીમાં કૃષ્ણલેશ્યા જ હોય છે. માટે એમ કહ્યું છે કે– ત્તેવિ નીતત્તે સાવિ કન્સેસવિ'-કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યાવાળા પણ હોય છે. તિર્યચપંચેન્દ્રિય અને મનુષ્ય સિવાય બીજા જીવોમાં ચારિત્રપરિણામ ભવસ્વભાવથી સર્વથા હોતો નથી, માટે અહીં ચારિત્રપરિણામનો નિષેધ કર્યો છે. વેદપરિણામના વિચારમાં નરયિકો નપુંસક જ હોય છે, પણ સ્ત્રી અને પુરુષો હોતા નથી. કારણ કે–“નાર વસંમૂર્છાિનો નપુંસવન' (અ૦૨ સૂ) ૬૦) નારકો અને સંમૂર્શિમો નપુંસકો હોય છે–એવું તત્ત્વાર્થનું સૂત્ર છે. એ પ્રમાણે અસુરકુમારોને પણ જાણવું. પરન્તુ તેઓ ગતિને આશ્રયી દેવગતિવાળા છે, અને તેઓમાં જે મોટી ઋદ્ધિવાળા છે તેઓને તેજોલેશ્યા પણ હોય છે. તે માટે કહ્યું છે કે– તે સ્લેસા વિ'-તેજલેશ્યાવાળા પણ હોય છે. વેદપરિણામનો વિચાર કરતા તેઓ પુરુષો અને સ્ત્રીઓ હોય છે, પણ નપુંસકો હોતા નથી. કારણ કે દેવોમાં નપુંસકપણાનો અસંભવ છે. પૃથિવીકાયિકસૂત્રમાં નવાં સાપરિણામેળ' ઇત્યાદિ. અહીં પૃથિવી, પાણી અને વનસ્પતિને તેજલેશ્યાનો પણ સંભવ છે, કારણ કે એઓમાં સૌધર્મ અને ઈશાન દેવલોક સુધીના દેવો આવી ઉત્પન્ન થાય છે. તેથી કહ્યું છે કે તે જોતા વિ' તેજોવેશ્યાવાળા પણ હોય છે. એ પૃથિવ્યાદિ પાંચે સ્થાવરોમાં સાસ્વાદન સમ્યક્ત પણ હોતું નથી, કારણ કે સિદ્ધાન્તમાં તેનો નિષેધ કર્યો છે, તેથી જ્ઞાન અને સમ્યક્તનો અહીં નિષેધ કર્યો છે. મિશ્રદૃષ્ટિનો પરિણામ સંજ્ઞી પંચેન્દ્રિયોને જ હોય છે બાકીના જીવોને હોતો નથી, માટે તેનો નિષેધ કરવામાં આવ્યો છે. કેટલા એક બેઇન્દ્રિયાદિ જીવને કરણ અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યક્ત હોય છે, માટે જ્ઞાનપરિણામવાળા અને સમ્યગ્દષ્ટિ પણ કહ્યા છે. તિર્યંચ પંચેન્દ્રિયોને છ એ વેશ્યાનો સંભવ છે, માટે સૂત્રમાં કહ્યું છે કે–“નાવ સુક્ષતા વિ' યાવત્ શુક્લલેશ્યાવાળા પણ હોય છે. તથા દેશવિરતિનો પરિણામ પણ તેઓને થાય છે, માટે કહ્યું છે કે–‘વરિતારિત્તી વિ'–ચારિત્રાચારિત્રીદેશવિરતિવાળા પણ હોય છે. જ્યોતિષિકોને કેવળ તેજોલેશ્યા જ હોય છે, બાકીની હોતી નથી, તેથી તેના પરિણામેd તે જોસા' લેશ્યા પરિણામ વડે તેજલેશ્યાવાળા કહ્યા છે. ૩૪૧૬ || શનીવરિના I. अजीवपरिणामे णं भंते! कतिविधे पन्नत्ते? गोयमा! दसविधे पन्नत्ते, तं जहा-बंधणपरिणामे १, गति परिणामे, २, संठाणपरिणामे ३, भेदपरिणामे ४, वण्णपरिणामे ५, गंधपरिणामे ६, रसपरिणामे ७, फासपरिणामे ८, अगुरुलहुयपरिणामे ९, सद्दपरिणामे १०। ।।सू०-४।।४१७।। (મૂળ) હે ભગવન્! અજીવપરિણામ કેટલા પ્રકારે કહ્યો છે? હે ગૌતમ! દસ પ્રકારે કહ્યો છે. તે આ પ્રમાણે—૧ બંધનપરિણામ, ૨ ગતિપરિણામ, ૩ સંસ્થાનપરિણામ, ૪ ભેદપરિણામ, ૫ વર્ણપરિણામ, ૬ ગન્ધપરિણામ, ૭ સપરિણામ, ૮ સ્પર્શપરિણામ, ૯ અગુરુલઘુપરિણામ અને ૧૦ શબ્દપરિણામ. ૪ll૪૧૭ll : बंधणपरिणामे णं भंते! कतिविधे पन्नत्ते? गोयमा! दुविहे पन्नत्ते,तंजहा-णिद्धबंधणपरिणामे,लुक्खबंधणपरिणामे या समणिद्धयाए बंधो न होति समलुक्खयाए वि ण होति। वेमायणिद्धलुक्खत्तणेण बंधो उ खंधाणं ॥१॥ णिद्धस्स णिद्धेण दुयाहिएणं लुक्खस्स लुक्खेणंदुयाहिएणं। निद्धस्स लुक्खेण उवेइ बंधोजहण्णवज्जो विसमो સમો વા રn 428 .
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy