________________
तेरसमं परिणामपयं भवणवासीण-एगिंदियाणं-विंगलिदियाण-पंचिंदियतिरियाणं मणुस्साणं- देवाणं परिणामा श्री प्रज्ञापना सूत्र भाग १ (મૂળ) નૈરયિકો ગતિપરિણામ વડે નરકગતિવાળા, ઇન્દ્રિયપરિણામ વડે પંચેન્દ્રિયો, કષાયપરિણામ વડે ક્રોધકષાયવાળા યાવત્ લોભકષાયવાળા, લેશ્યાપરિણામ વડે કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા, યોગપરિણામ વડે મનોયોગવાળા, વચનયોગવાળા અને કાયયોગવાળા, ઉપયોગપરિણામ વડે સાકાર ઉપયોગવાળા અને અનાકાર ઉપયોગવાળા, જ્ઞાનપરિણામ વડે આભિનિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની, અજ્ઞાનપરિણામ વડે મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની અને વિભંગજ્ઞાની, દર્શનપરિણામ વડે સમ્યદૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને સભ્યગ્મિથ્યાદૃષ્ટિ હોય છે. ચારિત્રપરિણામ વડે સર્વવિરતિચારિત્રવાળા અને દેશવિરતિચારિત્રવાળા નથી. પણ ચારિત્રરહિત–અવિરતિ હોય છે. વેદપરિણામ વડે સ્ત્રીવેદી અને પુરુષવેદી નથી, પણ નપુંસકવેદી હોય છે. અસુરકુમારો પણ એમજ જાણવા. પરન્તુ દેવગતિવાળા, કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેજોલેશ્યાવાળા, વેદપરિણામ વડે સ્ત્રીવેદવાળા અને પુરુષવેદવાળા હોય છે, પરન્તુ નપુંસકવેદવાળા હોતા નથી. બાકી બધું તેમજ જાણવું. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારો સુધી કહેવું. પૃથિવીકાયિકો ગતિપરિણામ વડે તિર્યંચગતિવાળા અને ઇન્દ્રિયપરિણામ વડે એકેન્દ્રિયો હોય છે. બાકી બધું નૈયિકોની પેઠે કહેવું. પરન્તુ લેશ્યાપરિણામ વડે તેજોલેશ્યાવાળા પણ હોય છે. યોગપરિણામ વડે કાયયોગવાળા હોય છે. તેઓમાં જ્ઞાનપરિણામ નથી. અજ્ઞાનપરિણામ વડે મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની અને દર્શનપરિણામ વડે મિથ્યાદૃષ્ટિ હોય છે. બાકી બધું તેમજ જાણવું. અપ્લાયિકો અને વનસ્પતિકાયિકો એમજ જાણવા. તેજસ્કાયિકો અને વાયુકાયિકો સંબંધે એમજ જાણવું. પરન્તુ તેઓ લેશ્યાપરિણામ વડે નૈયિકોની જેમ જાણવા. બેઇન્દ્રિયો ગતિપરિણામ વડે તિર્યંચગતિવાળા અને ઇન્દ્રિયપરિણામ વડે બે ઇન્દ્રિયવાળા હોય છે. બાકી બધું નૈરયિકોની પેઠે કહેવું. પરન્તુ યોગપરિણામ વડે વચનયોગવાળા અને કાયયોગવાળા હોય છે. જ્ઞાનપરિણામ વડે આભિનિબોધિજ્ઞાની અને શ્રુતજ્ઞાની પણ હોય છે. અજ્ઞાનપરિણામ વડે મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની પણ હોય છે, પરન્તુ વિભંગજ્ઞાની હોતા નથી. દર્શનપરિણામ વડે સમ્યગ્દૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ પણ હોય છે, પરન્તુ સમ્મગ્મિથ્યાદૃષ્ટિ હોતા નથી. બાકી બધું તેમજ જાણવું. એ પ્રમાણે યાવત્ ચઉરિન્દ્રિયો સુધી કહેવું. પરન્તુ ઇન્દ્રિયની સંખ્યા અધિક કહેવી. પંચેન્દ્રિયતિર્યંચો ગતિપરિણામ વડે તિર્યંચગતિવાળા હોય છે. બાકી બધું નૈયિકોની જેમ કહેવું. લેશ્યાપરિણામ વડે યાવત્ શુક્લલેશ્યાવાળા પણ હોય છે. ચારિત્રપરિણામ વડે સર્વવિરતિ ચારિત્રવાળા નથી, પણ અચારિત્રી–અવિરતિ કે દેશવિરતિચારિત્રવાળા હોય છે. વેદપરિણામ વડે સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુંસકવેદી હોય છે. મનુષ્યો ગતિ પરિણામ વડે મનુષ્યગતિવાળા, ઇન્દ્રિયપરિણામ વડે પંચેન્દ્રિય અને અનિન્દ્રિય' પણ હોય છે. કષાયપરિણામ વડે ક્રોધકષાયી, યાવત્ અકષાયી હોય છે. લેશ્યાપરિણામ વડે કૃષ્ણલેશ્યાવાળા યાવત્ લેશ્યારહિત હોય છે. યોગપરિણામ વડે મનોયોગી, યાવત્ અયોગી–યોગરહિત હોય છે. ઉપયોગપરિણામ વડે નૈરિયકોની જેમ જાણવા. જ્ઞાનપરિણામ વડે આભિનિબોધિકજ્ઞાની, યાવત્ કેવલજ્ઞાની પણ હોય છે. અજ્ઞાનપરિણામ વડે ત્રણે અજ્ઞાનો અને દર્શનપરિણામ વડે ત્રણે દર્શનો હોય છે. ચારિત્રપરિણામ વડે સર્વવિરતિ–ચારિત્રવાળા, ચારિત્રરહિત અને દેશવિરતિચારિત્રવાળા હોય છે. વેદપરિણામ વડે સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી અને વેદરહિત પણ હોય છે. વ્યન્તરો ગતિપરિણામ વડે દેવગતિવાળા-ઇત્યાદિ અસુરકુમારોની પેઠે કહેવું, જ્યોતિષિકો પણ એમજ જાણવા, પરન્તુ તેઓ માત્ર તેજોલેશ્યાવાળા હોય છે. વૈમાનિકો પણ એમજ જાણવા, પરન્તુ લેશ્યાપરિણામ વડે તેજોલેશ્યાવાળા, પદ્મલેશ્યાવાળા અને શુક્લલેશ્યાવાળા હોય છે. એમ જીવપરિણામ કહ્યો. 1131189511
(ટી૦) એ પ્રમાણે જીવના ગત્યાદિ પરિણામો કહ્યા, હવે તે ગત્યાદિ પરિણામના અનુક્રમે ભેદો બતાવે છે—‘પરગામે મંતે'! વિષે પનત્તે?-હે ભગવન્! ગતિ પરિણામના કેટલા પ્રકાર કહ્યા છે—ઇત્યાદિ સૂત્રો પાઠ સિદ્ધ છે. હવે તેમાં જે
૧. સયોગી કેવલી અને અયોગી કેવલીની અપેક્ષાએ મનુષ્યો અનિન્દ્રિય કહ્યા છે, કારણ કે કેવલીને ઇન્દ્રિયોનો ઉપયોગ હોતો નથી. યદ્યપિ કેવલીને દ્રવ્યમનનો ઉપયોગ છે, પરન્તુ ભાવ મન નથી, તથા અયોગીને તો દ્રવ્ય મન અને ભાવ મન બન્ને નથી, માટે અનિન્દ્રિય છે.
427