________________
तेरसमं परिणामपयं जीवपरिणामपरूवणा
श्री प्रज्ञापना सूत्र भाग १
|| તેમં રિનામવયં || ||નીવરિનામવવા ||
कतिविधे णं भंते! परिणामे पण्णत्ते ? गोयमा ! दुविहे परिणामे पन्नत्ते, तं जहा - जीवपरिणामे य अजीवपरिणामे યા નીવાિમે ાં ભંતે! તિવિષે પત્નત્તે? ગોયમા! ઋવિષે પત્નો, સંનહા-ગતિપાિમે ૧, કુંડિત્યપરિમે ૨, कसायपरिणामे ३, लेसापरिणामे ४, जोगपरिणामे ५, उवओगपरिणामे ६, णाणपरिणामे ७, दंसणपरिणामे ८, વ્રુત્તિપરિમે ૧, વેરિĪામે ૬૦ [સૂં॰-૨||૪૪||
તેરમું પરિણામ પદ.
(મૂળ) હે ભગવન્! કેટલા પ્રકારનો પરિણામ કહ્યો છે? હે ગૌતમ! બે પ્રકારનો પરિણામ કહ્યો છે. તે આ પ્રમાણે-જીવપરિણામ અને અજીવપરિણામ. હે ભગવન્! જીવપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! દસ પ્રકારનો છે. તે આ પ્રમાણે-૧ ગતિપરિણામ, ૨ ઇન્દ્રિયપરિણામ, ૩ કષાયપરિણામ, ૪ લેશ્યાપરિણામ, ૫ યોગપરિણામ, ૬ ઉપયોગપરિણામ, ૭ જ્ઞાનપરિણામ, ૮ દર્શનપરિણામ, ૯ ચારિત્રપરિણામ અને ૧૦ વેદપરિણામ.।।૧।।૪૧૪॥
(ટી) એમ બારમા પદની વ્યાખ્યા કરી હવે તેરમા પદનો પ્રારંભ કરાય છે. તેનો સંબન્ધ આ પ્રમાણે છે—પૂર્વના પદમાં ઔદારિકાદિ શરીરનો વિભાગ કહ્યો, પરંતુ તે શરીરપરિણામ થવાથી થાય છે, પરિણામ સિવાય થતા નથી, તેથી પરિણામના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે આ પદનો પ્રારંભ કરવામાં આવે છે. તેમાં આ પ્રથમ સૂત્ર છે—‘ વિષે ખં અંતે! પરિણામે પત્તે?' હે ભગવન્! કેટલા પ્રકારના પરિણામ કહ્યા છે?–ઇત્યાદિ. દ્રવ્યોનું પરિણમન-રૂપાંતર કે અવસ્થાન્તર થવું તે પરિણામ. તે પરિણામ નયના ભેદોથી વિવિધ પ્રકારનો હોય છે. નૈગમાદિ અનેક પ્રકારના નયો છે. તે સર્વ નયોનો સંગ્રહ કરનાર બે નયો સિદ્ધાન્તમાં કહેલા છે–દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. એ સંબન્ધે શ્રી મલ્લવાદી સૂરિ કહે છે— 'તિસ્થયવયળસંહવિલેસવસ્થા મૂળવાળી વ્યક્રિયો ય પદ્મવનો ય મેસા વિપ્પા સિં॥ (સન્મતિ. ગા. ૨)
‘તીર્થંકરના વચનોના સંગ્રહરૂપ સામાન્યપ્રસ્તાર અને વિશેષપ્રસ્તારના મૂલનું પ્રતિપાદન કરનાર દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક એ બે નયો છે અને બાકીના બધા તેના વિકલ્પો–ભેદો છે.’'
તેમાં દ્રવ્યાસ્તિક નયના મતે કથંચિત્ સત્ છતાં ઉત્તર પર્યાયરૂપ ધર્માન્તરને પામે તે પરિણામ કહેવાય, તેમાં પૂર્વ પર્યાયની સર્વથા સ્થિતિ હોતી નથી. તેમ તેનો એકાન્તથી નાશ પણ હોતો નથી એ સંબન્ધે કહ્યું છે કે અર્થાન્તરરૂપે—અન્ય સ્વરૂપે થવું તે પરિણામ, તેની સર્વથા સ્થિતિ હોતી નથી, તેમ સર્વથા નાશ પણ હોતો નથી, તે પરિણામ તેના સ્વરૂપના જાણનારાઓએ માનેલો છે'. પર્યાયાસ્તિક નયના મતે પૂર્વના સત્–વિદ્યમાન પર્યાયનો વિનાશ અને બીજા અસત્પ્રર્યાયોની ઉત્પત્તિ તે પરિણામ કહેવાય છે. આ જ નયને આશ્રયી અન્યત્ર કહેવામાં આવ્યું છે કે સત્પર્યાયરૂપે નાશ અને અસત્પર્યાયરૂપે પ્રાદુર્ભાવ તે પરિણામ પર્યાયાસ્તિક નયના મતે છે.” હવે ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ! બે પ્રકારનો પરિણામ છે— જીવપરિણામ અને અજીવપરિણામ. તેમાં જીવનો પરિણામ પ્રાયોગિક–ચેતનાવ્યાપારજન્ય છે અને અજીવનો પરિણામ વૈસ સિક—સ્વાભાવિક છે. સૂત્રકાર તે પરિણામના ભેદો આગળ કહેશે, તે પ્રમાણે જીવ પરિણામના ભેદો કહે છે–‘નીવરામે અંતે! તિવિષે પત્તે'? જીવપરિણામ કેટલા પ્રકારનો કહ્યા છે?–ઇત્યાદિ. જીવપરિણામ દસ પ્રકારનો છે. જેમકે-‘પતિપરિખામ' ઇત્યાદિ. ‘ગમ્યતે' નૈરયિકાદિ ગતિનામકર્મના ઉદયથી જે પ્રાપ્ત થાય તે ગતિ-નારકત્વાદિરૂપ પર્યાયનો પરિણામ, જીવોનો ૧. આ ગાથા સન્મતિતર્ક પ્રકરણની છે અને તેના કર્તા તરીકે સિદ્ધસેન દિવાકર પ્રસિદ્ધ છે. છતાં ટીકાકાર તેના કર્તા મલ્લવાદી તરીકે જણાવે છે તે વિચારણીય છે. કદાચ સન્મતિતર્કની આ ગાથા મલ્લવાદી સૂરિએ પોતાના (કોઈ) ગ્રન્થમાં લીધી હોય તેથી કદાચ એમ કહ્યું હોય તો તે સંભવિત છે.
423