________________
बारसमं सरीरपयं देवाणं बद्ध-मुक्कसरीरपरूवणा
श्री प्रज्ञापना सूत्र भाग १ છે કે–મનુષ્યો બે પ્રકારના છે-ગર્ભજ અને સંમૂર્છાિમ. તેમાં ગર્ભજ હમેશાં સ્થાયી હોય છે, એવો કોઈ કાળ નથી જેમાં ગર્ભજ મનુષ્યોનો અભાવ હોય. સંમૂર્ણિમ મનુષ્યો કદાચિતું હોય છે અને કદાચિત્ સર્વથા હોતા નથી. કારણ કે તેઓનું ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તનું આયુષ્ય છે અને તેઓનું ઉત્પત્તિનું અત્તર ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્ત પ્રમાણ છે. તેથી જ્યારે સર્વથા સંમૂચ્છિમ મનુષ્યો હોતા નથી અને કેવળ ગર્ભજ મનુષ્યો જ હોય છે ત્યારે તેઓ સંખ્યાતા હોય છે. કારણ કે ગર્ભજ મનુષ્યો હમેશાં સંખ્યાતા જ હોય છે, તેનું કારણ એ છે કે તેઓ મહાશરીરવાળા અને પ્રત્યેક શરીરવાળા છે તથા પરિમિત ક્ષેત્રમાં રહે છે. જ્યારે સંમૂર્છાિમ મનુષ્યો હોય છે ત્યારે અસંખ્યાતા હોય છે, કારણ કે તેઓ ઉત્કૃષ્ટથી શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશના રાશિપ્રમાણ છે. તે પ્રકારે સૂત્રકાર કહે છે–ગદનપદે સંવેજ્ઞા' ઇત્યાદિ. “જઘન્યપદે સંખ્યાતા હોય છે
જ્યારે સૌથી થોડા મનુષ્ય હોય તે જઘન્ય પદ. આ જઘન્ય પદમાં સંમૂર્છાિમોનું ગ્રહણ છે કે ગર્ભજ મનુષ્યોનું ગ્રહણ છે? ઉત્તરસંમૂર્ણિમાનું ગ્રહણ નથી, પરન્તુ ગર્ભજોનું ગ્રહણ છે, કારણ કે તેઓ જ હમેશાં અવસ્થિત હોવાથી સંમૂર્છાિમના અભાવમાં સૌથી થોડા હોય છે. અને ઉત્કૃષ્ટ પદમાં બન્ને પ્રકારના મનુષ્યોનું ગ્રહણ છે. એ સંબજો મૂલ ટીકાકાર કહે છે કે–સેતરાનાં પ્રહાકુષ્ટ પડે, નવચારે જર્મવ્યક્તિનામેવ વિનાનાં પ્રહાન' ઉત્કૃષ્ટપદે સંમૂર્છાિમ અને ગર્ભજ છે. અને જઘન્યપદે કેવલ ગર્ભજનું ગ્રહણ છે. આ જઘન્યપદમાં સંખ્યાતા મનુષ્યો છે. તેમાં સંખ્યાતાના સંખ્યાતા ભેદો છે તેથી તેઓ કેટલાં છે એમ ન જાણી શકાય માટે વિશેષ સંખ્યાનો નિર્ણય કરે છે– સંધેિયા: વોટટ્ય: સંખ્યાતા કોટાકોટી મનુષ્યો છે. તે સિવાય બીજું તેથી વિશેષ પરિમાણ જણાવે છે–“નિગમતાસ ૩, ૨૩મનપસ છું' ઈતિ. ત્રણ યમલ પદના ઉપર અને ચાર યમલ પદની નીચે છે, અહીં મનુષ્યની સંખ્યા જણાવનાર ઓગણત્રીશ અકસ્થાન આગળ કહેવામાં આવશે, તેમાં આગમની પરિભાષા–સંકેતથી આઠ આઠની ધમલપદ એવી સંજ્ઞા છે. ચોવીશ અકસ્થાન વડે ત્રણ યમલપદ થાય છે. ઉપરના પાંચ અકસ્થાન બાકી રહે છે, પણ યમલપદ આઠ અકસ્થાનવડે થતું હોવાથી ચોથું યમલપદ થતું નથી. માટે કહ્યું છે કે “ત્રણ યમલપદના ઉપર છે, કારણ કે પાંચ અકસ્થાનો વધે છે, અને ચોથા યમલપદની નીચે છે, કારણ કે ત્રણ અકસ્થાનો વડે ન્યૂન છે. અથવા બબ્બે વર્ગનો સમુદાય તે એક યમલપદ, ચાર વર્ગનો સમદાય તે બે મલપદ અને છ વર્ગનો સમુદય તે ત્રણ યમલપદ અને આઠ વર્ગનો સમુદાય તે ચાર યમલપદ છે. કારણ કે તેમાં છ વર્ગની ઉપર અને સાતમા વર્ગની નીચે છે. તે માટે કહ્યું છે—કે ત્રણ યમલ પદની ઉપર અને ચાર યમલ પદની નીચે છે. હવે સંખ્યા બતાવે છે– ગદવ | છકુવો પર્સનવપકુષનો ઇતિ. અથવા છઠ્ઠા વર્ગને પાંચમા વર્ગ વડે ગુણવાથી જેટલી સંખ્યા થાય તેટલા જઘન્યપદે મનુષ્યો છે. તેમાં એકનો વર્ગ એક જ થાય, તેની વૃદ્ધિ ન થાય, માટે તેની ગણના થતી નથી. બેનો વર્ગ ચાર એ પ્રથમ વર્ગ, ચારનો વર્ગ સોળ એ બીજો વર્ગ, સોળનો વર્ગ બસોને છપ્પન એ ત્રીજો વર્ગ, અને બસો છપ્પનનો વર્ગ પાંસઠ હજાર પાંચસો છત્રીશ એ ચોથો વર્ગ, અને તેનો વર્ગ ચારસો ઓગણત્રીશ ક્રોડ ઓગણપચાસ લાખ સડસઠ હજાર બસો ને છ– એ પાંચમો વર્ગ. કહ્યું છે કે–ચારસો ઓગણત્રીશ કોડ ઓગણપચાસ લાખ, સડસઠ હજાર બસો ને છ— એ સંક્ષેપથી પાંચમો વર્ગ છે. એનો છઠ્ઠો વર્ગ કરીએ અને જે આવે તે કહીશ. એ પાંચમા વર્ગનો જે વર્ગ થાય તે છઠ્ઠો વર્ગ. તેનું પરિમાણ-એક લાખ ચોરાશી હજાર ચારસો ને સડસઠ કોટાકોટી, ચુમ્માલીશ લાખ સાત હજાર ત્રણસો સિત્તેર કોટી અને પંચાણું લાખ એકાવન હજાર છસ્સો સોળ એ છઠ્ઠો વર્ગ છે. કહ્યું છે કે –“એક લાખ, ચોરાશી હજાર ચારસો સડસઠ કોડાકોડી, ચુમ્માલીશ લાખ સાત હજાર ત્રણસો સિત્તેર કોડી અને પંચાણું લાખ એકાવન હજાર છસ્સો ને સોળ એ છઠ્ઠો વર્ગ થાય છે. તેને પાંચમા વર્ગ વડે ગુણતાં જેટલી સંખ્યા થાય તેટલા જઘન્યપદે મનુષ્યો છે. તે સંખ્યા આટલી થાય છે-૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦૩૩૬. એ ઓગણત્રીશ અંકસ્થાનો છે. એને કોટાકોટી વગેરે સંખ્યાથી કોઈપણ રીતે કહી શકાય તેમ નથી તેથી છેલ્લા અંકથી માંડી અંકસ્થાનોનો સંગ્રહ માત્ર પૂર્વાચાર્ય પ્રણીત બે ગાથાઓ દ્વારા કહે છે-છ, ત્રણ, ત્રણ, શૂન્ય, પાંચ, નવ, ત્રણ, ચાર, પાંચ, ત્રણ, નવ, પાંચ, સાત, ત્રણ, ત્રણ, ચાર, છ, બે, ચાર, એક, પાંચ, બે, છ, એક, આઠ, બે, બે, નવ અને સાત એટલા અંક સ્થાનો ઉપર
419.