SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ बारसमं सरीरपयं णेरइयाणं बद्ध-मुक्कसरीरपरूवणा श्री प्रज्ञापना सूत्र भाग १ ‘તાહિં' ઇત્યાદિ. કાળ અને ક્ષેત્રના સૂત્રો પૂર્વની પેઠે જાણવા. અને દ્રવ્યથી પરિમાણ સર્વ જીવો કરતાં અનન્તગુણા છે. (પ્ર)-શાથી અનન્તગુણા છે? (૧૦) એક એક સંસારી જીવને એક એક તેજસ શરીર હોય છે, અને તે જીવોએ મૂકેલાં શરીરો પૂર્વે કહેલી યુક્તિથી અનન્ત ભેટવાળાં થાય છે અને તેઓ અસંખ્યાતા કાળ સુધી રહે છે, તેટલા કાળમાં જીવીએ મૂકેલાં દરેક જીવ દીઠ અન્ય અસંખ્ય તેજસ શરીરો પ્રાપ્ત થાય છે અને તે પ્રત્યેકના પૂર્વોક્ત યુક્તિથી અનન્ત ભેદો થાય છે, માટે મુક્ત-ત્યાગ કરેલાં શરીરો સર્વ જીવો કરતાં અનન્તગુણા છે. તે શું જીવોના વર્ગપ્રમાણ છે? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે– “નીવવા માંતા'—જીવોના વર્ગના અનન્તમે ભાગે છે. (પ્ર)–જીવના વર્ગ જેટલાં કેમ નથી? (ઉ0)–જો એક એક જીવના શરીરો સર્વ જીવરાશિ પ્રમાણ હોય કે તેથી કંઈક અધિક હોય કે જેથી સિદ્ધના અનન્તમાં ભાગની પૂર્તિ થાય, તો શરીરો જીવવર્ગપ્રમાણ થાય, તે રાશિને તેટલી રાશિ વડે ગુણતાં વર્ગ થાય છે. જેમકે ચારને ચારે ગુણતાં સોળ વર્ગ થાય છે. પરંતુ એક એક જીવના શરીરો સર્વ જીવ પ્રમાણ કે તેથી કંઈક અધિક નથી, પણ ઘણાં થોડાં છે અને તે પણ અસંખ્યાતા કાળ સુધી રહે છે, અને તેટલા કાળમાં બીજાં જે અન્ય શરીરો હોય છે તે પણ થોડાં હોય છે, કારણ કે કાળ થોડો છે, માટે જીવવર્ગપ્રમાણ થતાં નથી, પરંતુ જીવવર્ગના અનન્તમા ભાગે હોય છે. અનન્તમા ભાગના પ્રમાણનું પૂર્વાચાર્યોએ બતાવેલું આ દૂર્ણત છે–સર્વ જીવો વાસ્તવિક રીતે અનન્ત છે, પણ અસત્કલ્પનાથી દસ હજાર ગણવા. તે દસ હજારનો વર્ગ દસ ક્રોડ થાય છે. મુક્ત તેજસ શરીરો અસત્કલ્પનાથી દસ લાખ પ્રમાણ છે, તેથી સર્વ જીવો કરતાં સો ગુણા એટલે સર્વ જીવોથી અનન્તગુણા છે અને તે જીવવર્ગના સોમા ભાગે છે. તેથી જીવવર્ગના અનન્તમા ભાગ પ્રમાણ થાય છે. એમ બદ્ધ અને મુક્ત કામણ શરીરનો વિચાર કરવો. કારણ કે તેની સંખ્યા તેજસના જેટલી છે. એક સામાન્ય પાંચે શરીરો કહ્યાં. રાજ0ો. || ગેરફાળવદ-મુવારીરપરવા | नेरइयाणं भंते! केवतिया ओरालियसरीरा पन्नत्ता? गोयमा। दुविहा पन्नत्ता, तंजहा-बद्धेल्लगा य मुक्केल्लगा य। तत्थ णंजे ते बद्धेल्लगा ते णं णत्थि। तत्थ णं जे ते मुक्केल्लगा ते णं अर्णता जहा ओरालियमुक्केल्लगा तहा भाणियव्वा। नेरइयाणं भंते! केवइया वेठब्वियसरीरा पन्नत्ता? गोयमा। दुविहा पन्नत्ता, तं जहा-बद्धेल्लगा य मुक्केल्लगा या तत्थ णं जे ते बद्धेल्लगा ते णं असंखेज्जा, असंखेन्जाहिं उस्सप्पिणिओसप्पिणिहिं अवहीरंति कालतो,खेत्तत्तो असंखिज्जाओसेढीओ पयरस्स असंखेज्जइभागो,तासिणंसेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलं बितीयवग्गमूलपडुप्पण्ण, अहवणं अंगुलबितीयवग्गमूलषणप्पमाणमेत्ताओ सेढीतो। तत्थ णं जे ते मुक्केल्लगा ते णंजहा ओरालियस्स मुक्केलगा तहा भाणियव्वा। नेरइयाणं भंते! केवइआ आहारगसरीरा पन्नत्ता? गोयमा। दुविहा पन्नत्ता, तं जहा-बद्धेल्लगा य मुक्केल्लगा य, एवं जहा ओरालिए बद्धेल्लगा य मुक्केल्लया य भणिया तहेव आहारगा वि भाणियव्वा। तेया-कम्मगाईजहा एएसिं चेव वेठव्वियाई।।सू०-३।।४०८।। (મૂ૦) હે ભગવન્! નરયિકોને કેટલાં દારિક શરીર કહ્યાં છે? હે ગૌતમ! બે પ્રકારના દારિક શરીરો કહ્યાં છે. તે આ પ્રમાણે-બદ્ધ અને મુક્ત. તેમાં નરયિકોને બદ્ધ દારિક શરીરો હોતાં નથી, અને મુક્ત ઔદારિક શરીરો અનન્તા છે-ઈત્યાદિ જેમ મુક્ત દારિક શરીરો કહ્યાં તેમ કહેવાં. હે ભગવન્! નરયિકોને કેટલાં વક્રિય શરીરો કહ્યાં છે? ગૌતમ! બે પ્રકારનાં વક્રિય શરીરો કહ્યાં છે, તે આ પ્રમાણે બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ વૈક્રિય શરીરો છે તે અસંખ્યાતા છે અને કાળની અપેક્ષાએ અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાતી શ્રેણિઓ જેટલા છે, તે શ્રેણિઓની વિષ્કભસૂચિ અંગુલ પ્રમાણ આકાશ પ્રદેશના પ્રથમ વર્ગમૂલને બીજા વર્ગમૂલ વડે ગુણતાં જેટલા આકાશ પ્રદેશો આવે તેટલા પ્રદેશોની જાણવી. અથવા અંગુલપ્રમાણ આકાશ પ્રદેશોના બીજા વર્ગમૂલના ઘનપ્રમાણ શ્રેણિઓ જાણવી. તેમાં જે મુક્ત શરીરો છે તે જેમ 411
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy