SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ भाषापद परिशिष्ट श्री प्रज्ञापना सूत्र भाग १ છે, ભાવથી નથી. રભાવથી મૃષાવાદ છે, પણ દ્રવ્યથી નથી. જેમકે મૃષા બોલવાની ઇચ્છાવાળો ઉતાવળને લીધે એકદમ સત્ય બોલી જાય. એ ભાવથી મૃષા છે, પણ દ્રવ્યથી નથી. ૩ દ્રવ્યથી અને ભાવથી. જેમ કોઈ મૃષા બોલવાના પરિણામવાળો મૃષાવાદ બોલે. ચોથો ભંગ શૂન્ય છે. વળી અસત્ય ભાષા દસ પ્રકારે છે-૧ ક્રોધના આવેશવાળો જે ભાષા બોલે તે ક્રોધ નિશ્રિત ભાષા કહેવાય છે. જેમકે ગુસ્સે થયેલો પિતા પુત્રને કહે કે “તું મારો પુત્ર નથી.” અથવા ક્રોધના આવેશવાળાનું બધું કથન અસત્ય છે. (પ્ર૦)ક્રોધના આવેશવાળો ગાયને ગાય કહે તે અસત્ય કેમ હોય? (ઉ0)–તેનું ચિત્ત ક્રોધથી વ્યાકુલ હોવાને લીધે ગાયને વિષે ગાયનું કથન પણ અપ્રમાણ ભૂત છે–એવો સંપ્રદાય છે. પરન્તુ આ વિચારણીય છે કે તેમાં મૂઢ વ્યવહારને ઉપયોગી સત્ય હોવા છતાં ફળોપયોગી સત્ય નથી, કારણ કે સંક્લિષ્ટ આચરણવાળાનું કથન નિષ્ફળ છે. અહીં કોઈ શંકા કરે કે ગુસ્સે થયેલો મનુષ્ય ઘુણાક્ષર ન્યાય વડે પણ સત્ય બોલે તો તેને અપ્રશસ્ત ક્રોધના વશથી ક્લિષ્ટ કર્મનો બંધ થવા છતાં સત્યભાષા નિમિત્તે શુભ કર્મ બન્ધ કેમ ન થાય? એ આશંકાનો ઉત્તર એ છે કે યોગો સ્થિતિબન્ધ અને રસબન્ધ કરનાર કષાયને યોગ્ય પ્રકૃતિબંધ અને પ્રદેશબન્ધ કરે છે, પણ તેથી ભિન્ન કર્મનો બન્ધ કરતા નથી, એમ કોઈ ભાષા વ્યવહારથી સત્ય હોય તો પણ ક્લિષ્ટ કર્મના સામગ્રીભૂત કષાયોની અન્તર્ગત હોવાથી સ્વતંત્રપણે શુભકર્મના બન્ધનો હેતુ થતી નથી, માટે ક્રોધના આવેશવાળાની સર્વ ભાષા અસત્ય જ છે એટલું જ નહિ પણ ક્રોધના આવેશવાળાની સત્ય ભાષા વધારે દુષ્ટ છે, કારણ કે તે ભાષા જીવોને મિથ્યા કદાગ્રહને માટે થાય છે. ક્લિષ્ટ આશયવાળાનું સત્ય ભાષણ “મેં બરોબર કહ્યું છે એમ દુર્ભાષણનું અનુમોદન ઉત્પન કરતું મહાકર્મબન્ધનું કારણ થાય છે માટે પરમાર્થથી અસત્ય જ છે. એમ માનનિશ્રિતાદિભાષા જાણવી. ઉપઘાતનિશ્રિત-પરના અશુભચિત્તનના પરિણામવાળો જે અસત્ય બોલે, જેમ કે ચોર ન હોય તેને ચોર કહે તે ઉપઘાતનિશ્રિત ભાષા જાણવી. એ દસેય પ્રકારની અસત્ય ભાષા સૂત્રને અનુસરી પ્રશસ્ત પરિણામના યોગથી સત્ય કહેવાય છે. અહીં રાગ, દ્વેષ અને મોહ વડે અસત્યભાષા બોલે છે. એ સંબધે કહ્યું છે કે “સા લેવાદા મોહાદાવા મુખ્ય નૃતમ્ તુ મૈતે રોવાતાવૃતારમાં વિં યાત્રાગ, દ્વેષ અને મોહથી અવાચ્ય-નહિ કહેવા યોગ્ય અસત્ય બોલાય છે, પરન્તુ જેને એ દોષો નથી, તેને અસત્ય બોલવાનું શું કારણ છે? અસત્ય બોલવાનું અસાધારણ કારણ રાગ, દ્વેષ અને મોહ છે, તે સિવાય બીજું અસાધારણ કારણ નથી. કારણ કે ક્રોધાદિનો તેમજ અન્તર્ભાવ થાય છે, એટલે અસત્યભાષાના ત્રણ પ્રકારજ કહેવા જોઈએ, તો પણ તેનો દસ પ્રકારનો વિભાગ અત્યંત સંક્ષિપ્ત નહિ તેમ અત્યંત વિસ્તૃત નહિ એવી સચિવાળા જીવો માટે પ્રાચીન શાસ્ત્રમાં નિર્દેશ કર્યો છે: હવે પ્રકારાન્તરથી ચાર પ્રકારે મૃષા ભાષા કહે છે-૧ સદ્ભાવનો નિષેધ કરવો એટલે ધર્મી માત્રનો નિષેધ કરવો. જેમકે આત્મા નથી. ૨ અસદ્ભૂત વસ્તુનું પ્રતિપાદન કરવું એટલે ધર્મીનો સ્વીકાર કરી તેમાં વિરુદ્ધ ધર્મનું પ્રતિપાદન કરવું. જેમકે જીવ છે, પણ અશુપરિમાણ છે અથવા વ્યાપક છે. ૩ અન્ય વસ્તુમાં અન્ય શબ્દનો પ્રયોગ કરવો. જેમકે ગાયને વિષે અશ્વ શબ્દનો પ્રયોગ કરવો. ૪ નિદાભંજક શબ્દનો પ્રયોગ કરવો. જેમ કે ‘આ કાણો છે, બહેરો છે' ઇત્યાદિ. હવે સત્યમૃષા ભાષાનો લક્ષણપૂર્વક વિચાર કરે છે–જેનો વિષય અંશતઃ સત્ય હોય અને અંશતઃ અસત્ય હોય તે સત્યમૃષા ભાષા કહેવાય છે. એમ કરવામાં મૃષાભેદનો ઉચ્છેદ થશે, કારણકે સર્વ પ્રકારની અસત્ય ભાષા અંશતઃ સત્ય હોય છે. સર્વ જ્ઞાન ધર્મીના અંશે સત્ય હોય છે, જેમકે ઘટ વિનાના ભૂતલમાં આ ઘટવાળું ભૂતલ છે, તેમાં ભૂતલાશે સત્ય છે અને ઘટશે અસત્ય છે તેથી સર્વ પ્રકારની અસત્ય ભાષા પણ સત્યમૃષા ભાષા છે એમ ન સમજવું. કારણ કે ધર્મી અંશને છોડી સ્થૂલ ભૂમ અને પ્રમાણ ઉત્પન્ન કરનાર ભાષા સત્યમૃષા કહેવાય છે. માટે આ ભેદની અધિકતા સ્પષ્ટ રીતે છે. તેના ઉત્પન્નમિશ્રિતા ઇત્યાદિ ઉપાધિના ભેદથી દસ પ્રકાર છે. જેમકે પાંચ અથવા દસથી અધિક બાળકો ઉત્પન્ન થયા હોય ત્યારે દસ બાળકો 401
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy