________________
भाषापद परिशिष्ट
श्री प्रज्ञापना सूत्र भाग १ તે શિષ્યાદિ કાર્ય ન કરે તેથી અસત્યની આશંકાથી પ્રશ્ન કર્યો છે તેથી વિનીત શિષ્યાદિ વિષયક આજ્ઞાપની ભાષા અસત્ય નથી, તો પણ અવિનીતને આજ્ઞા કરવી તે સ્વ અને પરને પીડાનું કારણ હોવાથી પારિભાષિક-વ્યાવહારિક અસત્ય છે. આરાધકપણું, વિરાધકપણું, દેશારાધકપણું, દેશવિરાધકપણું તથા આરાધકપણા અને વિરાધકપણાના અભાવને આશ્રયી ભાષાના વિભાગ ચાર પ્રકારે છે. અને નિશ્ચયથી આરાધકપણું અને વિરાધકપણું એ બન્નેને આશ્રયી બે પ્રકારની ભાષા છે. વાસ્તવિક રીતે તો ભાષાનિમિત્ત શુભાશુભ સંકલ્પનું આરાધકપણું અને વિરાધકપણું છે, પરન્ત ભાષાનું નથી. અહીં પ્રશ્ન થાય છે કે તદન નાના બાળકો કે જેઓની ઇન્દ્રિયો અસમર્થ હોવાથી હું આ બોલું છું એવું જેને ભાન નથી તેઓને તે નિમિત્તે અશુભ સંકલ્પ નહિ હોવાથી શી રીતે આરાધકપણું કે વિરાધકપણે સમજવું? તેનો ઉત્તર એ છે કે ઉપયોગરહિત પરિણામ જ કર્મબંધનો હેતુ હોવાથી વિરાધકપણું સ્પષ્ટ છે. કારણ કે આયુક્ત-ઉપયોગ પૂર્વક ચાર પ્રકારની ભાષા બોલનાર આરાધક છે અને ઉપયોગ સિવાય બોલનાર વિરાધક છે-એમ પ્રજ્ઞાપના સૂત્રમાં સ્પષ્ટપણે પ્રતિપાદન કર્યું છે. અહીં આયુક્ત-સાવધાનપણે પ્રવચનની મલીનતા, નિંદા વગેરેથી રક્ષણ કરવામાં તત્પરતા છે. માટે નિશ્ચયથી આરાધકપણા અને વિરાધકપણાને આશ્રયી સત્ય અને અસત્ય બે પ્રકારની ભાષા છે. અહીં એમ ન સમજવું કે નિશ્ચય નય તાત્ત્વિક હોવાથી ભાષાના ચાર પ્રકાર કલ્પના માત્ર હોવાથી વાસ્તવિક નથી, કારણ કે વ્યવહારાનુગત વસ્તુ પણ શાસ્ત્રપ્રસિદ્ધ છે.
એ પ્રમાણે નયની અપેક્ષાએ ભાષાના બે પ્રકાર અને ચાર પ્રકાર કહ્યા, હવે સૂત્રના વિભાગને અનુસરી સત્યભાષાના લક્ષણના કથનપૂર્વક વિભાગ કહે છે-અવધારણપૂર્વક તે વસ્તુને વિષે તે પ્રકારનું વચન તે સત્ય ભાષા છે અને તેને આરાધની ભાષા કહેલી છે. તેના દસ પ્રકાર છે-૧ જનપદસત્ય, ૨ સંમતસત્ય, ૩ સ્થાપના સત્ય,૪નામસત્ય, ૫ રૂપસત્ય, ૬ પ્રતીત્યસત્ય, ૭ વ્યવહાર સત્ય, ૮ ભાવસત્ય, યોગસત્ય, ૧૦ ઉપમાસત્ય. જે જનપદ-દેશના સંકેત માત્રથી અર્થની પ્રતીતિ કરાવે તે ૧. જનપદસત્ય, અહીં માત્ર અનાદિ સિદ્ધ સંકેતનો નિષેધ કરવા માટે છે. જેમકે કોકણાદિ દેશના સંકેતજ્ઞાનથી પિચ્ચાદિ પદવી પાણી વગેરે અર્થની પ્રતીતિ થાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયી જે રૂઢિને છોડીને યોગ-વ્યુત્પત્તિ માત્ર વડે અર્થનો નિશ્ચય ન કરે તે સંમતસત્ય ૨. જેમકે પદ્યને વિષે પંકજ શબ્દનો પ્રયોગ. શેવાળ વગેરે પકથી ઉત્પન્ન થયેલા હોવા છતાં પંકજશબ્દ અરવિન્દ-કમળને જણાવે છે, પરન્ત શેવાલાદિનો બોધ કરતા નથી તે સંમતસત્ય. એ પ્રમાણે સમુદાયની શક્તિના પ્રતિસંધાન-સ્મરણ સિવાય નહિ બોધ કરનારા પદયુક્ત ભાષા તે સંમતસત્ય એ તાત્પર્ય છે. અહીં જનપદ સત્યમાં અતિવ્યાતિ થશે એમ ન જાણવું. કારણ કે અવયવ શક્તિના અતિપ્રસંગને દૂર કરનાર સમુદાયની શક્તિનું ગ્રહણ કરેલું હોવાથી દોષ નથી. વ્યુત્પત્તિરહિત રૂઢ શબ્દમાં અવ્યાપ્તિ થશે એમ ન માનવું કારણ કે અહીં શક્તિ સંકેત માત્ર નથી, પણ અનાદિ શાસ્ત્રીય અબાધિત સંકેત છે. અન્યથા લક્ષણાદિ વગેરેના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થશે. ૩. સ્થાપના સત્ય–સ્થાપનામાં વર્તમાન આ ભાવાર્થરહિત સંકેત જાણ્યો છે એવી સ્થાપનાસત્ય ભાષા કહેવાય છે. જેમકે જિનપ્રતિમામાં જિનશબ્દ સ્થાપનાસત્ય છે. અહીં સંમતસત્ય ભાષાનું લક્ષણ લાગુ પડે છે તેથી કોઈ પણ પ્રકારનો દોષ નથી, કારણ કે ઉપયનું (ઉપાધિના આશ્રયનું) સાંકર્ય છતાં પણ ઉપાધિનું સાંકર્યા નથી. ૪. નામ સત્ય-ભાવરૂપ અર્થ રહિત ભાષા નામના સંકેત માત્રથી યોગાર્થના-વ્યુત્પત્તિ પ્રતિત્પાદ્ય (પ્રતિપાઘ) અર્થના બાપની દરકાર કર્યા સિવાય પોતાને પ્રતિપાદન કરવા યોગ્ય અર્થનું પ્રતિપાદન કરે તે નામસત્ય. જેમકે ધનરહિત છતાં નામ વડે ધનવાન હોય છે. જ્યાં યથાર્થ નામ હોય ત્યાં કેવળ નામસત્ય નથી પણ પરિણામસત્ય છે. ભાવરૂપ અર્થના બાધ સહિત અને રૂપવાળાને વિષે જેનો ઉપચાર કર્યો છે એવા પદ યુક્ત ભાષા તે પ. રૂપસત્ય. જેમકે પ્રકટ દોષને સેવનારને વિષે યતિશબ્દનો પ્રયોગ. અહીં યતિપદનો રૂપવાળા વેષધારીને વિષે ઉપચાર છે. અહીં ભાવ યતિપણાનો બાધ છે માટે સ્થાપના યતિપણે માનવું યુક્ત છે એમ ન કહેવું. કારણ કે સ્થાપના તે જાતિના સદોષ પદાર્થમાં હોતી નથી, પણ વિજાતીય
399