SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ दसमं चरमाचरमपयं परमाणु पोग्गलाइणं चरिमाचरिमाइ विभागो श्री प्रज्ञापना सूत्र भाग १ ભાંગાઓ જાણવા. ૫. બાકીના સ્કંધોને વિષે બીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, પંદરમા, સોળમા, સત્તરમા, અને અઢારમા ભાંગાને છોડીને બાકીના ભાંગાઓ જાણવા. (ટી૦) ‘અટ્ટુપસિદ્ ાં મંતે! સ્તંભે'-હે ભગવન્! આઠપ્રદેશી સ્કન્ધ-ઇત્યાદિ પ્રશ્નસૂત્ર પૂર્વની પેઠે જાણવું. ઉત્તરસૂત્ર– 'બટ્ટુપસિદ્ અંધે સિય પરમે'આઠપ્રદેશી સ્કન્ધ કદાચ ચરમ હોય ઇત્યાદિ. અહીં બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પંદરમો, સોળમો, સત્તરમો અને અઢારમો-એ આઠ ભાંગા ત્યાગ કરવા અને બાકીના ગ્રહણ કરવા. એ સંબન્ધે આગળ કહેવામાં આવશે કે—“વિશ્વત્થપંચ પન્નરસોત્રં સત્તરફ઼ારી પણ વન્દ્રિય મં સેલા સેસેતુ હંસુ”-“બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પંદરમો. સોળમો, સત્તરમો અને અઢારમો એ ભાંગાઓ છોડીને બાકીના સ્કન્ધોમાં બાકીના ભાંગાઓ જાણવા.” આ ગાથા સુગમ છે. ‘નવાં મેસા સેસેતુ સંધેતુ' પરંતુ બાકીના ભાંગાઓ સાતપ્રદેશી સ્કન્ધથી બીજા આઠપ્રદેશી વગરે બધા સ્કન્ધોમાં જાણવા. બીજા આચાર્યો એ ગાથાનું ઉતરાર્ધ આ પ્રમાણે કહે છ—“ણ્ વન્ગિય મંા તેન પરમવક્રિયા સેસા") એ ભાંગાઓ વર્જીને તેથી આગળના બાકીના ભાંગા અવસ્થિત-એક જ પ્રકારના જાણવા. પ્રથમથી આરંભી છવીશ સુધીના અઢાર ભાંગાઓ વિચારણાથી અને સ્થાપનાથી પૂર્વની પેઠે વિચારવા. પરંતુ ‘વરમજી અત્તમૌ હૈં અવવ્યો =' એક ચરમ, બે અચરમ અને બે અવક્તવ્ય-એ પ્રકારનો બાવીશમો ભાંગો સ્થાપના વડે આ પ્રમાણે છે–ત્ (પ્ર૦)દ્ધિપ્રદેશાદિ સંન્ધના ‘અવક્તવ્યો’બે અવક્તવ્યરૂપ છઠ્ઠા ભાંગાનો કેમ નિષેધ કરો છો? કારણ કે તે યુક્તિથી સંભવે છે. તે આ પ્રમાણે—જ્યારે એક પરમાણુ એક આકાશપ્રદેશમાં અને બીજો વિશ્રેણિમાં રહેલા બીજા આકાશપ્રદેશમાં હોય, સ્થાપના—ઈ ત્યારે એક અવક્તવ્ય અને બીજો પણ અવક્તવ્ય—એમ ‘અવક્તવ્યો’ બે અવક્તવ્યરૂપ છઠ્ઠો ભંગ સંભવે છે, ત્રિપ્રદેશિક સ્કન્ધના વિચારમાં એક પ્રદેશમાં એક ૫૨માણુ અને વિશ્રેણિમાં રહેલા બીજા પ્રદેશમાં []] બે, એમ, ચતુઃપ્રદેશિક સ્કન્ધના વિચારમાં પ્રત્યેકમાં બબ્બે પરમાણુઓ હોય, [ ]] (ઉ)—તારી શંકા બરોબર છે, પરંતુ જગતમાં એવા પ્રકારના પુદ્ગલ દ્રવ્યો નથી. (પ્ર0)—એમ શાથી જાણી શકાય? (ઉ0)—આ ભાંગાઓનો પ્રતિષેધ કરવાથી જ જાણી શકાય છે. જો તેવા પ્રકારના દ્રવ્યો હોત તો આચાર્ય તેનો વિરોધ ન કરત. અથવા તેવા પ્રકારના દ્રવ્યોનો સંભવ હોય તો ભાંગાઓનો જાતિવાચી નિર્દેશ હોવાથી તેઓનો ત્રીજા ભાંગામાં જ અન્તર્ભાવ જાણવો. જેમ આઠપ્રદેશી સ્કન્ધના ભાંગાઓનો પ્રતિષેધ કર્યો અને તેઓનું વિધાન કર્યું તેમ પ્રત્યેક સંખ્યાતપ્રદેશી અને અસંખ્યાતપ્રદેશી સ્કન્ધના ભાંગાઓ કહેવા. તે આ પ્રમાણે કહે છે—‘સંવે—પતિણ્ અસંઘે પસિદ્'—સંખ્યાતપ્રદેશી અને અસંખ્યાતપ્રદેશી–ઇત્યાદિ પાઠસિદ્ધ છે. પરંતુ બધેય સ્થળે આ વિચાર જાણવો-ઇત્યાદિ આકાશપ્રદેશમાં આઠ પ્રદેશી વગેરે સ્કન્ધો રહી શકે છે. માટે ઉપર કહેલા બધાય ભાંગાઓ ઘટે છે. (પ્ર0)—હે ભગવન્! અસંખ્યાતપ્રદેશી અને અનન્તપ્રદેશી સ્કન્ધો એક આકાશપ્રદેશમાં કેમ રહી શકે? (૩૦)—તેવા પ્રકારની શક્તિથી રહી શકે છે. આ વાત અયુક્ત નથી, પણ યુક્તિથી સંભવે છે. તે આ પ્રમાણેઅનન્તાઅનન્ત દ્વિપ્રદેશિક સ્કન્ધો, યાવત્–અનન્તાઅનન્ત સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો, અનન્તાઅનન્ત અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધો અને અનન્તાઅનન્ત અનન્ત પ્રદેશિક સ્કન્ધો છે. અને લોક બધો મળીને પણ અસંખ્યપ્રદેશાત્મક છે. તે બધા સ્કન્ધો લોકમાં જ રહેલા છે, અલોકમાં નથી, તેથી નિશ્ચય થાય છે કે એક આકાશપ્રદેશમાં ઘણા પરમાણુઓ, ઘણા દ્વિપ્રદેશિક સ્કન્ધો, યાવત્– ઘણા અનન્તપ્રદેશાત્મક સ્કન્ધો રહેલા છે. અહીં પૂર્વાચાર્યો પ્રદીપનું દૃષ્ટાંત વર્ણવે છે—જેમકે ઘરમાં સળગાવેલા એક દીવાના પ્રકાશના બધા અણુઓ ઘરમાં વ્યાપ્ત થાય છે, તેવી રીતે હજાર પ્રદીપ કર્યા હોય તો તે પ્રત્યેકના પ્રકાશના અણુઓ વ્યાપ્ત થાય છે, વળી દરેક પ્રદીપના પ્રકાશના પરમાણુઓ જુદા નથી એમ નથી, પણ અવશ્ય જુદા છે. કારણ કે ઘ૨માં ૨હેલા પુરુષને દરેક પ્રદીપની છાયા વગેરે દેખાય છે. માટે જેમ સ્થૂલ છતાં પ્રદીપના પ્રકાશના પરમાણુઓ એક જ આકાશના પ્રદેશમાં રહી શકે છે, 355
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy