SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ दसमं चरमाचरमपयं परमाणु पोग्गलाइणं चरिमाचरिमाइ विभागो હોવાના લીધે અને એક વર્ણ, એક ગંધ, એક રસ અને એક સ્પર્શવાળા હોવાથી એકપણાનો વ્યવહાર થાય છે. અને એકપણાનો વ્યવહાર થવાથી “ચરમ' કહેવાય છે, જે વચ્ચે બે પરમાણુ છે તે એકત્વ પરિણામ વડે પરિણત થયેલા હોવાથી અચરમ' કહેવાય છે. આઠમો ભાંગોવરમશ ગવરમી ૨' ચરમ અને બે અચરમ હોય. તેમાં જ્યારે તેજ છપ્રદેશવાળો સ્કન્ધ એક આકાશપ્રદેશને ચોતરફ વીંટીને રહેલા અને એક અધિક એમ છ આકાશ પ્રદેશમાં આ પ્રમાણે રહે છે, સ્થાપના-ગગ ત્યારે અન્ને ચોતરફ વીંટીને રહેલા ચાર પરમાણુઓ પૂર્વે કહેલી યુક્તિથી મધ્યવર્તી બે પરમાણુના સંબન્ધી પરિણામ વડે પરિણત થયેલા હોવાથી અને એકસમાન વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા હોવાથી એક ચરમ અને વચ્ચે બે આકાશપ્રદેશમાં રહેલા બે પરમાણુઓ 'મરમી' બે અચરમરૂપ છે. અન્ય આચાર્યો એમ કહે છે કે પર્યન્તવર્તી ચાર પરમાણુઓને બીજા આકાશપ્રદેશોનું અન્તર હોવાથી તેમાં એકપણાનો પરિણામ થતો નથી. અને તેના અભાવથી આ આઠમો ભાંગો ઘટી શકતો નથી, તેથી તેનો સૂત્રમાં પ્રતિષેધ કર્યો છે, કારણ કે એ સંબધે આગળ કહેવામાં આવશે કે “વિવાથ-પગ્ન-છઠું" એ પ્રાકૃત શૈલીથી છટ્ટઅઢું” એ બે પદનો નિર્દેશ કર્યો છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે થાય છે-છઠ્ઠો અને આઠમો ભાંગો છોડીને બીજા ભાંગા જાણવા. જો આવો ભાંગો હોય તો આવી રીતે જાણવો–એક પરમાણને વીંટીને રહેલા નિરંતર જે ચાર પરમાણુઓ છે તે તેવા પ્રકારના એકત્વ પરિણામવડે પરિણત થયેલા હોવાને લીધે ચરમ છે. તેથી અધિક પરમાણુ છતાં પણ તેનો સમશ્રેણિવડે જ સંબધ હોવાથી જુદો નથી, માટે તે અધિક પરમાણુ પણ તે જ ચરમમાં ગણવો. એમ એક થરમ થાય છે. વળી જે અધિકના મધ્યમાં રહેલો છે તે મધ્યવર્તી હોવાથી અને અનેકરૂપે પરિણામી હોવાથી વસ્તુતઃ અચરમ છતાં પણ પૂર્વોક્ત હેતુથી ‘પરી’ બે અચરમ હોય-એવો ભાંગો થાય છે. અહીં પણ કંઈ વિરોધ નથી. અહીં તત્ત્વ કેવલજ્ઞાની ગમ્ય છે. નવમો ભાંગો‘વરની ૨ - વિરમગ્ન' બે ચરમ અને એક અથરમ હોય. જ્યારે તેજ છપ્રદેશવાળો સ્કન્ધ સમશ્રેણિથી રહેલા ત્રણ આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે-એક એક આકાશપ્રદેશમાં બબ્બે પરમાણુઓ, સ્થાપના–-oooo[e] ત્યારે આદિના પ્રદેશમાં રહેલા બે પરમાણુ ચરમ અને છેલ્લા પ્રદેશમાં રહેલા બે પરમાણુઓ ચરમ, એમ વરની બે ચરમ અને મધ્ય પ્રદેશવર્તી બે પરમાણુ એક પરમાણુ એક અચરમ કહેવાય છે. દસમો ભાંગો–‘વરી ૨ ગરમી '—બે ચરમ અને બે અચરમ. તે આ પ્રમાણે-જ્યારે તે છપ્રદેશવાળો સ્કન્ધ સમશ્રેણિએ રહેલો ચાર આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે-પ્રથમ પ્રદેશમાં બે પરમાણ, બીજામાં બે, ત્રીજામાં એક અને ચોથામાં એક, સ્થાપના-]૦ગેવગે ત્યારે પ્રથમ પ્રદેશવર્તી બે પરમાણુઓ ચરમ, છેલ્લા પ્રદેશવર્તી એક - પરમાણુ ચરમ, એમ બે ચરમ, બીજા પ્રદેશમાં રહેલા બે પરમાણુ એક, અચરમ, ત્રીજા પ્રદેશમાં રહેલો એક પરમાણુ અચરમ, એમ બે અચરમ થાય છે. અગિયારમો ભાંગો-વરમશ વક્તવ્યશ' ચરમ અને અવક્તવ્ય. તે આ પ્રમાણે-જ્યારે તેજ છપ્રદેશવાળો સ્કન્ધ સમશ્રેણિ અને વિશ્રેણિએ રહેલા ત્રણ આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે–પ્રથમ પ્રદેશમાં બે, અને તેની સમશ્રેણિએ રહેલા બીજા પ્રદેશમાં બે અને વિશ્રેણિમાં રહેલા ત્રીજા પ્રદેશમાં બે, સ્થાપના- ૦| ત્યારે બે પ્રદેશમાં રહેલા ચાર પરમાણુઓ સમશ્રેણિએ રહેલા વિપ્રદેશાવગાઢ ઢિપ્રદેશિક સ્કન્ધની પેઠે એક ચરમ અન વિશ્રેણિમાં રહેલા આકાશપ્રદેશમાં અવગાઢ બે પરમાણુઓ એક પરમાણુની પેઠે અવક્તવ્ય હોય છે. બારમો ભાગો–પરમથ મવવાવ્ય 'એક ચરમ અને બે અવક્તવ્ય હોય. તેમાં જ્યારે તે છપ્રદેશવાળો સ્કન્ધ સમશ્રેણિ અને વિશ્રેણિથી ચાર આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે-બે પરમાણુ પ્રથમ પ્રદેશમાં તેની સમશ્રેણિએ રહેલા બીજા પ્રદેશમાં બે પરમાણુ, એક તેના ઉપર ત્રીજા પ્રદેશમાં અને એક નીચે ૧.યાપિ આ. સમિતિ તરફથી મુદ્રિત અને શાંતિસાગરના ભંડારની પ્રતિમાં ‘વાના પરમાપૂનાં ક્ષેત્રપ્રવેશાત્તરવ્યવહતધત્વપરિણાનો ને પતિ '—એવો પાઠ મળે છે, પરંતુ તેનો અર્થ સત થતો નથી, જો- ક્ષેત્રપ્રદેશાત્તરવ્યવહતવાવેવત્વપરિણામો પતિ' એવો પાઠ . હોય તો અર્થ સત થાય છે. તેથી એ પાઠ કલ્પી ઉપર પ્રમાણે અર્થ કર્યો છે. . 350
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy