________________
श्री प्रज्ञापना सूत्र भाग १
दसमं चरमाचरमपयं लोगालोगाणं चरिमाचरिमविभागो રત્નપ્રભા પથિવ ચરમ નથી, કેમકે ચરમપણે બીજી વસ્તુની અપેક્ષાએ છે, અને અહીં અપેક્ષા રાખવા યોગ્ય અન્ય વસ્તુ નથી, કારણ કે અહીં માત્ર અન્ય વસ્તુની અપેક્ષા સિવાય કેવળ રત્નપ્રભાનો જ પ્રશ્ન કર્યો છે. આ જ કારણથી અચરમ પણ નથી. તે આ પ્રમાણે-અચરમપણે પણ અન્ય વસ્તુની અપેક્ષાએ છે, અહીં અપેક્ષા રાખવા યોગ્ય અન્ય વસ્તુ વિવલિત નથી, ભાવાર્થ એ છે કે-આ રત્નપ્રભા પૃથિવી ચરમ નથી, તેમ મધ્યવર્તી પણ નથી, કારણ કે ચરમપણું અને અચરમપણે અન્ય વસ્તુની અપેક્ષાએ હોય છે અને અપેક્ષા રાખવા યોગ્ય અન્યની વિવક્ષા કરી નથી. આ કારણથી વરમાળ'—બહુવચનાન્ત ચરમ પણ નથી, કેમકે અપેક્ષા રાખવા યોગ્ય અન્ય વસ્તુ વિવક્ષિત નહિ હોવાથી તેવા પ્રકારના વ્યવહારનો જ અસમ્ભવ છે, તેથી બહુવચનાન્ત ચરમપણાનો પણ અસમ્ભવ છે. તે આ પ્રમાણે--જ્યારે તે રત્નપ્રભાના ચરમપણાનો વ્યવહાર જ ઉપર કહેલી યુક્તિથી ઘટતો નથી ત્યારે તે સમ્બન્ધ બહુવચનાન્ત ચરમપણું શી રીતે ઘટે? એ પ્રમાણે બહુવચનાન્ત અચરમભાનો પણ પ્રતિષેધ કરવો. કારણ કે ઉપર કહેલી યુક્તિથી અચરમપણાના વ્યવહારનો પણ અસમ્ભવ છે. તેમજ તે ચરમાન્તપ્રદેશરૂપ-પ્રાન્ત ભાગમાં રહેલા પ્રદેશરૂપ અને અચરમાન્તપ્રદેશરૂપ-મધ્યભાગમાં રહેલા પ્રદેશરૂપ પણ નથી. કારણ કે પૂર્વોક્ત યુક્તિવડે ચરમપણાનો અને અચરમપણાનો અભાવ હોવાથી તેના પ્રદેશની કલ્પનાનો પણ અસંભવ છે. જો એમ છે તો તે રત્નપ્રભા કેવા સ્વરૂપવાળી છે? તેના ઉત્તરમાં કહે છે-તે અવશ્ય અચરમ-એકવચનાન્ત અચરમ અને “ચરમાણિ–બહુવચનાન્ત ચરમરૂપ છે. તેનો ભાવાર્થ આ છે-જો આ રત્નપ્રભાને અખંડરૂપે વિવક્ષા કરીને પૂછિએ તો પૂર્વોક્ત ભવોમાંથી એક પણ ભગવડે તેનો વ્યવહાર થતો નથી, પણ જો તે અસહયાતપ્રદેશાવગાઢ હોવાથી અનેક અવયવોના વિભાગરૂપે તેની વિવક્ષા કરીએ તો તે પૂર્વે કહેલા ઉત્તરનો વિષય થાય છે. તે આ પ્રમાણે-રત્નપ્રભા પૃથિવી આ પ્રકારે રહેલી છે અને એ પ્રમાણે રહેલી રત્નપ્રભાના પ્રાન્ત ભાગને વિષે રહેલા જે લોકાન્તનિષ્ફટરૂપખંડો છે તે પ્રત્યેક તથાવિધ વિશિષ્ટ એકરૂપ પરિણામ વડે પરિણત છે માટે તે
ચરમાણિ’ બહુવચનાત્ત ચરમરૂપ છે. અને જે પ્રાન્ત ભાગના ખંડો સિવાયના મધ્ય ભાગમાં રત્નપ્રભાનો મોટો ખંડ છે. તે તથા - વિધ એકરૂપ પરિણામવાળો હોવાથી તેની એકરૂપે વિવક્ષા કરી છે, માટે તે ‘અવર' એકવચનાત્ત અચરમરૂપ છે. આ રત્નપ્રભા મધ્યવર્તી ખંડ અને પ્રાન્તભાગમાં રહેલા ખંડો એ ઉભયના સમુદાયરૂપ છે. જો એમ ન હોય તો રત્નપ્રભાના અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય. એ પ્રમાણે અવયવ અને અવયવીરૂપે વિચાર કરતાં ‘વર' એકવચનાન્ત અચરમરૂપ અને “વરમાળ' બહુવચનાન્ત ચરમરૂપ એમ અખંડ એક ઉત્તરના વિષયરૂપે રત્નપ્રભાનું પ્રતિપાદન કર્યું. હવે જ્યારે પ્રદેશરૂપે વિચાર કરીએ ત્યારે તેનો આ પ્રમાણે ઉત્તર છે–પરમાત્તપ્રદેશ8 અરમાન્તપ્રદેશાઇ'–બહુવચનાન્ત ચરમાન્તપ્રદેશરૂપ અને અચરમાત્તપ્રદેશરૂપ છે. તે આ પ્રમાણે--લોકાન્તનિષ્ફટરૂપ બહારના ખંડોમાં જે પ્રદેશો રહેલા છે તે ચરમાનપદેશો અને મધ્યવર્તી એક ખંડમાં જે પ્રદેશો રહેલા છે તે અચરમાન્તપ્રદેશો છે. અન્ય આચાર્યો આ પ્રમાણે વ્યાખ્યા કરે છે-“માળિ' તથાવિધ પ્રવિષ્ટ–અન્દર ગયેલાથી ઇતર-પ્રાન્ત ભાગના એક પ્રદેશની શ્રેણિના સમુદાયરૂપે બહુવચન વિશિષ્ટ ચરમ ખંડો અને તેનો મધ્વર્તી ભાગ તે અચરમ ખંડ કહેવાય છે, તે પણ નિર્દોષ હોવાથી યોગ્ય છે. યથોક્ત સ્વરૂપ પ્રાન્ત ભાગની એક શ્રેણિના સમુદાયમાં રહેલા પ્રદેશો ‘વરમીનપ્રવેશ:' ચરમાન્તપ્રદેશો અને તેના મધ્ય ભાગમાં રહેલા અરમાનપ્રવેશ:' અચરમાન્તપ્રદેશો કહેવાય છે. એકાન્ત દુર્નયનો નિરોધ કરવામાં પ્રધાન આ ઉત્તરસૂત્ર વડે રત્નપ્રભાદિક વસ્તુ અવયવ અને અવયવીરૂપી છે, અને તે અવયવ અને અવયવીનો કથંચિદ્ ભેદ અને કથંચિત્ અભેદ છે એમ જણાવ્યું. તે અવયવ અને અવયવી સ્વરૂપ વસ્તુ માનવામાં જે પ્રકારે બીજાએ આપેલા દૂષણોનો અવકાશ નથી તે પ્રકારે ધર્મસંગ્રહણીની ટીકામાં બાહ્ય વસ્તુનું સ્થાપન કરવાના પ્રસંગે પ્રતિપાદન કર્યું છે, તે ત્યાંથી જાણી લેવું. ‘એ પ્રમાણે યાવત્ નીચેની સાતમી નરકમૃથિવી સુધી જાણવું' ઇત્યાદિ. જેમ રત્નપ્રભા પૃથિવીનું સ્વરૂપ પ્રશ્ન અને ઉત્તર વડે કહ્યું તેમ શર્કરાપ્રભાદિ પૃથિવીઓ સૌધમદિ અનુત્તર વિમાન પર્યન્ત વિમાનો, ઈષ~ાશ્મારા પૃથિવી અને લોક સંબંધે જાણવું. સૂત્રપાઠ પણ સુગમ હોવાથી સ્વયં વિચારી લેવો. તે
૧. ધર્મસંગ્રહણી સટીક. આ. સ. ગા. ૬૩૭ ૫. ૨૩૯-૨
338