________________
श्री प्रज्ञापना सूत्र भाग १
अमं सन्नापयं देवाणं सण्णावियारो છે, તેથી પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, અને તેથી મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા હોય છે. ૫૩૪૧॥
(ટી૦) મનુષ્યો પણ બાહ્ય કારણને આશ્રયી બહુધા મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે, અને બાકીની સંજ્ઞાના ઉપયોગવાળા થોડા હોય છે. અન્તરના અનુભવભાવરૂપ સંતતિભાવને આશ્રયી આહારસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે, યાવત્– પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે. અલ્પબહુત્વના વિચારમાં સૌથી થોડા ભયસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે, કારણ કે થોડા જીવોને અને થોડા કાળ સુધી ભયસંજ્ઞાનો સમ્ભવ છે. તેથી આહા૨સંજ્ઞાના ઉપયોગવાળા સચાતગુણા હોય છે. કારણ કે આહા૨સંજ્ઞાનો ઉપયોગ ઘણા કાળ સુધી હોય છે. એજ રીતે પરિગ્રહસંજ્ઞાનો ઘણો કાળ હોવાથી પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા સયાતગુણા છે. તેથી મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા સ“ચાતગુણા છે, કારણ કે મૈથુનસંશા અતિ ઘણા કાળ સુધી હોવાથી પ્રશ્ન સમયે તેઓ અતિ ઘણા પ્રાપ્ત થાય છે. ।।૫।।૩૪૧॥
|| લેવાનું સપ્નાવિયારો ||
देवा णं भंते! किं आहारसन्नोवउत्ता, जाव परिग्गहसन्नोवउत्ता ? गोयमा ! ओसन्नं कारणं पडुच्च परिग्गहसन्नोवउत्ता, संततिभावं पडुच्च आहारसन्नोवउत्ता वि, जाव परिग्गहसन्नोवउत्ता वि । एएसि णं भंते! देवाणं आहारसन्नोवउत्ताणं जाव परिग्गहसन्नोवउत्ताण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा देवा आहारसन्नोवउत्ता, भयसन्नोवउत्ता संखिज्जगुणा, मेहुणसन्नोवउत्ता संखेज्जगुणा ાિહતન્નોવત્તા સંોબ્નનુળા મૂદ્દારૂ૪૨।।
इति पन्नवणार भगवईए अट्ठमं सन्नापदं समत्तं । (મૂળ) હે ભગવન્! દેવો આહારસંજ્ઞાના ઉપયોગવાળા, યાવત્—પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે? હે ગૌતમ! પ્રાયઃ બાહ્ય કારણને આશ્રયી પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે અને સંતતિભાવને આશ્રયી આહારસંજ્ઞાના ઉપયોગવાળા અને યાવત્—પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે. હે ભગવન્! આહારસંજ્ઞાના ઉપયોગવાળા, યાવત્— પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા દેવોમાં કોણ કોનાથી યાવત્—અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ! સૌથી થોડા દેવો આહારસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. તેથી સંખ્યાતગુણા ભયસંજ્ઞાના ઉપયોગવાળા, તેથી સંખ્યાતગુણા મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા અને તેથી સંખ્યાતગુણા પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. ૬૩૪૨॥ પ્રજ્ઞાપના ભગવતીમાં આઠમું સંજ્ઞાપદ સમાપ્ત.
(ટી૦) બાહ્ય કારણને આશ્રયી દેવો ઘણા ભાગે પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે, કારણ કે પરિગ્રહસંજ્ઞાના ઉપયોગમાં કારણભૂત મણિ, સુવર્ણ અને રત્નાદિ હમેશાં તેઓની પાસે હોય છે. અને ઉક્ત સ્વરૂપ સંતતિભાવને આશ્રયી તેઓ આહા૨સંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે, યાવત્—પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે. અલ્પબહુત્વના વિચા૨માં સૌથી થોડા આહારસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. કારણ કે આહારની ઇચ્છાનો વિરહકાળ અત્યન્ત ઘણો હોવાથી અને આહા૨સંજ્ઞાનો ઉપયોગકાળ અત્યન્ત થોડો હોવાથી પ્રશ્ન સમયે તેઓ સૌથી થોડા પ્રાપ્ત થાય છે. તેથી ભયસંજ્ઞાના ઉપયોગવાળા સૌંચાતગુણા છે, કારણ કે ભયસંજ્ઞા ઘણા જીવોને અને ઘણા કાળ સુધી હોય છે, તેથી પણ મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે તેથી પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા સૌંચાતગુણા છે, જીવોની અપેક્ષાએ બહુ જીવો કયા છે તે કહેવાનું હતું અને તેઓનો તે પ્રકારે વિચાર કર્યો છે. ।।૬।।૩૪૨||
શ્રીમદાચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપનાટીકાના અનુવાદમાં આઠમું સંજ્ઞાપદ સમાપ્ત.
330