SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ अट्ठमं सन्नापयं नेरयाईणं सण्णाओ श्री प्रज्ञापना सूत्र भाग १ || અઠ્ઠમ સનાવયં || વડ નં મંતે! સન્નાઓ પત્નત્તાઓ? શોથમા! વસ સન્નાઓ પત્નત્તાઓ, તં નહા--આહારસના, યસનો, મેહુલના, પાિહતન્ના, જોહતન્ના, માગસના, માયાતના, લોહસના, તોયસના, ઓષસના IR॰-||૩૩૭|| આઠમું સંજ્ઞા પદ. (મૂળ) હે ભગવન્! કેટલી સંજ્ઞાઓ કહી છે? હે ગૌતમ! દસ સંજ્ઞાઓ કહી છે, તે આ પ્રમાણે—૧ આહારસંશા, ૨ ભયસંજ્ઞા, ૩ મૈથુનસંજ્ઞા, ૪ પરિગ્રહસંજ્ઞા, ૫ ક્રોધસંજ્ઞા, ૬ માનસંજ્ઞા, ૭ માયાસંજ્ઞા, ૮ લોભસંજ્ઞા, ૯ લોકસંજ્ઞા અને ૧૦ ઓઘસંજ્ઞા. ।।૧।।૩૩૭/૧ (ટી) એ પ્રમાણે સાતમા પદની વ્યાખ્યા કરી, હવે આઠમા પદનો પ્રારંભ કરાય છે, તેનો સંબન્ધ આ પ્રમાણે છે—પૂર્વના પદમાં જીવોની ઉચ્છ્વાસપર્યાપ્તિનામકર્મ અને યોગને આશ્રિત ઉચ્છ્વાસક્રિયા તેનો વિરહકાળ અને અવિરહકાળના પ્રમાણ વડે કહી, હવે વેદનીય અને મોહનીય ઉદયને આશ્રિત તથા જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ક્ષયોપશમજન્ય આત્મપરિણામને આશ્રયી પ્રશ્નસૂત્ર કહે છે—રૂં ાં મંતે! સન્નાઓ પન્નત્તાઓ'?–હે ભગવન્! કેટલી સંજ્ઞાઓ કહી છે? ‘સંજ્ઞાનં સંજ્ઞા' એટલે` આભોગ, ઉપયોગ, અથવા ‘સંશાયતે અનયા’ જે વડે ‘આ જીવ છે' એમ ઓળખાય તે સંજ્ઞા. આ બન્ને વ્યુત્પત્તિમાં વેદનીય અને મોહનીયના ઉદયને આશ્રિત અને જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મના ક્ષયોપશમને આશ્રિત વિચિત્ર આહારાદિ પ્રાપ્ત કરવાની ક્રિયા તે સંજ્ઞા કહેવાય છે. તે સંજ્ઞા ઉપાધિના (વિશેષણના) ભેદથી દસ પ્રકારની છે, તે પ્રકારે ભગવાન્ ઉત્ત૨ આપે છે—‘હે ગૌતમ! સંજ્ઞા દસ પ્રકારની કહી છે.' તેના દસ પ્રકાર નામના ઉચ્ચારપૂર્વક જણાવે છે– ‘આહારસન્ના' ઇત્યાદિ. તેમા ૧ ક્ષુધા વેદનીયના ઉદયથી જે કવલાદિ આહારને માટે તેવા પ્રકારના પુદ્ગલોને ગ્રહણ કરવાની ક્રિયા તે આહારસંશા, કારણ કે તે આહારસંશા ઇચ્છારૂપ હોવાથી આભોગ-ઉપયોગરૂપ છે. અથવા ‘સંજ્ઞાયતેનયા' જે વડે જીવ ઓળખાય, આહાર ગ્રહણ કરવાની ક્રિયા વડે જીવ ઓળખાય છે માટે તે સંજ્ઞા કહેવાય છે. આ પ્રમાણે બધે સ્થળે વિચાર કરવો. ૨ ભયમોહનીયના ઉદયથી ભયભીત થયેલા પ્રાણીની દૃષ્ટિ અને મુખના વિકાર, તથા રોમાંચ થવારૂપ જે ક્રિયા તે ભયસંજ્ઞા. ૩ પુરુષવેદના ઉદયથી મૈથુનને માટે સ્ત્રીદર્શન, વદનની પ્રસન્નતા, ઉરુનું સ્તંભન અને કંપ પ્રમુખ જે ક્રિયા તે મૈથુનસંશા. ૪. લોભના ઉદયથી સંસારના પ્રધાન કારણભૂત રાગપૂર્વક સચેતન અને અચેતન દ્રવ્યને ગ્રહણ કરવાની ક્રિયા તે પરિગ્રહસંજ્ઞા. ૫ ક્રોધવેદનીયના ઉદયથી ક્રોધના આવેશગર્ભિત પુરુષના મુખ, નેત્ર, અને હોઠના સ્ફુરણ-કંપ વગેરેની ક્રિયા તે ક્રોધસંજ્ઞા. ૬ માનના ઉદયથી અહંકારરૂપ ગર્વાદિનો પરિણામ તે માનસંજ્ઞા, ૭ માયાવેદનીય વડે અશુભ સંક્લેશથી અસત્ય ભાષણાદિરૂપ ક્રિયા તે માયાસંજ્ઞા, લોભવેદનીયના ઉદયથી લાલચવડે સચેતન અને અચેતન દ્રવ્યની ઇચ્છા તે લોભસંજ્ઞા. ૯ મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી શબ્દ-રૂપાદિ અર્થવિષયક સામાન્ય અવબોધની ક્રિયા તે ઓઘસંજ્ઞા. ૯ અને તેના વિશેષ અવબોધની ક્રિયા તે લોકસંજ્ઞા. એ રીતે દર્શનોપયોગ એ ઓઘસંજ્ઞા અને જ્ઞાનોપયોગ એ લોકસંજ્ઞા કહેવાય છે. આ સંબન્ધે બીજા આચાર્યો કહે છે— “સામાન્ય પ્રકૃત્તિ તે ઓઘસંજ્ઞા. જેમ વેલનું વાડ ઉપર ચઢવું વગેરે. લોકની જે ત્યાજ્ય પ્રવૃત્તિ તે લોકસંજ્ઞા.” એ પ્રમાણે આ સંજ્ઞાઓનો સ્પષ્ટરૂપે સુખપૂર્વક બોધ થવાને માટે પંચેન્દ્રિયોને આશ્રયી વ્યાખ્યા કરી. એકેન્દ્રિયોને આ સંજ્ઞાઓ અવ્યક્તરૂપે જાણવી.।।૧।।૩૩૭।। ।। નેરયાń સબ્જાનો || નેવાળ મંતા ઋતિ સન્નાઓ પત્નત્તાઓ? ગોયમા! વૃત્ત સનાઓ પન્નત્તાઓ, તં નહી--સાહારના, નાવ ઓષતના અણુમારાં મંતે! ડ્ સનાબો પન્નત્તાલો? ગોયમા! વસ સન્નાો પન્નત્તાઓ, તે નહા आहारसन्ना,जाव ओघसन्ना, एवं जाव थणियकुमाराणं । एवं पुढविकाइयाणं जाव वेमाणियावसाणाणं णेयव्वं IR॰-૨||૩૩૮।। 327
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy