________________
पंचमं विसेसपयं अजीव पज्जवा
श्री प्रज्ञापना सूत्र भाग १
अणतपएसियस्स खंधस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए छट्टाणवडिए, ओगाहणट्टयाए तुल्ले, ठिईए चउट्ठाणवडिए, वण्णाइ-उवरिल्लचउफासेहिं छट्ठाणवडिए । उक्कोसोगाहणए वि एवं चेव, नवरं ठिईए वि तुल्ले | अजहन्नमणुक्कोसोगाहणगाणं भंते! अणंतपरसियाणं पुच्छा। गोयमा ! अनंता पज्जवा पन्नत्ता । से केणद्वेणं भंते! एवं वुच्चइ ? गोयमा ! अजहन्नमणुक्कोसोगाहणए अनंतपएसिए खंधे अजहन्नमणुक्कोसोगाहणगस्स अणंतपरसियस्स खंधस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए छट्ठाणवडिए, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णाइअट्ठफासेहिं छट्ठाणवडिए । सू० - २८ ।। २७३ ।।
(મૂળ) જઘન્યઅવગાહનાવાળા દ્વિપ્રદેશિક સ્કન્ધોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જાન્યઅવગાહનાવાળો દ્વિપ્રદેશિક સ્કંધ જઘન્યઅવગાહનાવાળા દ્વિપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, કાળાવર્ણપર્યાય વડે, બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષપર્યાય વડે છસ્થાન પતિત છે. તે માટે હે ગૌતમ! એમ કહું છું કે જઘન્યઅવગાહનાવાળા દ્વિપ્રદેશિક પુદ્ગલોના અનન્ત પર્યાયો કહ્યા છે. ઉત્કૃષ્ટઅવગાહનાવાળાના સંબંધમાં પણ એમજ સમજવું. મધ્યમઅવગાહનાવાળા દ્વિપ્રદેશિક સ્કેન્ધ નથી. જઘન્યઅવગાહનાવાળા ત્રિપ્રદેશિક પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જેમ જઘન્યઅવગાહનાવાળા દ્વિપ્રદેશિક સ્કંધના સંબંધમાં કહ્યું તેમ જાણવું. ઉત્કૃષ્ટઅવગાહનાવાળાના સંબંધમાં પણ એમજ સમજવું. એ પ્રમાણે મધ્યમઅવગાહનાવાળાના સંબંધમાં પણ જાણવું. જઘન્યઅવગાહનાવાળા ચતુઃપ્રદેશિક પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! જેમ જઘન્યઅવગાહનાવાળા દ્વિપ્રદેશિકના સંબંધમાં કહ્યું તેમ જઘન્યઅવગાહનાવાળા ચતુઃપ્રદેશિક સ્કન્ધના સંબંધમાં પણ કહેવું. જેમ ઉત્કૃષ્ટઅવગાહનાવાળો દ્વિપ્રદેશિક સ્કન્ધ કહ્યો તેમ ઉત્કૃષ્ટઅવગાહનાવાળો ચતુઃપ્રદેશિક સ્કન્ધ પણ કહેવો. એમ મધ્યમઅવગાહનાવાળો ચતુઃપ્રદેશિક સ્કન્ધ પણ જાણવો. પરન્તુ અવગાહના વડે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય, જો અધિક હોય તો પ્રદેશ અધિક હોય. એ પ્રમાણે યાવત્– દશ પ્રદેશિક સ્કન્ધ સુધી જાણવું. પરન્તુ મધ્યમ અવગાહના સંબંધી પ્રદેશની વૃદ્ધિ કરવી. યાવદ્-દસ પ્રદેશિકને સાત પ્રદેશોની વૃદ્ધિ કરવી. જઘન્યઅવગાહનાવાળા સંખ્યાતપ્રદેશિક પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા, હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યઅવગાહનાવાળો સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ જઘન્યઅવગાહનાવાળા સંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે દ્વિસ્થાનપતિત છે, અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વદિ તથા ચાર સ્પર્શ પર્યાય વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઅવગાહનાવાળા સ્કન્ધના સંબંધમાં જાણવું. મધ્યમઅવગાહનાવાળા સ્કન્ધના સંબંધમાં પણ એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાન–મધ્યમ અવગાહનાને આશ્રયી દ્વિસ્થાનપતિત છે. જઘન્યઅવગાહનાવાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યઅવગાહનાવાળો અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ જઘન્યઅવગાહનાવાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે ચતુઃસ્થાન પતિત છે, અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે. વર્ણાદિ તથા ઉપ૨ના ચાર સ્પર્શી વડે છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઅવગાહનાવાળા સ્કન્ધના સંબંધમાં જાણવું. મધ્યમઅવગાહનાવાળા સ્કન્ધના સંબંધમાં પણ એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાન–મધ્યમ અવગાહનાને આશ્રયી ચતુઃસ્થાન પતિત છે. જઘન્યઅવગાહનાવાળા અનન્તપ્રદેશિક સ્કન્ધોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો
287