SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ पंचमं विसेसपयं अजीव पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ કે એકપ્રદેશાવગાઢ હોય ત્યારે તે અવગાહનાવડે તુલ્ય છે, પરંતુ જ્યારે એક ત્રિપ્રદેશાવગાઢ કે દ્વિપ્રદેશાવગાઢ હોય અને બીજો દ્વિપ્રદેશાવગાઢ કે એકપ્રદેશાવગાઢ હોય ત્યારે દ્વિપ્રદેશાવગાઢ અને એકપ્રદેશાવગાઢ અનુક્રમે ત્રિપ્રદેશાવગાઢ અને દ્વિપ્રદેશાવગાઢની અપેક્ષાએ એક પ્રદેશ ન્યૂન હોય છે. અને ત્રિપ્રદેશાવગાઢ અને દ્વિપ્રદેશાવગાઢ તેની અપેક્ષાએ એક પ્રદેશ અધિક હોય છે. જ્યારે એક ત્રિપ્રદેશાવગાઢ છે અને બીજો એકપ્રદેશાવગાઢ છે ત્યારે એકપ્રદેશાવગાઢ સ્કન્ધ ત્રિપ્રદેશાવગાઢની અપેક્ષાએ બે પ્રદેશ ન્યૂન છે, અને ત્રિપ્રદેશાવગાઢ તેની અપેક્ષાએ બે પ્રદેશ અધિક છે. એ પ્રમાણે એક એક પ્રદેશની વૃદ્ધિ કરવા વડે ચતુઃપ્રદેશાદિ સ્કન્ધને વિષે હાનિ અથવા વૃદ્ધિ યાવત્ દસપ્રદેશવાળા સ્કંધ સુધી કહેવી. તે દસ પ્રદેશના સ્કન્ધને વિષે આ પ્રમાણે કહેવું–‘જો ન્યૂન હોય તો એક પ્રદેશ, બે પ્રદેશ, યાવત્–નવ પ્રદેશ ન્યૂન હોય, જો અધિક હોય તો એક પ્રદેશ અધિક બે પ્રદેશ અધિક યાવત્–નવ પ્રદેશ અધિક હોય. એ બધો વિચાર પૂર્વે કહ્યા પ્રમાણે સ્વયં કરવો. સંખ્યાતપ્રદેશિક સૂત્રમાં સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ ‘અવગાહનારૂપે દ્વિસ્થાનપતિત હોય છે.' અને તે દ્વિસ્થાનક સંખ્યાતભાગ અને સંખ્યાતગુણ વડે જાણવા. અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધમાં ‘અવગાહનારૂપે ચતુઃચાર સ્થાનકો હોય છે.’ અને તે ચાર સ્થાનકો અસંખ્યાતભાગ, સંખ્યાતભાગ, સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણ વડે જાણવા. અનન્તપ્રદેશિક સ્કન્ધને વિષે પણ અવગાહનારૂપે ચાર સ્થાનકો જાણવા. કારણ કે તેને અનન્ત પ્રદેશની અવગાહનાનો અસંભવ હોવાથી અનન્તભાગ અને અનન્તગુણ વૃદ્ધિ કે હાનિનો અસંભવ છે. ।।૨૫૨૭૦ના एगसमयठिइयाणं पुच्छा। गोयमा ! अनंता पज्जवा पन्नत्ता । से केणद्वेणं भंते! एवं वुच्चइ ? गोयमा ! एगसमयठिइए पोग्गले एगसमयठिइयस्स पोग्गलस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाएर छट्ठाणवडिए, ओगाहणट्टयाए चउट्ठाणवडिते, ठितीए तुल्ले, वण्णाइअट्ठफासेहिं छट्ठाणवडिए । एवं जाव दससमयठिईए। संखेज्जसमयठिइयाणं एवं चेव, णवरं ठिईए दुट्ठाणवडिए । असंखेज्जसमयठिइयाणं एवं चेव, नवरं ठिईए चउट्ठाणवडिए । सू० - २६ ।। २७१ ।। (મૂ) એક સમયસ્થિતિવાળા પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અન્ન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! એક સમયસ્થિતિવાળા પુદ્ગલ એક સમયસ્થિતિવાળા પુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છસ્થાન પતિત છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિ વડે તુલ્ય છે, અને વર્ણાદિ તથા આઠ સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે યાવત્ દસસમયસ્થિતિવાળા પુદ્ગલના સંબંધમાં જાણવું. સંખ્યાતસમયસ્થિતિવાળાના સંબંધમાં એમજ જાણવું. પરંતુ તે સ્થિતિ વડે દ્વિસ્થાન પતિત છે. અસંખ્યાત સમયસ્થિતિવાળ પુદ્ગલોના સંબંધમાં એમજ સમજવું. પરન્તુ તે સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. ૨૬૨૭૧૫ एकगुणकालगाणं पुच्छा। गोयमा ! अणंता पज्जवा पन्नत्ता से केणद्वेणं भंते! एवं वुच्चइ? गोयमा ! एकगुणकाल् पोगले एकगुणकालगस्स पोग्गलस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाएर छट्टाणवडिए, ओगाहणट्टयाए चउडाणवडि, ठिईए चउट्ठाणवडिए, कालवन्नपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वन्न-गंध-रस- फासपज्जवेहिं छट्टाणवडिए, अट्टहें फासेहिं छट्ठाणवडिए। एवं जाव दसगुणकालए। संखेज्जगुणकालए वि एवं चेव, नवरं सट्टाणे दुट्ठाणवडिए । . वं असंखिज्जगुणकालए वि, नवरं सद्वाणे चठट्ठाणवडिए । एवं अनंतगुणकालए वि, नवरं सट्ठाणे छट्ठाणवडिए । एवं जहा कालवन्नस्स वत्तव्वया भणिया तहा सेसाण वि वन्न-गंध-रस- फासाणं वत्तव्वया भाणियव्वा राव અનંતમુળજીવો સૂ૦-૨૭।।૨૭૨।। (મૂળ) એકગુણકાળા પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા। હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા સુંથી કહો છો? હે ગૌતમ! એકગુણકાળા પુદ્ગલ એકગુણકાળા પુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છથાન પતિત, અવગાહનારૂપે અને સ્થિતિ રૂપે ચતુઃસ્થાન પતિત, કાળા વર્ણ પર્યાય વડે તુલ્ય, અને બાકીના વર્ણ, ગં રસ અને સ્પર્શ પર્યાય વડે તથા આઠ સ્પર્શપર્યાય વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે દસગુણ કાળા પુદ્ગલોના સંધમાં 215
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy