________________
श्री प्रज्ञापना सूत्र भाग १
पंचमं विसेसपयं जीव पज्जवा
|| પંચમં વિસેસવયં ||
विहाणं भंते! पज्जवा पन्नत्ता ? गोयमा ! दुविहा पज्जवा पन्नत्ता । तंजहा - जीवपज्जवा य अजीवपज्जवा य TIR॰-||૨૪૬॥
(મૂળ) હે ભગવન્! કેટલા પ્રકારના પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! પર્યાયો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—જીવપર્યાયો અને અજીવપર્યાયો. ।।૧।।૨૪૬
(ટી૦) એ પ્રમાણે ચોથા પદની વ્યાખ્યા કરી, હવે પાંચમા પદનો પ્રારંભ કરાય છે. તેનો સંબંધ આ પ્રમાણે છે–ચોથા પદમાં નારકાદિ પર્યાયરૂપે જીવોની સ્થિતિ કહી અને અહીં તેઓના ઔદયિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિકભાવને આશ્રયી પર્યાયોની સંખ્યા બતાવે છે. તેમાં આ પ્રથમ સૂત્ર છે–‘વિહા ખં મંતે! પદ્મવા પન્નત્તા?' હે ભગવન્! કેટલા પ્રકારના પર્યાયો કહ્યા છે? અહીં ગૌતમ સ્વામીએ ભગવંતને કયા અભિપ્રાયથી એ પ્રમાણે પૂછ્યું? તેનો ઉત્તર એ છે કે પહેલા પદના પ્રારંભમાં પ્રજ્ઞાપનાના બે પ્રકાર કહ્યા છે—જેમકે જીવપ્રજ્ઞાપના અને અજીવપ્રજ્ઞાપના. તેમાં જીવ અને અજીવ દ્રવ્યો છે, કારણ કે ‘મુળપાંચવવું દ્રવ્યમ્'‘(તત્ત્વાર્થ અ. ૫, સૂ. ૩૧) ગુણ અને પર્યાયવાળું દ્રવ્ય કહેવાય છે. એવું દ્રવ્યનું લક્ષણ છે. માટે જીવ અને અજીવ પર્યાયના ભેદો જાણવા માટે એ પ્રમાણે પ્રશ્ન કર્યો છે, અને ભગવાન્ પણ તેવાજ પ્રકારે ઉત્તર આપે છે–હે ગૌતમ! બે પ્રકારના પર્યાયો છે, તે આ પ્રમાણે—જીવપર્યાયો અને અજીવપર્યાયો. તેમાં પર્યાય, ગુણ, વિશેષ અને ધર્મ એ પર્યાયવાચી શબ્દો છે. (પ્ર૦)—સંબંધ બતાવતા એમ કહ્યું હતું કે અહીં ઔયિકાદિ ભાવોને આશ્રયી પર્યાયની સંખ્યા બતાવવાની છે, ઔદયિકાદિ ભાવો તો જીવાશ્રિત છે અને તેથી જીવ પર્યાયોનોજ બોધ થાય છે અને પ્રશ્નના ઉત્તરમાં તો જીવ અને અજીવ
બન્નેના પર્યાયો કહ્યા છે. માટે આ સંબંધનું પ્રતિપાદન બરાબર નથી. (ઉ0)–અભિપ્રાય નહીં જાણવાથી થયેલી આ શંકા અયુક્ત છે. કારણ કે ઔદયિકભાવ પુદ્ગલને વિષે પણ હોય છે, તેથી જીવ અને અજીવના ભેદ વડે ઔયિકભાવ બે પ્રકારનો હોવાથી સંબંધનું કથન અને ઉત્તર સૂત્રનો પરસ્પર વિરોધ નથી. ૧૫૨૪૬।।
|| નીવ પખ્તવા ||
નીવપન્નવા ાં ભંતે! િસંહેન્ગા, અસંàન્ના, અજંતા? ગોયમા! નો સલ્લેખ્ખા, નો અસંવેન્ગા, અનંતાા છે હેટ્ટેમાં ભંતે! વં વુન્નરૂ-ઝીવવપ્નવા નો સંલેન્ગા, નો અસંવેન્ગા, માંતા? ગોયમા! ત્રસંહિન્ગા નેવા, अंसंखिज्जा असुरकुमारा, असंखिज्जा नागकुमारा, असंखिज्जा सुवण्णकुमारा, असंखिज्जा विज्जुकुमारा, असंखिज्जा अगणिकुमारा, असंखिज्जा दीवकुमारा, असंखिज्जा उदहिकुमारा, असंखिज्जा दिसीकुमारा, असंखिज्जा वाउकुमारा, असंखिज्जा थणियकुमारा, असंखिज्जा पुढविकाइया, असंखिज्जा आउकाइया, असंखिज्जा तेउकाइया, असंखिज्जा वाउकाइया, अनंता वणप्फइकाइया, असंखेज्जा बेइंदिया, असंखेज्जा तेइंदिया, असंखेज्जा चउरिंदिया, असंखेज्जा पंचिंदियतिरिक्खजोणिया, असंखेज्जा मणुस्सा, असंखेज्जा वाणमंतरा, असंखेज्जा जोइसिया, असंखेज्जा वेमाणिया, अनंता सिद्धा, से एएणद्वेणं गोयमा ! एवं वुच्चइ-ते णं નો સંધિન્ના, નો અસંન્ગિા, અનંતા ।ાજૂ-૨||૨૪૭।।
(મૂળ) હે ભગવન્! જીવપર્યાયો શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે? હે ગૌતમ! સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી, પણ અનંતા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે જીવપર્યાયો સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી પણ અનંતા છે? હે ગૌતમ ! અસંખ્યાતા નારકો, અસંખ્યાતા અસુરકુમારો, અસંખ્યાતા નાગકુમારો, અસંખ્યાતા સુવર્ણકુમારો, અસંખ્યાતા વિદ્યુત્ક્રુમારો, અસંખ્યાતા અગ્નિકુમારો, અસંખ્યાતા દ્વીપકુમારો, અસંખ્યાતા ઉદધિકુમારો, અસંખ્યાતા દિક્કુમારો, અસંખ્યાતા વાયુકુમારો, અસંખ્યાતા સ્તનિતકુમારો, અસંખ્યાતા પૃથિવીકાયિકો, અસંખ્યાતા અપ્સાયિકો, અસંખ્યાતા
.254