SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ बीयठाणप्रयं भवणवासिदेवठाणाइं श्री प्रज्ञापना सूत्र भाग १ મકર અને વર્ધમાનક–શરાવસંપુટ નિયુક્ત–ભૂષણમાં–યોજેલાં ચિત્ર–આશ્ચર્યભૂત ચિહ્નો ગત–રહેલાં જેઓને છે એવા અસુરકુમારાદિ દેવો છે. વળી તે દેવો કેવા છે? ‘પુરૂષા:’-સુન્દર રૂપવાળા,–અત્યંત ઇચ્છવાલાયક રૂપ જેઓનું છે એવા, ‘મહદ્ધિા:’ભવનપરિવારાદિ મહાન્ ઋદ્ધિવાળા, તેમજ ‘મહાદ્યુતવ:' શરીરની અને આભરણોની મહા શ્રુતિ-કાન્તિવાળા, તથા ‘મહાબલાઃ’ શરીર સંબંધી બલ જેઓમાં છે એવા, ‘મહાયશક્ષ: ' મહાન્ યશ જેઓને છે એવા, તથા ‘મહાનુભા: ' મહાન્ અનુભાગ–શાપ અને અનુગ્રહ કરવાનું સામર્થ્ય જેઓને છે એવા, ‘મહેસવા ’–મહેશાખ્યાઃ–મહાન ઈશ–ઇશ્વર, એશ્વર્યયુક્ત એવી આખ્યા– પ્રસિદ્ધિવાળા, અથવા મહાન્ પોતાના ઈશ–એશ્વર્ય જણાવનારા, કવચિત્ ‘મહાસોવવા:' મહાસૌડ્યા: એવો પાઠ છે. પુષ્કળ સાતા વેદનીયના ઉદયથી મોટા મુખવાળા, કોઇ આચાર્યો ‘મહાક્ષવશ્ર્વાઃ' એવો પાઠ કહે છે. તેનો શબ્દસંસ્કાર ‘મહાશ્વાક્ષ’ એવો થાય છે. તેની પૂર્વાચાર્યોએ આ પ્રમાણે વ્યુત્પત્તિ બતાવી છે–‘આશુ ગમનાદ્ અશ્વઃ'-જલદી ગમન કરે છે માટે અશ્વમન, અને પોતપોતાના વિષયને વ્યાસ કરે છે માટે અક્ષ–ઇન્દ્રિય, એટલે મહાન્ મન અને ઇન્દ્રિયો જેઓને છે એવા, ‘હારવિખિતવક્ષસ:’ હાર વડે સુશોભિત છે વક્ષસ્થલ જેઓનું એવા, ‘ટત્રુટિતસ્તમ્મિતભુના ' કટક-કડા અને ત્રુટિતબાહુરક્ષક–બહેરખાં, તે વડે સ્તંભિત–અક્કડ થયેલી ભુજાઓ જેઓની છે એવા, ‘અંગ ્-બ્રુડત-કૃષ્ટમાંડળીયાળિ;' અંગદ–બાહુશીર્ષાભરણ, બાજુબંધ, કુંડલ-કર્ણના આભરણવિશેષ અને સૃષ્ટ-સ્પર્શ કર્યો છે ગંડ–કપોલ પ્રદેશનો જેણે એવા કર્ણપીઠ–કર્ણના આભરણવિશેષને ધારણ કરનારા, ‘વિવિત્રજ્ઞસ્તામરળા:' વિચિત્ર હાથના આભૂષણો જેઓને છે એવા, 'વિવિત્રમાલામૌતિમુક્કુટા:' વિચિત્ર પુષ્પની માળા અને મસ્તકને વિષે મુકુટ જેઓને છે એવા, ‘કલ્યાણકપ્રવરવઅપરિહિતાઃ' કલ્યાણક-કલ્યાણકારી પ્રવર-શ્રેષ્ઠ વસ્ત્ર પરિહિત-પહેર્યું છે જેણે એવા, ‘ત્યાળવપ્રવરમાલ્યાનુìપનષા: '-કલ્યાણકારી ઉત્તમ પુષ્પની માળા અને વિલેપનને ધારણ કરનારા, ‘માસ્વરવોય:' ભાસ્વર–દેદીપ્યમાન બોંદિ–શરીરવાળા, તથા ‘પ્રણમ્બવનમાલાધરા:' લાંબી વનમાળાને ધારણ કરનારા, ‘વ્યિસંહનનેન' દિવ્ય સંઘયણવડે, અહીં શક્તિવિશેષની અપેક્ષાએ સંઘયણ જાણવું, પરંતુ સાક્ષાત્ સંઘયણ ન સમજવું, કારણ કે દેવોને સંઘયણ હોતું નથી. સંઘયણ અસ્થિની રચનારૂપ છે, અને દેવોને અસ્થિ હોતાં નથી. જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે—‘‘રેવા અસંખયળી, નન્હા તેસિં નેવઠ્ઠી નેવ સિરા ।''-‘દેવો સંઘયણ રહિત હોય છે, કારણ કે તેઓને અસ્થિ અને સિરાઓ–નસો હોતી નથી’–ઇત્યાદિ. ‘વિવ્યયા ૠયા' દિવ્ય-પ્રધાન પરિવારાદિક ઋદ્ધિવડે, ‘વ્યિયા ધ્રુત્યા' દિવ્ય-ઇષ્ટાર્થના સંયોગરૂપ દ્યુતિવડે, કારણે કે ‘ઘુ’ ધાતુ અભિગમન-ઇષ્ટાર્થના સંયોગના અર્થમાં છે. ‘વિવ્યયા 'પ્રમયા' ભવન અને આવાસ સંબંધી દિવ્ય પ્રભાવડે, ‘વ્યિયા છાયયા' દિવ્ય છાયાસમુદાયની શોભાવડે, ‘વ્યિયા ગર્વિષા' શરીર ઉપર ધારણ કરેલાં રત્નાદિની તેજોજ્વાલાવડ, ‘વિન્ગેન તેનસા' દિવ્ય શરીરજન્ય તેજવડે, ‘વિવ્યયા જ્ઞેયયા' દિવ્ય દેહ અને વર્ણની સુન્દરતારૂપ લેશ્યાવડે, ‘શશિ ઘોતયન્તઃ' દશ દિશાઓને પ્રકાશિત કરતા અને ‘પ્રભાસમાન:' શોભતા એવા ભવનવાસી દેવો તે પોતાના સ્થાનને વિષે ‘સાળ સાળં-સ્વેષાં સ્વાં' પોતપોતાના ભવનાવાસાદિનું ‘આહેવ ં-આધિપત્યું'-અધિપતિપણું-રક્ષા કરાવતા, તે રક્ષા સામાન્ય આરક્ષકવર્ડ પણ કરાય છે, માટે કહે છે—‘પૌરવર્ત્ય’-નગરપતિપણું, એટલે પોતાના આત્મીય વર્ગનું અગ્રેસ૨૫ણું, તે નાયકપણા સિવાય પણ નાયકે નીમેલા તેવા ગૃહચિન્તક સામાન્ય પુરુષનું પણ હોય છે, માટે પોતાનું નાયકપણું બતાવવા કહે છે–‘સ્વામિત્વ’ સ્વામીપણું–નાયકપણું, તે નાયકપણું પોષકપણા સિવાય પણ હોય છે. જેમ સિંહ હરિણનો નાયક કહેવાય છે પણ પોષક નથી, તેથી પોષકપણું બતાવવા માટે કહે છે–‘ મતૃત્વ’ ભર્તાપણું-પોષકપણું છે, એથી ‘મહત્તરત્વ’ મહત્ત૨૫ણું છે, તે મહત્ત૨૫ણું આશા—સત્તા રહિતનું પણ હોય છે જેમકે, કોઇ વણિકનું પોતાના નોકરવર્ગ પ્રતિ હોય છે, માટે કહે છે-‘ આજ્ઞેશ્વરસેનાપત્યું' આશા—સત્તાવડે ઇશ્વરપણું અને સેનાપતિપણું, અર્થાત્ તેઓનું પોતપોતાના સૈન્ય પ્રતિ અદ્ભુત આજ્ઞાનું પ્રધાનપણું છે, એ પ્રમાણે ‘જાયન્તઃ' અધિકારી અન્ય પુરુષો પાસે કરાવતા અને ‘પાન્તયન્તઃ ’સ્વયંમેવ પાલન કરતા એવા, ‘મહતાહતનાટ્યગીતવાવિજ્ઞતન્દ્રીતજ્ઞતાતત્રુટિતષનમૃવંશ-પટ્ટુપ્રવાવિતવેળ' અહત-આખ્યાન-કથાનકના સંબંધમાં અથવા અહત-અવ્યાહત 123
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy