________________
बीठापयं बेइंदियठाणाई
श्री प्रज्ञापना सूत्र भाग १
(મૂળ) હે ભગવન! અપર્યાપ્તા બાદ૨ વનસ્પતિકાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! જ્યાં પર્યાપ્તા બાદ૨ વનસ્પતિકાયિકોના સ્થાનો છે ત્યાંજ અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકોના સ્થાનો છે. તે ઉપપાતવડે સર્વલોકમાં, સમુદ્દાત વડે સર્વલોકમાં, અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ૧૨૯૦
कहि णं भंते! सुहुमवणस्सइकाइयाणं पज्जत्तगाणं अपज्जत्तगाण य ठाणा पन्नत्ता ? गोयमा! सुहुमवणस्सइकाइया जे य पज्जत्तगा जे य अपज्जत्तगा ते सव्वे एगविहा अविसेसा अणाणत्ता सव्वलोयपरियावन्नगा पन्नत्ता સમાાનતો! IR॰-૧૨||૧||
(મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! તે બધા એક
પ્રકારના, વિશેષરહિત, ભેદરહિત અને સર્વલોકમાં વ્યાપ્ત છે. ।।૧૩૯૧૫
(ટી૦) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! તે બધા એક પ્રકારના, વિશેષરહિત, ભેદરહિત, અને સર્વ લોકમાં વ્યાપ્ત છે. બાદર પર્યાપ્ત વનસ્પતિકાયિક સૂત્રમાં ‘જીવવાળું સવ્વતો' તેઓ ઉપપાત વડે સર્વલોકમાં હોય છે, અહીં પર્યાપ્ત બાદ૨ વનસ્પતિકાયિકોનું સ્વસ્થાન ધનોદધિ વગેરે છે, કારણ કે ત્યાં સેવાળ વગેરે બાદર નિગોદોનો–સાધારણ વનસ્પતિકાયિકોનો સંભવ છે. સૂક્ષ્મનિગોદોની ભવસ્થિતિ (આયુષ્ય) અન્તર્મુહૂર્તની છે તેથી તેઓ પર્યાપ્ત બાદર નિગોદોમાં ઉત્પન્ન થતાં અને પર્યાપ્તા બાદ૨ નિગોદનું આયુષ્ય અનુભવતા શુદ્ધ ઋજુસૂત્ર નયની દૃષ્ટિથી બાદર પર્યાપ્ત વનસ્પતિકાયિક તરીકે કહેવાય છે અને ઉપપાત વડે સર્વદા સર્વ લોકને વ્યાપ્ત કરે છે. તેથી કહ્યું છે કે– ‘ઉપપાત વડે સર્વલોકમાં હોય છે.’ ‘સમુ વાળું સવ્વલોક્'—સમુદ્દાતવડે સર્વલોકમાં હોય છે. જ્યારે બાદરનિગોદો સૂક્ષ્મનિગોદોનું આયુષ્ય બાંધીને અન્તે મરણ સમયે મરણસમુદ્દાત કરી આત્મપ્રદેશોને ઉત્પત્તિદેશ સુધી વિસ્તારે છે ત્યારે બાદર નિગોદ પર્યાપ્તાનું આયુષ્ય હજી સુધી પણ ક્ષીણ થયું નથી માટે બાદર પર્યાપ્ત નિગોદો જ સમુદ્દાતને પ્રાપ્ત થયેલા અને સર્વલોક વ્યાપી હોય છે. તેથી સમુદ્દાત વડે સર્વલોકમાં હોય છે.’ એમ કહ્યું છે. સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે, કારણ કે ઘનોદધિ વગેરે બધા સ્થાનો મળીને પણ લોકનો અસંખ્યાતમો ભાગ થાય છે. બાકી બધું સુગમ છે. ૧૩૯૧॥ || વેડુંવિયાળાનું ||
कहि णं भंते! बेइंदियाणं पज्जत्तापज्जत्तगाणं ठाणा पन्नत्ता ? गोयमा ! उड्ढलोए तदेक्कदेसभागे, अहोलोए તમે વેસમાો, તિરિયલો બાહેતુ, તત્તાસુ, નવીસુ, હેતુ, વાવીસુ, પુરીસુ, ટીઢિયાતુ, ગુંડાલિયાસુ, સોસુ, સરવંતિયાસુ, સરસવંતિયાસુ, વિત્તેપુ, વિલયંતિયાસુ, તારેસુ, નિારેસુ, ચિત્ત્તત્તેપુ, પત્ત્તત્તેપુ, प्प, दीवे, समुद्देसु, सव्वेसु चेव जलासएसु जलठा[ट्ठा]णेसु, एत्थ णं बेइंदियाणं पज्जत्तापज्जत्तगाणं ठाणापन्नत्ता । उववाणं लोगस्स असंखेज्जइभागे, समुग्धाएणं लोगस्स असंखेज्जइभागे, सद्वाणेणं लोयस्स અસંવ્રુષ્નમાળે ।।સૂ॰-૧૪||૧૧||
(મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા બેઇન્દ્રિયોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! ઊર્ધ્વલોકમાં તેના એક ભાગમાં, અધોલોકમાં તેના એક ભાગમાં, તિર્યઞ્લોકમાં અવટ–કૂવા, તળાવો, નદીઓ, દ્રહો, વાવો, પુષ્કરિણીઓ, દીર્શિકાઓ (સીધી નાની નદીઓ), ગુંજાલિકાઓ (વાંકી નાની નદીઓ), સરોવરો, સરોવરની પંક્તિઓ, સરઃસ૨ઃપંક્તિઓ, બિલો, બિલની પંક્તિઓ, ઉજ્જરો (ઝરણાઓ), નિર્ઝરો (સદા વહેતા ઝરણાઓ), છિલ્લરો, પલ્વલો, વો (ક્યારાઓ), દ્વીપો, સમુદ્રો અને બધા જલાશયો અને જળના સ્થાનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા બેઇન્દ્રિયોના સ્થાનો કહેલાં છે. તે ઉપપાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્દાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. ૧૪૯૨॥
109