SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम पद बायर वणस्सइकाय जीव पनवणा श्री प्रज्ञापना सूत्र भाग १ बहुएहिं तिलेहि संहिता संती। पत्तेयसरीराणं तह होंति सरीरसंघाया ।।३।।सेत्तं पत्तेयसरीरबादरवणस्सइकाइया Iટૂ૦-૪૪|| (મૂળ) કુહણા કેટલા પ્રકારના છે? કુહણા અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે–આય, કાય, કુહણ, કુણ, દવહલિયા, સફાય, સઝાય, છત્રીક, વંસી, સહિયા, કુરય, અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે કુહણા જાણવા. એમ કુહણા કહ્યા. વૃક્ષોના-વનસ્પતિના નાનાવિધ સંસ્થાન–અનેક પ્રકારની આકૃતિવાળા પાંદડાં એકજીવવાળા હોય છે, અને તાડ, સરલ અને નાળીએરી પ્રમુખ વૃક્ષોના સ્કંધોથડો પણ એકજીવવાળા હોય છે. જેમ શ્લેષ-ચીકાશવાળા દ્રવ્ય વડે મિશ્રિત થયેલા સઘળા સરસવોની એક વર્તી-વાટ કરી હોય તેવા પ્રત્યેકશરીરી (વનસ્પતિકાયિક) જીવોના શરીરના સમુદાયો જાણવા. અથવા ઘણા તલના સમુદાયવાળી તલપાપડી હોય તેમ પ્રત્યેકશરીર વનસ્પતિ જીવોના શરીરસમુદાયો હોય છે. એમ પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો કહ્યા. ૪૪ (ટી૦) આ ગુચ્છાદિ ભેદો પ્રાયઃ તેના સ્વરૂપથી જ પ્રસિદ્ધ છે, અને કેટલાક ભેદો દેશવિશેષથી જાણી લેવાના છે. અહીં વૃક્ષાદિ ભેદોમાં જ્યાં એક વનસ્પતિનું નામ એક ભેદમાં ગ્રહણ કરી પુનઃ તેજ વનસ્પતિનું નામ બીજા ભેદોમાં પણ ગ્રહણ કરેલું છે, ત્યાં તેના સમાન નામની ભિન્ન જાતની વનસ્પતિ જાણવી. અથવા એક વનસ્પતિ અનેક જાતની હોય છે. જેમકે, નાળીએરી એકબીજવાળી હોવાથી “એકાસ્થિક' કહેવાય છે. તેની ત્વચા વલયના આકારની હોવાથી વલય પણ કહેવાય છે. માટે એક વનસ્પતિ અનેક જાતની હોવાથી ભિન્ન ભિન્ન ભેદોમાં તેનું નામ આવે તો તે વિરુદ્ધ ન સમજવું. હવે કહેલી અને નહિ કહેલી વનસ્પતિનો સંગ્રહ કરવા માટે આ ગાથાઓ કહે છે–નાનાવિધ' ઇત્યાદિ. વૃક્ષોના તેમજ ઉપલેક્ષણથી ગુચ્છ અને ગુલ્માદિના પણ અનેક પ્રકારના સંસ્થાન-આકૃતિવાળાં પાંદડાં એક એક જીવાશ્રિત હોય છે, અને સ્કન્ધ પણ એક જીવાશ્રિત હોય છે. શું બધી વનસ્પતિઓનો અન્ય એક જીવવાળો હોય છે? નહિ, તાડ, સરલ અને નાળીએરીનો અન્ય એક જીવવાળો હોય છે. તાડ, સરલ, અને નાળીએરીનું ગ્રહણ ઉપલક્ષણ છે, તેથી બીજી વનસ્પતિઓનો પણ સ્કન્ધ આગમને અનુસરી એક જીવાશ્રિત જાણવો. અને તે સિવાય અન્ય વનસ્પતિઓના પ્રત્યેક સ્કન્ધો તો અનેક પ્રત્યેકશરીરવાળા અનેક જીવાશ્રિત હોય છે તે અર્થાત્ જાણવું, કારણ કે “કંથા વિ અને નીવિયા' “સ્કન્ધો પણ અનેક જીવવાળા હોય છે એમ પૂર્વે કહ્યું છે. જો સ્કન્ધો પ્રત્યેકશરીરવાળા અનેક જીવાશ્રિત હોય તો એક ખંડ શરીરની આકૃતિવાળા કેમ જણાય છે? તેઓના અવસ્થાનનું સ્વરૂપ દષ્ટાંત દ્વારા જણાવે છે–વદ સાત' ઇત્યાદિ. જેમ શ્લેષ-ચીકાશવાળા દ્રવ્ય વિડે મિશ્રિત થયેલા સરસવોની કરેલી વર્તી-વાટ એક રૂપે છે અને તે બધા સરસવો પરિપૂર્ણ શરીરવાળા પોતપોતાના શરીરની અવગાહના વડે જુદા જુદા રહેલા છે, “તથા–તે પ્રમાણે આજ ઉપમા વડે પ્રત્યેકશરીરવાળા જીવોના શરીરસમુદાયો જુદી જુદી પોતપોતાના શરીરની અવગાહનાવાળા હોય છે. અહીં શ્લેષદ્રવ્યને સ્થાને રાગદ્વેષથી સંચિત થયેલા તેવા પ્રકારના કર્મ છે, અને બધા સરસવને સ્થાને પ્રત્યેક શરીરો છે. બધા સરસવોનું ગ્રહણ સરસવોનું જુદાપણું જાણવાથી ભિન્ન ભિન્ન અવગાહનાવાળા પ્રત્યેક શરીરનું જુદાપણું જણાવવા માટે છે. અહીં બીજું દૃષ્ટાન્ત કહે છે-જેમ ઘણા તલથી મિશ્રિત થયેલ તિલશખુલીતલસાંકળી જુદા જુદા પોતપોતાની અવગાહનાવાળા તલરૂપ હોવા છતાં કથંચિ-દ્રવ્યની અપેક્ષાએ એકરૂપ હોય છે, તેમ આજ ઉપમા વડે પ્રત્યેકશરીરી જીવોના શરીરસમુદાયો કથંચિત્ એકરૂપ અને જુદી જુદી પોતપોતાની અવગાહનાવાળા હોય છે. હવે ઉપસંહાર કહે છે–એમ પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિકો કહ્યા. ૩૪-૪જા से किं तं साहारणसरीरबादरवणस्सइकाइया? साहारणसरीयबादरवणस्सइकाइया अणेगविहा पन्नत्ता। तं जहा–अवर पणए सेवाले लोहिणी मिहू त्थिहू त्थिभगा। असकन्नीसीहकन्नी सिउंढि तत्तो मुसुंढी य॥१॥रुरु 49
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy