SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ દત્ત ગણધરની દેશના અને પ્રભુને વિહાર [૪૪ ]. , સરદામાં ગયા. કરી. તથા ભાવના સહિત વિચિત્ર તપસંયમ કરીને, સમગ્ર કર્મવૃક્ષનું ઉમૂલન કરીને કેવળ લીમી સહિત મોક્ષને પાપે –આ પ્રમાણે ચિંતામાર્ગને ઓળગે તેવા વાંછિત અર્થની પ્રાપ્તિ કરવામાં કલ્પવૃક્ષ સમાન ભાવના ધર્મને પાર્શ્વનાથ ભગવાને તે સભામાં કો. આ કહેવાવડે દાનાદિ ચાર પ્રકારનો ધર્મ મેં કહો. આનાથી બીજો પાંચમો ધર્મ ત્રિભુવનને વિષે પણ નથી. તેથી કરીને અક્ષેપ કરીને (શીધ્રપણે ) મોક્ષના સુખને ઈચ્છનારા અને વાંછિત અર્થને ઈચ્છનારા છએ આ ધર્મને વિષે જ પ્રયત્ન કરો. જે કોઈ પણ મેક્ષમાં ગયા છે, તેઓ આના જ પ્રભાવથી ગયા છે એમ હું જાણુ. તથા જેઓ જશે અને જાય છે તેઓ પણ અવશ્ય એ જ પ્રમાણે જાણુ. કલ્યાણના ભાજગરૂપ જીની બુદ્ધિ આ દાનાદિક ભા(પદાર્થો)ને વિષે રમે છે, અને તેનાથી વિપરીત જેને અવજ્ઞાદિક દે હોય છે. આ પ્રમાણે દાન, શીળ, તપ અને ભાવનામય ચાર પ્રકારને ધર્મ કહીને ત્રણ લેકના ગુરુ પાર્શ્વનાથ પ્રભુ દેવછંદામાં ગયા. ત્યાં પહેલે પહોર નિર્ગમન થયો ત્યારે પહેલા ગણધર શુભદર જિનેંદ્રના પાદપીઠ ઉપર બેસીને લોટૅને ધર્મ કહેવા લાગ્યા કે-સંખ્યાતીત (અસંખ્યાતા) ભવને વિષે બીજો પુરુષ જે કહે અથવા પૂછે, તે અનાદિષી આ છદ્મસ્થ જાણતા નથી. આ પ્રમાણે ત્રિભુવનમાં સૂર્ય સમાન પાર્શ્વનાથસ્વામીએ તેવા કોઈ પણ પ્રકારે બન્ને પ્રકારના શિવરૂપી વ્યાધિથી આ પુરાકને અત્યંત મુક્ત કર્યો, કે જે પ્રકારે અત્યારે પણ જગદગુરુના ચરણના પ્રભાવથી ભાવિત મતિવાળા પુરુષે વાંછિત સર્વ અર્થને કરનારી જિનપ્રતિમાને પિતાના ઘરના ઉત્તરંગમાં (ઉપરના ભાગમાં) સ્થાપન કરે છે. જે સ્થાને ભગવાન સમવસર્યા હતા તે સ્થાને અસુરો, અને સુરાએ બનાવેલું શ્રી પાર્શ્વજિનભાવન હજી પણ મોટું આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. ત્યાર પછી ઘણા ભવ્ય જનેને પ્રવજ્યા આપીને અને શ્રાવક ધર્મમાં સ્થાપન કરીને શુભદત્તાદિક ગણધરે અને સાધુના સમૂહવડે પરિવરેલા, જઘન્યથી પણ એક કરોડ દેથી પરિવરેલા અને પિતાના માહા"વડે ડિંબ, ડમર, મારી, રંગ, અશિવ અને દુસ્થને દૂર કરતા પાર્શ્વનાથ ભગવાન મથુરાપુરીમાંથી નીકળ્યા. “દેવ (પાર્શ્વનાથ પ્રભુ ) કાસ, જવર વિગેરે રોગ શમાવવામાં પ્રસિદ્ધ ધવંતરી જેવા છે, દેવ વાંછિત અર્થ આપવામાં કલ્પવૃક્ષ સમાન છે, દેવ લકમીનું મંદિર છે, દેવ સગતિને દેખાડનાર છે, તથા દેવ ભવરૂપી મોટી વ@ીને ઉમૂલન કરવામાં પ્રચંડ અને મોટા યુગાંતના પવન સમાન છે, તે પાર્શ્વનાથ દેવ જય પામે. જેનું માત્ર નામ ગ્રહણ કરવાથી પણ રાગ, અગ્નિ વિગેરેથી ઉત્પન્ન થતા ભય નાશ પામે છે, ભૂતના ઉપદ્રવ અને શાકિનીએ કરેલા વિકને પણું નાશ પામે છે, રાજાએ તત્કાળ વશ થાય છે અને શત્રુ મિત્ર થાય છે, તે ત્રણ જગતમાં પ્રસિદ્ધ ચરિત્રવાળા શ્રી પાર્શ્વનાથ પ્રભુ જય પામે.”
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy