SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ Us . કરેણુદા રાજવી પર સિહદેવે કરેલ ચાઈ અને પ્રાપ્ત થયેલ રાજ્ય. [૪૨૭ ] વિદ્યમાન છતાં તમે આ શું આરંહ્યું? આવા પ્રકારનો પ્રસ્તાવ (સમય) સેવકજનેએ મોટા પૂર્વના પુણયવડે પ્રાપ્ત કરાય છે, તેથી હે દેવ! મને આદેશ આપ.” તે સાંભળીને “અહા! પ્રધાન વિનયવાળો અને વચનવિન્યાસ? અહો ! ઉચિત કરવાપણું ? અને અહે! ચિત્તને અવર્ષોભ કેવો છે?” એમ વિચારીને હર્ષિત મુખવાળા રાજાએ બહમાન સહિત સન્માન કરીને તે રાજપુત્રને આદેશ આપે. ત્યારે તે તત્કાળ દેવ અને ગુરુના ચરણને પ્રણામ કરી, જયકુંજર ઉપર ચડીને ચતુરંગ સૈન્ય સહિત નગરમાંથી નીકળે. પિતાના દેશની સીમાને ઓળંગી ગયા. તે વખતે રાજપુત્રનું આગમન સાંભળીને કરેણુદર રાજા જરા પણ ક્ષોભ પામ્યા વિના સન્મુખ રહ્યો. ત્યારે તે રાજપુત્રે દૂતના મુખવડે (વચનવડે) તેને કહેવરાવ્યું કે અહા! તું અશક્તિમાન છે.” એમ જાણીને જે કોઈ પણ પ્રકારે અમારા રાજાએ તારી ઉપેક્ષા કરી છે, તે આ વિચાર્યા વિના કાર્ય કરવું તે શું તને યોગ્ય છે? હજી પણ કાંઈ નાશ પામ્યું નથી, તું પ્રતિબંધ પામ, તારા દેશમાં જ રહે અને સરોવરના હંસના વેગને અનુસરીને હાથીની જેમ તું કેમ મરે છે ? ” આ પ્રમાણે દૂતે કહ્યું ત્યારે હૃદયમાં કેપ ઉછળવાથી ભૂકુટિના ભગવડે અતિ ભયંકર કરેણુદત્ત રાજા આ પ્રમાણે કહેવા લાગ્યો, કે-“ભિક્ષાને માટે જમણુ કરતે આ કઈ પરદેશી આવે છે, તેને દાસીની પુત્રી આપીને સંતેષ પમાડે અને અત્યંત તેનું પિષણ કર્યું, તેથી ઉન્માદને પામેલે આ મહાપાપી હમણાં કેવું બેલે છે? તે જુઓ. અથવા તે ભયને નહીં જોયેલા પુરુષના આવા જ ઉલ્લાપ હોય છે. તેથી તે અધમ દૂત! તું મારી દ્રષ્ટિમાર્ગને જલદી ત્યાગ કર, જા, અને તે પરદેશીને આ મારું વચન કહે. આ હું આવ્યો છું. મારા વચનને ગ્રહણ કરીને તું પલાયન કરીશ નહીં, કેમકે કાપડીયાની જેમ તારી જેવાને આ (પલાયન) સુલભ જ છે.” આ પ્રમાણે કહીને તેણે તેને કાઢી મૂક્યો ત્યારે ક્રોધવડે રત નેત્રવાળા તેણે જઈને રાજકુમારને તેના ઉલ્લાપનો વૃત્તાંત વિશેષ કરીને કહ્યો. તે સાંભળીને તેને માટે ક્રોધ ઉત્પન્ન થવાથી—“ હવે મારે આ દુરાચારીને સાધ્યા(છત્યા) પછી જન કરવું.” એમ બોલતા તેણે તે જ વખતે વિલંબ રહિત પ્રયાણ કર્યું, અને મોટા હાથી, અશ્વ, રથ અને દ્ધા સહિત તે સિદ્ધદેવ રાજપુત્ર દેડ. કરચુદત્ત પણ “તે વરાક( બિચારા)ની શી શકિત છે?” એમ બોલતે જેટલામાં ગીત નૃત્યાદિકમાં આસકત થયેલો રહે છે તેટલામાં કિંકરોના હાથના પ્રયત્નવડે વગાડેલા પટહ, ભંભા, મુકુંદ અને દુંદુભિના નિર્દોષવડે ભુવનના આંતરાને ભરી દેતે અને “હણ હણ” એવા શબ્દવડે વાચાળ સુભટના આડંબરવડે શત્રુને ક્ષોભ પમાડતો રાજપુત્ર મોટા વેગથી તેની સમીપે પ્રાપ્ત થયે. તે વખતે તરત જ અશ્વ ઉપર ચડેલા ચરપુરુષે આ વાત કરેણુદત્તને નિવેદન કરી, ત્યારે “ કેમ હમણાં પણ તે દુરાત્મા પ્રાપ્ત થયે ?” એમ જાણીને ક્ષોભ પામ્યા, અને “અરેરે! અશ્વના સમૂહને પલાણવાળા કરે, હાથીના સમૂહને
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy