________________
[ ૧૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ? પ્રસ્તાવ ૫ મે ?
પછી જે તમે કહે છે, તે હું કરીશ.” આ પ્રમાણે કહ્યું ત્યારે તે ગામના યુવાને પિતાનું કાર્ય કરવા માટે ગયા. બીજી (ધન્યા) પણ શીલખંડનની ઉપ્રેક્ષા કરતી પ્રજન સાધવાના મિષવડે ત્યાંથી નીકળીને સારા શ્રાવકના કુળ, જિનચૈત્ય અને સાધુ-સાધ્વીની સામગ્રીવાળા બીજા ગામમાં જઈને રહી અને વિશેષે કરીને ધર્મકાર્યમાં પ્રવતી. શ્રાવકને સમૂહ સાધર્મિકપણાને લીધે તેને બહેનની જેમ, માતાની જેમ અને પુત્રીની જેમ જેવા લાગે. તથા વળી તેણીને જુએ ત્યારે આલાપ (વાતચીત) કરે, કોઈ પણ પ્રકારે રોગ પ્રાપ્ત થયો હોય ત્યારે તેને પ્રતિકાર (ઉપાય) કરે, વૃદ્ધિને વિષે સંભરણ (પોષણ) કરે, પ્રકરણાદિક( લગ્નાદિક )ને વિષે નિમંત્રણ કરે, ધર્મ ક્રિયામાં સ્કૂલના પામી હોય ત્યારે પ્રેરણા કરે, અનુચિત કરતી હોય તે નિવારણ કરે અને અર્થનું વિમરણ થયું હોય તે સંભારી આપે. આ પ્રમાણે નિરંતર શ્રાવકે કરુણવડે કરતા હતા, તેથી તેણીને.. જિનધર્મને વિષે અત્યંત અધિક બહુમાન ઉત્પન્ન થયું. જિનેન્દ્રના ધર્મને અપૂર્વ મહિમા જુઓ, કે જે ધર્મવડે અન્ય અન્ય દેશમાં વૃદ્ધિ પામ્યા છતાં પણ લેકને પૂજ્ય થાય છે અને બંધુ જેવા થાય છે. ઘણું કહેવાથી સર્યું. મોટા અનુભાવવાળી અને જિનેશ્વરના વચનની ભાવનાવાળી તે વેદનીય કર્મના વશથી ઉત્પન્ન થયેલા મોટા વરાદિક રોગના વિકારવાળી થઈ, તે વખતે પિતાના આત્માનું અધમપણું જાણુને મુનિજનની પાસે આલેચના કરીને ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરીને પંચ નવકારના ઉચાર કરવામાં તત્પર થઈને અને પાસે રહેલા શ્રાવકના સમૂહે આરાધના કરાતી તે મરીને સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ. અને ત્યાં મોટા શબ્દાદિક પાંચ પ્રકારના સારવાળા સુખને ભેગવીને આયુષ્યનો ક્ષય થવાથી ચવીને આ જ ભરતાધ ક્ષેત્રમાં ધન અને ધાન્યની સમૃદ્ધિથી વ્યાપ્ત ઘણા લોકોથી પરિવરેલી (સહિત) ચંપા નગરીમાં રાજાના માનવાળા સુધર્મા શ્રેણીની દેવકી નામની ભાર્યાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પિતાને ગ્ય સમયે તેની પ્રતિ થઈ. બાર દિવસ ગયા ત્યારે તેનું ધનદેવ નામ પાડયું. પાંચ ધાત્રી માતાવડે લાલના કરાતે તે કુમારપણાને પામે. સમગ્ર કળાના સમૂહને તે ભણ્ય. વિનયવતી નામની શ્રેણી પુત્રીની સાથે તેને પરણ. તે બંને જિનધર્મને સારી રીતે પાળે છે. પૂર્વ ભવે નિર્મળ શીળ પાળવાના પ્રભાવથી અતિ મને હર લાવણ્ય અને સૌભાગ્ય વિગેરે મોટા ગુણવડે શોભતા તે મહાત્મા જ્યાં જ્યાં જતો હતો ત્યાં ત્યાં પોતાના કાર્યને ત્યાગ કરીને સ્ત્રીઓ સારી નિગ્ધ(નેહવાળી) અને વક્ર દષ્ટિના નિક્ષેપવડે આદર સહિત તેને જેતી હતી. તેના ગુણના સમૂહથી વશ થયેલા હૃદયવાળા લેકે પણ તેની પ્રશંસા કરતા હતા, અને તેના વચનને જ સ્વીકારતા હતા. સર્વત્ર નગરમાં તેની પ્રસિદ્ધિ પ્રસરી કે સુધમાં શ્રેષ્ઠીને પુત્ર રૂપે કરીને કામદેવ છે, સૌમ્યતાએ કરીને ચંદ્ર છે, અને લાવણ્યવડે કરીને મધુમય (કૃષ્ણ) છે. આ પ્રમાણે તે વિલાસ કરે છે, તે પ્રમાણે ચાલે છે અને તે પ્રમાણે બેલે છે. આ તેની પ્રસિદ્ધિ કોઈ પણ પ્રકારે શ્રવણની(કર્ણની) પરંપરાએ