________________
છે
.
શીલ ધર્મનું વર્ણન અને તેના ઉપર સુરેન્દ્રદત્તની કથા.
[ ૪૦૯ ]
“તું મને રાજાને દેખાડ તે, તરત સારું થઈ જશે, પરંતુ હું તેને કાંઈક ઉપચાર કરું.”
ત્યારે તેણે કહ્યું-“તેમાં શું અયુક્ત છે? પરંતુ તું અહીં જ રાહ જે, જેટલામાં રાજાને નિવેદન કરીને આવું.” એમ કહીને તે રાજાની પાસે ગયો. તેની પાસે તેની વાત કહી. ત્યારે “તું તે મહાનુભાવને જલદી લાવ.” એમ રાજાનું વચન સાંભળીને પ્રતિહાર પાછા આવ્યું, અને ધનશમ સહિત રાજભવનમાં પેઠો. ત્યારે પ્રણામ કરીને પ્રાભૂત આપીને તે ધનશર્મા આપેલા આસન ઉપર બેઠો. રાજાએ આદર સહિત તેની સાથે વાત કરી કે
હે સાર્થવાહ! તું કુશળ છે?” ધનશર્માએ કહ્યું કે-“હે મહારાજા ! તમારા દર્શનવડે હું કુશળ છું.” પછી રાજાએ કોશલિક (પ્રાભૂતની કેથળી) જોઈને કહ્યું કે-“હે સાર્થવાહ! તું મારા શરીરની કુશળતાને જે ઉત્પન્ન કરે, તે જ તારું કોશલિક છે તેથી આ પ્રાભૂતને ઠેકાણે કર અને મારા શરીરની કુશળતા કર.” ત્યારે “દેવની જેવી આજ્ઞા.” એમ કહીને ધનશર્માએ પિતાના હસ્તતળવડે તેને મસ્તકમંડળને સ્પર્શ કર્યો. તત્કાળ વ્યાધિ નાશ પામે. રાજા તુષ્ટમાન થયે અને ચિંતવી ન શકાય તેટલું પારિતોષિક (ઈનામ) તેને આપ્યું. પિતાના ભેગવટામાં તેને દાણ વિગેરેથી મુક્ત કર્યો, સર્વ સાથે વાહન અધિપતિ કર્યો. પછી તેણે પોતાના ભાંડને અદલબદલે કર્યો. તેમાં તેને માટે લાભ થાય. પછી સિદ્ધ કાર્યવાળો તે પિતાના નગરમાં આવે. તેને યશને પ્રવાદ સર્વત્ર વિસ્તાર પામ્યો. તેનું માહાઓ સાંભળવાથી કોશાંબી નગરીના રાજાએ તેને પૂ. પછી તપના માહાસ્યના વિષયમાં અત્યંત સારો પક્ષપાત ઉત્પન્ન થવાથી તે મહાત્મા એક દિવસ જિનદત્તસૂરિની પાસે દીક્ષા ગ્રહણ કરીને નિરંતર માસક્ષમણ તપવડે શરીરને અને કર્મના સમૂહને ક્ષીણ કરીને મુક્તિને પામ્યો.-આ પ્રમાણે તપને કાંઈ પણ અસાધ્ય નથી, એમ પિતાની મતિવડે વિચારીને, આલસ્યનો ત્યાગ કરીને ભવ્ય જીએ આ તપને વિષે સર્વથા યત્ન કરે. અત્યંત સકુરાયમાન કિરણ વડે જેમ હિમને સમૂહ વિલય પામે છે, તેમ તપવડે હિંસાદિક મહાપાપ અવશ્ય વિલય પામે છે.”
શીલ ધર્મ ઉપર સુરેન્દ્રદત્તની કથા. આ પ્રમાણે ત્રણ ભુવનના બંધુરૂપ શ્રી પાર્શ્વ જિનેશ્વરે તપ ધર્મ કહીને ૫ર્ષદાની પાસે સારી રીતે શીલ ધર્મને કહેવાનો પ્રારંભ કર્યો. હવે શૂરવીરવડે શીલ ધર્મ કહેવાય છે, અને શીલ એટલે મનની વિશુદ્ધિ, અથવા પ્રાણહિંસાદિક પાપના સ્થાને ત્યાગ, અથવા ક્ષાંતિ, માર્દવ વિગેરેવડે ક્રોધાદિકને નિગ્રહ, ક્ષણ લવને પ્રતિબંધ, ઉત્તમ શ્રદ્ધા અને સંવેગ, સર્વ જીવોને વિષે ઈચ્છા રહિતપણે મિત્રી કરવી, અથવા કલંક રહિત બ્રહ્મચર્ય પાળવું, તે શીલ કહેવાય છે. આ શીલ પુરુષને માટી શોભા કરનારું આભરણ કહ્યું છે. આ શીલ રહિત પુરુષે સારી વિભૂષાવાળા હોય તે પણ શોભાને પામતા નથી. જે કોઈ છો અહીં મેક્ષમાં જાય છે, ગયા છે અને જશે, તે સર્વે નિર્મળ શીલ
' પર