SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૯ર ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૫ મે ? વસ્તુ ) છે, તે નિતિને (સુખને-મિક્ષને) ઉત્પન્ન કરનાર છે, તે સર્વ વિકળતા રહિત (પરિપૂર્ણ) અને ઉદાર દાનનું ફળ ફુટ રીતે તું જાણુ. સુધા અને તૃષાથી વ્યાકુળ થયેલાને જે શ્રેષ્ઠ ભેજન અને જળની પ્રાપ્તિ થાય છે, રોગથી વ્યાપ્ત થયેલાનું રક્ષણ કરનાર ઔષધાદિકને જે લાભ થાય છે, માર્ગમાં ચાલવાવડે કરીને દુર થયેલા જેઓને તત્કાળ શવ્યાની પ્રાપ્તિ થાય છે, તે સર્વ દાનરૂપી શ્રેષ્ઠ કલ્પવૃક્ષને વિલાસ છે, એમ જાણ સર્વ ઉપાયના કારણરૂપ ધનદાન કરવામાં પણ જેની શક્તિ નથી, તેઓ પિતાના જીવિતની અપેક્ષા રહિત થઈને તપ કેમ કરે છે? ખેતી અને રાજસેવા વિગેરે ઘણા પ્રકારના દુઃખવડે ધન ઉપાર્જન કરીને તેને ભેગવ્યા વિના અને દાન કર્યા વિના અનંત જને નાશ પામ્યા છે. આ પ્રમાણે દાન ધર્મના વિષયવાળું દ્રષ્ટાંત સંક્ષેપથી કહીને હવે તપ ધર્મ સંબંધી દષ્ટાંત કહેવાય છે. તપધમ ઉપર ધનશર્મા સાર્થવાહની કથા. રસ, રૂધિર, માંસ, મેઘ, અસ્થિ, મજજા અને શેણિત (આ સાત ધાતુ) તથા અશુભ કર્મો જેના વડે તપે છે, તેને અહીં યથાર્થ તપ કહ્યો છે. વળી તે તપ બાહા અને આત્યંતર ભેદવડે બે પ્રકારે અહીં (શાસ્ત્રમાં) કહ્યો છે. તેમાં બાહા તપ અનશનાદિક ભેદવડે છે પ્રકારે કહ્યો છે. અનશન, ઊદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયલેશ અને સંલીનતા એ છ પ્રકારે બાહ્ય તપ છે. બહારના અંગને તપાવવાવડે કર્મની નિર્જરાનું કારણરૂપ આ તપ છે, અને અત્યંતર તપ પ્રાયશ્ચિત્ત વિગેરે છ દવા છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય તથા સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ આ છ પ્રકારે આત્યંતર તપ છે. આ બાર પ્રકારના તપને આચરીને વિશુદ્ધ શુભ ભાવવાળા ધીર પુરુષે અનંત પાપોની નિર્ભર કરે છે. જેમ સુકાવા વિગેરે વડે રોગોને વિનાશ નિશ્ચયથી દીઠા છે, તેમ કર્મને વિનાશ અનશનાદિકવડે જાણ. જ્યાં અપવર્તનાદિક ડે પણ ઇદ્ધિને વ્યાપાર થતો નથી, તેવું ઉગ્ર નિકાચિત કર્મ પણ તપવડે નાશ પામે જ છે. ઋષિહત્યા વિગેરે જે દારુણ રસવાળા પાપ કહેવાય છે, તે પણ જીવની અપેક્ષા રહિત કરેલા તપવડે કરીને ક્ષીણ થાય છે. ત્યાં સુધી દારિદ્ર હોય છે, ત્યાં સુધી રોગની ઉત્પત્તિ હોય છે, ત્યાં સુધી મોટું દોર્ભાગ્ય હોય છે અને ત્યાં સુધી અનિષ્ટ અને અનિર્ણિતર ચિત્તને સંતાપ ઉત્પન્ન થાય છે કે જ્યાં સુધી હજુ પણ ભવ્ય મનુષ્ય તપ કરવામાં ઉદ્યમ નથી કરતા. અને તે તપ પણ કઈ પણ પ્રકારે (જેમ તેમ) કર્યો હોય, તે છેવટે અશુભ (અસુખ) પ્રાપ્ત થાય છે. આ અર્થને વિષે ધનશમ સાથે વાહનું દષ્ટાંત કહેવાય છે, કે જે (સાર્થવાહ) તપના પ્રસાદ(પ્રભાવ)વડે મોટા સન્માન અને યશને પાપે. ૧ પ્રવૃત્તિને અભાવ, પાછું વાળવું. ૨ પાર ન આવે તે. ૨ પાર ન આવે તેવા.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy