SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષ્મીધરના જન્મ અને મેક્ષ તથા તપધમનું વિવેચન. [ ૩૯૧ ] જીવથી પણ અધિક ખીજા પ્રાણીઓના સમૂહની રક્ષામાં તત્પર થવાવડે તેણે પ્રમાદ રહિતપણે સંયમક્રિયામાં તત્કાળ ઉદ્યમ કર્યા. વળી-સુકૃત કર્મવાળા અને દુ:ખથી ભય પામેલા તેણે પ્રત્રજ્યાના દિવસથી આર’ભીને બે ત્રણ દિવસ સુધી જ કદાચ વિકૃતિ( વિગય )ના ઉપભાગ કર્યા· હાય, આહારનુ ગ્રહણ પણ તેણે પરિમિત ( અમુક-થાડા ) દિવસ જ કર્યું હશે. જેણે નિશ્ચય અંગીકાર કર્યાં હાય, તેને અસાધ્ય શું છે ? અથવા 'દુધિગમ શુ છે ? આ પ્રમાણે પ્રધાન( મુખ્ય ) વૈરાગ્યવાળા શુદ્ધ ધર્મની ક્રિયા કરવાવડે પૂર્વે કરેલા સમગ્ર દુષ્કૃતના સમુહને હણીને દુષ્ટ કર્મના અંશને હણનારા તે મહાત્મા તે ધ્યાન ઉપર આરૂઢ થયા, કે જે ધ્યાનવર્ડ દેશના સમૂહ પૂરેલા તે સર્વાર્થસિદ્ધ વિમાનને વિષે દેવ લક્ષ્મીને પામ્યા. ( દેવ થયા) પછી આયુષ્યના ક્ષયવડે ત્યાંથી ચ્યવીને આ જ બુદ્વીપના ભરતા ને વિષે વર્કીંદેશા નામની નગરીમાં કુબેરની જેવા વૈભવવાળા ભવદેવ નામના શ્રેષ્ઠીની વિમલા નામની ભાર્યોના ગર્ભને વિષે તે મહાભાગ્યવાન પુત્રપણે ઉત્પન્ન થયા. ઉચિત સમયે તેના જન્મ થયેા. તેનુ વર્ષોપન થયુ. પછી પિતાએ માટી ઋદ્ધિથી તેનુ લક્ષ્મીધર નામ સ્થાપન કર્યું. પછી પાંચ ધાત્રીમાતાવર્ડ કરાતા સમગ્ર કાર્ય વડે વૃદ્ધિ પામતા શરીરવાળા, અનુપમ રૂપ અને લાવણ્યવડે મનેાહર લીલાના વિલાસવાળા, કાંઇક દર્શના વશથી વિજ્ઞાન અને જ્ઞાનના પરમાર્થ ને ગ્રહણ કરતા, મસ્તકના મણુિની જેમ વિદ્વાનાને પશુ માટી શાભા ઉત્પન્ન કરતા, નિર ંતર વિત્ત આપવાવડે સંતેાષ પામેલા ખંદીના સમૂહવડે સ્તુતિ કરાતા, મિત્ર, સ્વજન અને બંધુના વાંછિત અર્થ પૂર્ણ કરવામાં પ્રત્યક્ષ કલ્પવૃક્ષ સમાન, તથા તરુણુ સૂર્ય જેવા સ્વચ્છ (તેજસ્વી) દેહની પ્રભાવડે અંધકારના સમૂહના નાશ કરનાર તે મહાત્મા પરિપૂર્ણ તારુણ્ય લક્ષ્મીને પામ્યા. કેવળીના વચનથી પૂર્વભવના સર્વ વૃત્તાંત જાણીને સવેગ પામેલે તે ત્રણ પ્રકારનું અત્યંત દાન આપીને તે બુદ્ધિમાન પ્રત્રજ્યા ગ્રહણુ કરીને, જિનધર્મની સારી રીતે આરાધના કરીને, સર્વ કર્મનુ નિર્મથન કરી મેાક્ષપુરમાં પ્રાપ્ત થયા. આ પ્રમાણે દાન અને અહાનનુ વિવિધ પ્રકારનુ ફળ જાણીને ભવ્ય પ્રાણીઓએ તેવી રીતે કાઇપણ પ્રકારે વવું જોઇએ, કે જે પ્રકારે શીઘ્રપણે સ'સારના ભંગ( નાશ ) થાય. દાન સુખનું નિધાન છે, દુ`તિરૂપી મેાટી ગુફાનુ પિધાન( ઢાંકણું) છે, કલ્યાણુને પ્રાપ્ત કરનાર છે, સમગ્ર સુખનું પ્રધાન કારણ છે. જન્માંતરમાં પણ જેઓએ દાન આપ્યુ છે, જેઓએ સુકૃત ઉપાર્જન કર્યું છે, સુગતિરૂપી વિલાસિની( સ્ત્રી )એ આદર સહિત જેએને જોયા છે, તથા ખરફ અને હારના જેવી શ્વેત( ઉજવળ ) ક્રીતિ જેઓએ પામવા લાયક છે, તેની જ મતિ દાનને માટે ઉછળે છે, બીજાની મતિ ઉત્સાહ પામતી નથી. અહીં ઘણું કહેવાથી શું ? જો તમને સ્વર્ગ અને મેાક્ષનાં સુખ પ્રિય હાય, તેા હુંમેશાં દાનને વિષે જ પ્રતિબ`ધ ( ભાગ્રહ ) કરો. આ જગતમાં જે કાંઇ મન અને નેત્રનું` દર્શીન ( જોવાલાયક ૧ દુ:ખે કરીને મળી શકે તેવું.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy