SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ . જયદેવીની ભવભ્રમણ-સાગર શ્રેણીપુત્ર તરીકે જન્મ અને છેવટે વૈરાગ્ય પ્રાપ્તિ. [ ૩૮૭ ] ‘કુળને વિષે પુરુષપણે ઉત્પન્ન થયા. ત્યાં પણ પુરુષાર્થ રહિત તે જાણે કાષ્ટ અને લેપથી ઘડેલે (કરેલો) હોય તેમ કોઈપણ કાર્ય કરવામાં ઉપયોગીપણાને પાપે નહીં. એ પ્રમાણે ચિરકાળ સુધી સંસારસાગરમાં ભમીને દુઃખથી પીડા પામેલે તે સમુદ્રની જેમ કઈ આપત્તિનું સ્થાન ન થયો? કઈ ઠેકાણે દેહને દાહ ઉત્પન્ન કરનારી ક્ષુધાવડે, કોઈ ઠેકાણે તૃષાવડે, કોઈ ઠેકાણે અજ્ઞાનવડે વિષને પણ અમૃતની જેમ ભક્ષણ કરીને, કેઈ ઠેકાણે રાજાદિકને ગાળો દેવાવડે અને કઈ ઠેકાણે અગ્નિ વિગેરેમાં ક્રીડાવડે આત્માને નાંખીને તે મરણ પામે. આ પ્રમાણે અજ્ઞાનથી હણાયેલ, ઘણે યત્ન કર્યા છતાં પણ લાભ રહિત, અત્યંત વિરુદ્ધ અંગવાળો અને પિતાના પિતાને પરાભવ કરવા લાયક થઈને તે ફરીથી વેણુતટ નગરમાં હીન જાતિને વિષે બુદ્ધિ રહિત અંગવાળે મોગલ નામે આભીરને પુત્ર થયો. ત્યાં એક ગૃહપતિને ઘેર કામ કરવા લાગ્યો. ત્યાં દિવસને છેડે નીરસ ભેજનને પામતે હતે. પછી કે એક દિવસે ગૃહપતિએ તેને એમ આજ્ઞા આપી કે “મારી આ વૃદ્ધ માતાને વાવમાં લઈ જઈને ત્યાં તેને પખાળીને જલદી આવ.” ત્યારે શીવ્ર ગતિવડે તે ગયો, ત્યાં તેની માતાને વસ્ત્રની જેમ મોટા શિલાતળ ઉપર અજ્ઞાનથી હણાયેલા મનવાળો તે ત્યાં સુધી પખાળર્વા લાગે, કે જેટલામાં તે વૃદ્ધ માતા માત્ર વેત અસ્થિરૂપે જ થઈ (રહી.) પછી સંતુષ્ટ મનવાળા તેણે તેણીના વેત અસ્થિ શહણ કરીને, ઘેર જઈને ગૃહપતિને દેખાડી કે-“આ તારી માતાને મેં એવી રીતે પખાળી કે જે પ્રકારે સફટિક મણિની જેવા ઉજવળ શરીરવાળી તે થઈ.” આ પ્રમાણે બોલતા તેને કપ પામેલા ગૃહપતિએ કહ્યું, કે“અરે પાપી ! મારી માતાને તે કેમ મારી નાંખી ?” ત્યારે તેણે કહ્યું કે-“તું મારા ઉપર કેમ કેપ કરે છે ? તારું વચન જ મેં કર્યું છે.” તે સાંભળીને “આ મોટો મૂર્ખ છે.” એમ જાણુંને મોન ધારણ કરીને હૃદયમાં કુરાયમાન કેપવાળે તે ગૃહપતિ માતાના સર્વ મરણકાર્ય કરીને તેને અટવીમાં લઈ ગયે. ત્યાં અધે છેદેલાં અને પડતા મોટા વૃક્ષના રકંધને અપાવીને તેને તેણે મરણ પમાડ્યો. આ વિગેરે જીવિતના અંતને ઉત્પન્ન કરનારા ભયંકર અજ્ઞાનના વિલાસ કેટલા કહી શકાય ? આ પ્રમાણે ચિર કાળ સુધી ઘણા તીક્ષણ દુઃખને સહન કરવાવડે તેણે મોટા દુષ્કર્મની નિર્જરા ઉપાર્જન કરી અને તેના જ્ઞાનાવરણાદિ કર્મ કાંઇક બાકી રહ્યા ત્યારે તે કેઈક થોડા સુકૃતના વશથી રાજગૃહ નગરમાં શતક નામના શ્રેણીને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયા. પછી ઉચિત સમયે તેનું સાગર નામ સ્થાપન કર્યું. પછી જેટલામાં જન્મના દિવસથી એક માસ પણ પૂર્ણ થયો નથી તેટલામાં તેને પિતા મરણ પામે, અને છ માસને અંતે તેની માતા મરણ પામી. ત્યારે ગૃહસાર (ઘરની વરતુ ) જેને પ્રાપ્ત થયે તે તેણે હરણ કર્યો. સાગર પણ વજન વડે અનાદરથી બકરીનું દૂધ વિગેરે દેવાવડે ઉપચાર કરાયે, ત્યારે મહાકટની ક૯૫નાવડે એક વર્ષ માત્રના પર્યાયવાળે થયો. ત્યાર પછી અન્ય ઘરે ભિક્ષા માટે ભમવાવડે પ્રાપ્ત થયેલ રૂક્ષ (લૂખી) ભિક્ષાના કવળને ખાવાવડે શરીરની સ્થિતિ(પાલન)ને
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy