SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ જયદેવમુનિએ કરેલ નાસ્તિકવાદીને પરાજય. ૩૮૧ ] અત્યંત નિરપેક્ષ થયે, સૂત્ર અને અર્થને પ્રાપ્ત કરવામાં તત્પર થયે, પરોપકારને વિષે જ આગ્રહને બાંધનાર થયે, અને સમગ્ર પ્રાણીઓના સમૂહને બાંધવરૂપ માનવા લાગ્યા. ગામ, નગર અને નિગમને વિષે ગુરુની સાથે અપ્રતિબદ્ધ વિહાર કરવા લાગ્યા, અને બાળ તથા સ્થવિર સાધુના કાર્ય કરવામાં પ્રવર્તવા લાગ્યો. પછી તેણે આ પ્રમાણે વાર્તા સાંભળી કે-જયંતી નગરીના જયશ્ર રાજાએ પરકમાં જતી વખતે દેવધર કુમારને રાજાને સ્થાને સ્થાપન કર્યો. તેને સામંત અને મંત્રી વિગેરેએ પ્રણામ કર્યા. પ્રકૃતિજનવડે પરિવરે તે પિતાથી પણ અધિક પ્રતાપવાળા, વૃદ્ધિ પામતા મોટા કોશ અને કોઠારવાળા અને આજ્ઞા સારવાળા નિષ્કટક રાજ્યને પાળે છે. આ પ્રમાણે સાંભળીને જયદેવ મુનિ વિશેષ કરીને સંસારમાં ઉત્પન્ન થયેલી વસ્તુને વિષે ચિત્તના વ્યાસંગ( આસકિત)નો ત્યાગ કરી તથા અંગ અને ઉપાંગ સહિત સિદ્ધાંતના ઉપધાન, પઠન અને તેના અર્થના અવધારણ કરવામાં બદ્ધ લક્ષ્યવાળ થઈ જાણે સાક્ષાત સાધુને સમ્યફ આચાર હોય તેમ શોભવા લાગ્યો. પ્રવજ્યાના થોડા પર્યાયવડે કરીને પણ અંગ, ઉપાંગ અને પયજ્ઞા વિગેરે શાસ્ત્રના પરમાર્થમાં કુશળ છે. તેવા અવસરે કાંપિયપુર નગરમાં સર્વ દર્શનના અભિપ્રાય જાણવામાં કુશળ અને સર્વ ધર્મના માર્ગને દૂષણ આપવામાં પ્રવર્તેલા એક નાસ્તિકવાદીએ તે પ્રકારે કોઈ પણ રીતે સર્વ લિંગી જનેને પરાજય કર્યો, કે જેથી તે લેક જાણે મૂક હોય તેમ કાંઈ પણ બોલવાને શક્તિમાન થયે નહીં. ત્યારે કાંપિત્યપુરમાં વસનારા શ્રાવક લેકેએ ધર્મના વિનની પ્રાપ્તિને તર્ક થવાથી (જેવાથી) એક શ્રાવકને તેના હાથમાં લેખ આપીને સંગમસિંહસૂરિની પાસે મોકલ્યો. તેણે આવીને તે સૂરિના પગમાં પ્રણામ કરીને તે લેખ આપો. તેમાં “નાસ્તિકવાદીને પરાજ્ય કરવા માટે તમારે કોઈ વાદ કરવામાં કુશળ હોય તેવા સાધુને મોકલવા અથવા તમારે પોતે જ આવવું.” એ પ્રમાણે અર્થના તત્વવાળો લેખ સૂરિએ વાં. ત્યારપછી તરત જ કેટલાક સારા હશિયાર વૃદ્ધ તપસ્વીના પરિવાર સહિત જયદેવ સાધુને આવેલા શ્રાવકની સાથે મોકલ્યો ત્યારે તે સાધુ સારા શુકનની પ્રાપ્તિથી ઊછળતા ચિત્તના ઉત્સાહવાળે અખંડ(નિરંતર ) પ્રયાણવડે કાંપિયપુરમાં આવ્યો. ત્યાં હંમેશા પટ વગાડવાપૂર્વક ધર્મના વ્યાપારનું ખંડન કરતા તે નાસ્તિકવાદીને તે સાધુએ નિવાર્યો અને તેને રાજસભામાં લઈ ગયા. ત્યાં “જે જેનાવડે છતાય, તે તેને શિષ્ય થાય.” એવી પ્રતિજ્ઞા કરીને નાસ્તિકવાદીની સાથે તે સાધુએ ઉપન્યાસ (વાદ) પ્રારંભે. પછી સર્વ રચેલા હેતુ, દષ્ટાંત અને યુક્તિના સમૂહના થડા એક પણ પ્રત્યુત્તરને જાણે કે કાળે કાળિયારૂપ કર્યો હોય તેમ નહીં આપતાં તે નાસ્તિકવાદીને જયદેવ મુનિએ પરાજય કર્યો. પછી તરત જ તેના કેશના સમૂહ સહિત મિથ્યાત્વને ઉછેદ કરીને તેને પોતાનો શિષ્ય કર્યો તેને સાધુવેષ આપે. રાજાએ સાધુને વિજયપત્ર આપ્યું, નગરના લકેએ તેની પૂજા કરી. આ પ્રમાણે શિષ્યપણાને પામેલા તે નાસ્તિકવાદી સહિત જયદેવ સાધુ સર્વજ્ઞના શાસનની પ્રભાવના કરીને સંગમસિંહરિની પાસે આવ્યા. તે સૂરિએ તેનું સન્માન
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy