________________
-
-
તજ -
તિલકસુંદરીને થયેલ જાદરને વ્યાધિ અને તેને ઉપચાર.
[૩૫ ]
હોય તેમ તેઓ મને હર દેખાતા હતા. હવે કોઈક દિવસ પૂર્વે નિકાચિત કરેલા અશુભ કર્મના ઉદયના લશથી વિજયચંદ્રની માતા તિલકસુંદરીને અત્યંત ઉદયમાં આવેલ જલોદરને વ્યાધિ ઉત્પન્ન થયે, તેથી કરીને કમળની જેવા સુંદર તેના બે હાથ ક્ષીણ થયા, મુષ્ટિવડે ગ્રહણ કરાય તેવો મધ્યભાગ(કેડ) કળશથી પણ મોટે થયે, અને બે જેવા માત્ર અસ્થિ અને ચર્મપણાને જ પામી. તેની ચિકિત્સાને માટે રાજાએ ઘણા વિદ્યોને બોલાવ્યા. તેઓએ વિવિધ પ્રકારનાં ઔષધો આપ્યાં, પરંતુ થોડે માત્ર પણ ઉપકાર થયે નહીં. તેથી તિલકસુંદરી આકુળતાવાળી થઈ અને પોતાના અરય(મરણ)ને નિશ્ચય કરતી તેણીએ રાજાને બેલા. અને બે હાથ જોડીને તેને કહ્યું કે –“હે દેવ! હવે હું દેવના ચરણકમળને જેવાને અવશ્ય અગ્ય છું. તેથી મારા ઉપર જે તમારી કાંઈક પ્રતિબંધ (પ્રેમ) હોય તે દાનાદિક મારું પારલૌકિક કાર્ય કરે.” ત્યારે અશ્રુના જળવડે વ્યાલ નેત્રવાળા અને હૃદયમાં નહીં સમાતા દુસહ દુઃખવાળા રાજાએ કહ્યું કે –“હે દેવી! કાનને વજશનિના પડવા જેવું આવું વચન તું કેમ બોલે છે?—-મારે આ રાજ્યવડે શું છે? અથવા રાજ્યલક્ષ્મીનું મારે શું કામ છે? અથવા ચતુરંગ સૈન્ય વડે શું છે? અથવા તેવાં જીવિતવડે પણ શું છે? કે જેથી કરીને હે સુતનુ! તારા વિરહમાં આ બધાનું શું કામ છે? તેથી હવે હું પિતાનું જીવિત આપીને પણ સર્વ યત્નવડે કરીને તે પ્રકારે કરું, કે જે પ્રકારે તારું શરીર આરોગ્ય( રેગ રહિત ) થાય ” આ પ્રમાણે રાજાએ કહ્યું ત્યારે દેવીએ કહ્યું કે-“હે પ્રિયતમ! આવા પ્રકારની અવસ્થાને પામેલા આ અધમ શરીરને રોગ રહિત કરવા માટે સેંકડો ઇદ્રો પણ સમર્થ નથી, તે પછી અયોગ્ય સ્થાને તમે કેમ કલેશ પામો છે?” રાજાએ કહ્યું કે-“હે દેવી! આ અમંગળ કથાએ કરીને (કહેવા વડે) સ.” આ પ્રમાણે બોલતો તે રાજા મોટા સંભવડે આસ્થાન(સભા)મંડપમાં જઈને બેઠો. ત્યાં મંત્રીઓને બોલાવ્યા. તેમને તિલકસુંદરીના શરીરના કારણને વૃત્તાંત કહ્યો. ત્યારે મંત્રીઓએ કહ્યું કે-“હે દેવ! વિશિષ્ટ(સારા) વૈદ્યોને તે દેવી દેખાડે, તેઓ ઓષધાદિક પ્રતિકાર કરે.” રાજાએ કહ્યું કે “સર્વ કર્યું: છે તે પણ કોઈ પણ પ્રતિકાર થયો નથી તેથી બીજા ઉપાયને વિચારો.” આ અવસરે વામદેવ નામના મંત્રીએ કહ્યું કે-“હે દેવ ! હમણાં મને સાંભર્યું, કે સમગ્ર શાસ્ત્રના પરમાર્થને જાણનાર ભૈરવ નામનો અમારો(આપણે) ગુરુ છે. તેને કાત્યાયની દેવીને મંત્રસિદ્ધ થયો છે, આકર્ષણ, મુષ્ટિનો ભેદ અને દષ્ટિને બંધ વિગેરે કાતુકને વિષે મોટા સામને પામે છે, તથા અંગુષમાં ઉતારેલી દેવતાના વચનવડે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ભાવને જાણનાર છે. તેને આ કાર્યમાં પૂછવું યોગ્ય છે. કેમકે આવા પ્રકારના અનેક કાર્યોમાં તેને વિશ્વાસ જોવામાં આવ્યું છે. તે આ પ્રમાણે
લાભ અને અલાભને વિષે, જીવિત અને મરણને વિષે તથા જય અને અજયને વિષે તેણે જે કાંઈ કહ્યું હોય, તે કેવળીના કહ્યા જેવું થાય છે. હે દેવી રોગી મનુષ્યના વિષય