SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૩૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : દુ:ખના સમૂહથી હૃદયમાં દુભાઇને કહેવા લાગ્યા કે–“ હું ભગવાન ! તમે જે કહ્યુ, તે સર્વ સાચુ' જ છે. હવે મારે આ સંશયનું સ્થાન પૂછવાનુ` છે કે-અત્યંત દુઃખના સમૂહથી વ્યાસ થયેલા આ દેહને જો પર્વત ઉપરથી પડવાવડે, અગ્નિમાં પ્રવેશ કરવાવડે કે ઊંચે લટકવાડે ત્યાગ કરાય, તે શુ કાંઇ પણ તેના પ્રતિકાર થાય કે નહીં? ” ભગવાને કહ્યું કે હે . ભદ્ર ! તેમ કરવાથી થાડા પણુ પ્રતિકાર ન થાય. કેવળ વિશેષે કરીને દુ:ખની પરંપરા આ પ્રમાણે પ્રાપ્ત થાય છે,—— ,, જેમ અન્ય પ્રાણીઓનુ જીવિત રાથા પ્રકારે પ્રયત્નવડે હણવું ન જોઇએ, તેમ પેાતાના વિતને પણ ન જ હણુવું જોઇએ તે સ્ફુટ જ છે, પરંતુ તપ, નિયમ, કેપના નિગ્રહ અને ઇંદ્રિયાનુ દમન વિગેરે પ્રકારવડે દુ:ખના ક્ષય જોયા છે, પણ દેહના વિનાશ કરવાથી દુ:ખના ક્ષય જોયા નથી. દોષોના વિનાશ કરવાથી દુ:ખના વિનાશ થાય એમ જિનેશ્વરે કહ્યું છે. તેમાં વળી અજ્ઞાન, મિથ્યાત્વ અને રાગાદિક દોષ કહેલા છે. આ સર્વે આભ્યંતર શત્રુઓ સર્વ દુ:ખના સમૂહનું મૂળ છે, અને તે દોષા વિવેક, સજ્ઞાન અને સદ્ભાવનાવડે નાશ પામે છે, તેથી કરીને હું સેામિલ ! તેના વિનાશને માટે અત્યંત પ્રયત્ન તું કર. પેાતાની મેળે જ (જાતે જ ) નાશ પામવાવાળા આ દેહને હણવાથી શુ ફળ થાય ? વળી પર્વત ઉપરથી પડવાથી ભૂમિ પર રહેલા પ્રાણીઓના વિનાશ થાય છે, અને તેનાથી ઉત્પન્ન થયેલુ જે પાપ તે તેનાથી પશુ માઢુ તીક્ષ્ણ દુ:ખ છે. તે જ પ્રમાણે જળ અને, અગ્નિ વગેરેમાં પડવાવડ તેમાં રહેલા જવાના પ્રાણના વિનાશ થવાથી ઘણા પ્રકારનું અનિષ્ટ ફળ જોયુ' છે. આ પ્રમાણે જાણીને હે ભદ્ર ! સંયમના યાગને વિષે તુ આદર કર અને ઇચ્છિત અનેં નહી' સાધ, તારી વિરુદ્ધ મતિના (મિથ્યાત્વના ) ત્યાગ કર. આ પ્રમાણે જાણીને આ બ્રાહ્મણે વ્યા માહુના ત્યાગ કરી તે મુનીશ્વરની પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી. હૈં સુતનુ! આવા પ્રકારનું સારું' વિધાન મેં આજે સાંભળ્યુ. તે વિધાન અત્યંત આશ્ચય ભૂત અને અત્યંત ચિત્તને પરિતાષ ઉત્પન્ન કરનારું છે. ” આ પ્રમાણે સાંભળીને તે સતડને પૂર્વ ભવમાં અનુભવેલા ભાવા સાંભરવાથી જાતિસ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થયુ, તેથી સર્વ “ તદ્રુત્તિ ” અંગીકાર કરી તે તે થુકને આશ્રીને આ પ્રમાણે કહેવા લાગ્યું કે-“ હે કારણ વિનાના મંધુરૂપ શ્રેષ્ઠ પક્ષી ! તારે ભાગી ન જવું. હું તને કાંઇક કહું છું.-જે સેામિલ નામના બ્રાહ્મણ તે કો તે મારા પૂર્વ જન્મના ભાઇ છે. જે ભાવા (વૃત્તાંત) શ્રેષ્ઠ મુનિએ કહ્યા, તે પણ યથા પણે જ મેં અનુભવ્યા છે. અને હમણાં હું મરવાના અભિપ્રાયથી આ વૃક્ષ ઉપર ચડયા છું અને કાઇ પણ સુકૃતના વશથી તારી સાથે મારા મેળાપ થયા છે. હું શુક ! તેં સ` અભિપ્રાય કહ્યો. હવે હું તને આ પ્રાર્થના કરું છું, કે જો તે ભગવાન અહી કાઇ પણ પ્રકારે આવે, તે અવશ્ય હું પણ સામિલે આચરેલા માર્ગને અનુસરૂ. પરંતુ જે તુ ભગવાનની પાસે જઇને આ મારા અભિપ્રાય પ્રગટ કરે, તા આ મારું વાંછિત સિદ્ધ થાય. અન્યથા તેના અભાવે વાંછિત અર્થાંની પ્રાપ્તિ શી રીતે થાય !” ત્યારે શુકે કહ્યું કે=“ જો તે
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy