SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૩૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થા : પણાથી પુણ્યની પરિણતિના વશવડે કાઇને દુ યને વિષે પણ સારી વિશેષ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. શક્રના ભયથી જેણે દીક્ષાને ગ્રહણ કરી હતી તે જસુણુ નામના દંડ સાધુનું ખંડન કર્યા છતાં પણ તેની સુગતિને લાભ સંભળાય છે. અહીં આ પ્રસંગે કરીને સર્યું. હું વિક્રમસેન ! જે તે પૂછ્યું હતું કે પ્રથમ હું દુષ્ટ ચેષ્ટાવાળા કેમ થયું ? તેનું આ કારણ મે કહ્યું. આ પ્રમાણે ભગવાને કહ્યું ત્યારે તે યુવરાજ પૂર્વ ભવની દુષ્ટ ચેષ્ટાનું સ્મરણુ કરીને વારંવાર પાતાના આત્માને નિંદવા લાગ્યા, અને મનમાં સવેગ ઉત્પન્ન થવાથી તે કહેવા લાગ્યા, કે—“ હું ભગવાન ! તમે આ યથાર્થ ( સત્ય ) કહ્યું, નિર્ભાગ્યવાળા હું સંયમરૂપી રત્નને સર્વથા પ્રકારે અત્યંત અયોગ્ય છું. કે જે હું પૂર્વ ભવે તેવા પ્રકારના સુસાધુની સંગતિને પામ્યા છતાં પણ ધર્મક્રિયાને આશ્રીને સંઘટન અને વિઘટન તથા ફરીથી સ ંઘટનને હું પામ્યા હતા. અથવા તેા હજી પણ કાંઇ નાશ પામ્યું નથી કે જેથી દુષ્કૃત્યને કરનાર પણ હું તમારા ચરણરૂપી ચિંતામણીના વિષયને પામ્યા છું, તેથી હવે મારે ગૃહવાસવડે સ સ સાવદ્ય ક્રિયાના ત્યાગની પ્રધાનતાવાળી, સારા જ્ઞાનાદિક ગુણરત્નેાના નિધાનરૂપ અને મેક્ષ નગરના રાજ્યને સાધનારી પ્રજયા મને આપો. ’” ત્યારે કેવળીએ કહ્યું કે-“ હું રાજપુત્ર ! તારી જેવાને આ ઉચિત છે, પરંતુ માતાપિતાને બેધ આપીને, ભગવાન જિનેશ્વરની પૂજા કરીને, તથા વૈભવને ઉચિત દીનાદિકને સંતાષ પમાડીને મેાટા હર્ષથી પ્રત્રજયા લેવી જોઇએ, એવા અનુક્રમ છે. તેથી આ રીતને અનુસરવાવડ તારી જેવાને ઉદ્યમ કરવા યોગ્ય છે. ” તે સાંભળીને ‘તત્પત્તિ ’ ( બહુ સારું) એમ ગુરુના વચનને અંગીકાર કરીને રાજપુત્ર અલક્ષિત' (શીઘ્ર ) પ્રયાણુવડે માતાપિતાની પાસે ગયા ત્યાં વિનયના પ્રયાગપૂર્વક પોતાના આત્માને મૂકાવીને, જિનપૂજાદિક પૂર્વે કહેલા વિધાનને કરાવીને તે રાજપુત્ર કેવળીની પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી. પછી પાંચ પ્રકારના આચારનું પાલન કરવામાં તત્પર રહીને તે ચિરકાળ સુધી સંયમલક્ષ્મીનું પાલન કરી અનશનાદિક કરવાવડે પ્રાણના ત્યાગ કરી પ્રાણત કલ્પને વિષે દેવ થયા. ત્યાં કથા, ખ્યાતિ વિગેરેને ઉલ્લ ંઘન કરનારા મોટા સુખના સમૂહને ભાગવીને આયુષ્યના ક્ષય થયા ત્યારે ત્યાંથી ચ્યવીને વિદેહ દેશના અલ'કાર જેવી મિથિલા નગરીમાં નિસ નામના મોટા રાજાની યશેાધરા નામની પટ્ટરાણીના ગાઁને વિષે સારા સ્વપ્નવડે સૂચવન કરાતા તે પુત્રપણે ઉત્પન્ન થયા. ઉચિત સમયે તેના જન્મ થયા, તેનું વર્ધાપન કર્યું, બારમા દિવસ પ્રાપ્ત થયા ત્યારે તેનુ વારિસેન નામ સ્થાપન કર્યું. કાળના ક્રમે બાળપણું પામ્યા, તેને કળાના સમૂહ ગ્રહણ કરાવ્યા. પૂર્વ ભવમાં અભ્યાસ કરેલા ચારિત્રના પ્રત્યયથી તે રાજયાદિકમાં આસક્ત થતા નથી, સ્ત્રીઓની સાથે રમતા નથી, તથા નંદન ઉદ્યાન વિગેરેમાં આનંદ પામતા નથી. કેવળ–“ દ્વાદશાંગીને જાણનારા નિ:સગ સાધુએ કયાં હશે? કર્મની મલિનતાને હણનારા કેવળી ભગવાન કયાં હશે ? તથા અપરિમિત લબ્ધિવાળા ચોદપૂર્વી આ - ૧. કાઇ ન જાણી શકે તેમ.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy