SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાના નાના પુત્રનું મૃત્યુ અને શ્રીધરનુ` રાજાને શાંત્વન. [ ૩૦૯ ] કુળના ઉદ્ધાર કરનાર શ્રીધરના કંઠમાં સ્થાપન કરીને આ મારા પૂર્વભવના વૃત્તાંત કહેજો. ” આ પ્રમાણે કહીને તે યક્ષિણીએ તેમને માતીના હાર આપ્યા તથા કેટલાક રત્ના અમને આપીને તેણીએ અમને રજા આપી. ત્યાર પછી હે દેવ ! અમે કાંઇ પણ જાણ્યુ' નથી. માત્ર તે ગુફાના દ્વારને વિષે સુતેલાની જેમ અને મદ્યાન્મત્તની જેમ અમે ચેતના રહિત થઇને રાત્રિનું નિ`મન કરીને પ્રાત:કાળે સૂર્યોદય થયા ત્યારે દૂર થયેલી નિદ્રાના વિકારવાળા અમે ઊઠીને હાર અને રત્નની ગાંઠ ( પાટકી ) ગ્રહણ કરી અસ્ખલિત ( નિરંતર ) પ્રયાણુવર્ડ આ નગરમાં આવ્યા. જેટલામાં અમે તે ગાંઠ છેાડી, તેટલામાં એક હાર જ જોયા. અને તેણે આપેલા રત્ના કાઇ પણ ઠેકાણે ગયા, તે ખરેખર ભગવતી જ જાણે. ” આ પ્રમાણે સાંભળીને “ આ બન્ને નિગીના મસ્તકના મુગટરૂપ છે. ” એમ કહીને રાજસભાના લેાકેાએ તેમની હાંસી ( મશ્કરી ) કરી. રાજપુત્ર શ્રીધર પણ પૂર્વે અનુભવેલા વૃત્તાંતના સ્મરણથી ક્ષણ માત્ર જાતિસ્મરણ થવાથી મૂર્છાવર્ડ મીંચાયેલા નેત્રવાળા થઈને પછી આધ (શુદ્ધિ) પામીને સિંહાસન ઉપર બેઠી. ત્યાર પછી તે પુરુષે દિશાના સમૂહને ઉદ્યોત કરનાર અને આમળાના ફળ જેવા માટા મેતીના બનાવેલ હાર કુમારના કંઠને વિષે સ્થાપન કર્યાં. પછી તેને ઉચિત પ્રસાદ ( દાન ) અપાવ્યું, અને તે જેમ આન્યા હતા તેમ માતાને સ્થાને ગયા. ત્યાર પછી નાગમળ રાજાએ “ આવું પૂર્વ સાંભળ્યુ નથી, અને જોયુ પણ નથી. ” એ પ્રમાણે વિચાર કરીને કહ્યું કે હું વત્સ શ્રીધર શું આ એમ જ છે ? ” ત્યારે રાજપુત્રે કહ્યું કે—“ હે પિતા ! સ્કુરાયમાન માટી પ્રભાના પ્રવાહવાળા આ હાર નેત્રના વિષયમાં આવ્યા છતાં શ્રુ તમાને સમ્રુદ્ધ ભાસે છે ( રહે છે ) ? ” તે સાંભળીને રાજા અને સભાના લેાકેા આશ્ચર્ય પામ્યા. તે દિવસથી આરભીને રાજપુત્રની મતિ મેાટા વૈરાગ્યને પામી, તેથી માયા ઇંદ્રજાળની જેમ પરમા રહિત સમગ્ર સંસારનું સ્વરૂપ જાણવા લાગ્યા. આ માતા પિતાના ચિત્તનું રક્ષણ કરવા માટે ખાાવૃત્તિથી કેટલાક લાંબા દિવસ સુધી રાજ્યકા નું પાલન કરીને કાઇક દિવસે તે રાજાની પાસે ગયા. જેટલામાં સ સંગના વિષયમાં કાંઇક કહેવા લાગ્યા તેટલામાં અંત:પુરમાં માટા કાલાહલ ઉન્મ્યા. ત્યારે “આ શુ? ” એમ વિચારીને સર્વ રાજલાકા ઊંચા મુખ કરીને જોવા લાગ્યા. તે વખતે નિરંતર પડતા અશ્રુના સમૂહવર્ડ વ્યાપ્ત નેત્રવાળી અને અત્યંત હા હા શબ્દના સમૂહને કરતી પ્રિયકરા નામની દાસચેટી (દાસી) આવી. ત્યારે “ હું ભદ્રા આ શું છે? ” એમ રાજાએ તેને પૂછ્યું, ત્યારે તેણીએ કહ્યું કે—“હું દેવ! તે આ તમારા નાના પુત્ર દેવની સેકા માનતા કર્યો છતાં પણ, સ્કંદ ( કાર્તિ`૪ સ્વામી ), મુકુંદ ( કૃષ્ણ ) અને મિહિર વિગેરે દેવાની પૂજા કર્યા છતાં પણ, દિવ્ય ઔષધિના પ્રયોગ કર્યો છતાં પણ, વિવિધ પ્રકારના મંગળ પ્રવર્તાવ્યા ( કર્યો) છતાં પણ, મૃત્યુંજયની માલાના મંત્રાની ઉઘાષણા કર્યા છતાં પણુ તથા હાથમાં વિવિધ પ્રકારના અને ધારણ કરનારા સુભટના સમૂહ સમીપે રાખ્યા છતાં પણ કાઈ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy