SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯૯ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ ચા : પછી ગુરુએ ધર્મ કથા પ્રારંભી.—“ હે શ્રેષ્ઠ નર (રાજા ! ) આ નગરમાં જે કાંઇ મન અને નેત્રને અધિક આનંદ ઉત્પન્ન કરે છે, તે સર્વ ધર્મનુ જ ફળ છે એમ શંકા રહિત તું જાણુ. વળી તે ધર્મ જીવહિંસાદિક સર્વ પાપાને વવાથી હાય છે, અને તે પાપાના ત્યાગ હુંમેશાં સદ્ગુરુના ઉપદેશવડે સભવે છે, કેમકે આ જીવ પોતે જ મિથ્યાત્વ અને પ્રમાદાદિક વેરીથી બંધાયેલા હાવાથી ચાગ્ય અાગ્યને તથા કૃત્ય અકૃત્યને જાણી શકતા નથી. વળી તથાપ્રકારે જાણુતા છતાં પણ વિપરીત બુદ્ધિપણાએ વર્તતા તે જીવ અધ માણસની જેમ ભયંકર દુર્ગતિરૂપી કૂવામાં અવશ્ય પડે છે, તેથી કરીને યથાસ્થિત અના અવાધ( જ્ઞાન )થી વ્યાસ, શ્રદ્ધા( સમકિત )રૂપી જ્ઞાનના સારવાળું અનુષ્ઠાન( ક્રિયા ) અતુલ્ય ફળવાળું તું સારી રીતે જાણુ. સર્વે જીવા અનંત વાર મનુષ્ય ભવમાં જન્મને પામ્યા છે, પરંતુ પરિપૂર્ણ ધર્માંની સામગ્રી કદાપિ પ્રાપ્ત કરી નથી તેથી હું નરવર ( રાજા ) ! આ સામગ્રી પામીને હુવે પ્રમાદરૂપી મદિરાના મઢના ત્યાગ કરીને સદ્ધર્મના કાર્યને વિષે અત્યંત ઉદ્યમી મનવાળા તુ તૈયાર થા. આ રાજ્યાક્રિક થાડા પદાર્થો પ્રારંભમાં મધના જેવું મધુરપણું ધારણ કરે છે, અને પછી મોટા તાલપુટ નામના વિષના સદશપણાને ધારણ કરે છે. પેાતાને આધીન આનંદવાળા અને અવિનાશિત માક્ષસુખને છેાડીને કથો ડાહ્યો માણસ તુચ્છ અવસ્થાવાળી ( ક્ષણભંગુર ) વસ્તુને વિષે આનંદ પામે ? વળી તે મેાક્ષસુખને જીવ કલંક રહિત યતિની ક્રિયા( ચારિત્ર )વર્ડ પ્રાપ્ત કરે છે, અથવા સારા શ્રાવાની ક્રિયાવર્ડ પ્રાપ્ત કરે છે. આ એ સિવાય બીજો કાઈ ઉપાય નથી. શુભ ક્રિયાને પામીને પણ કુકના દોષથી કેટલાક અજ્ઞાની જીવા નાગદત્તની જેમ ક્રીથી પણ મિથ્યાત્વને પામે છે. ” તે સાંભળીને રાજાએ કહ્યું કે“હું ભગવાન ! તે નાગદત્ત કાણુ ? ” ત્યારે સૂરિમહારાજે કહ્યું કે-“ સાંભળ.— ,, મગધ દેશમાં દેવરાપુર નામનુ નગર છે. તેમાં બે મિત્રા છે. રામ નામે વણિકપુત્ર અને નાગદત્ત નામે બ્રાહ્મણપુત્ર છે. તે બન્ને પરસ્પર મોટા પ્રેમવડે વર્તાતા હતા અને દિવસેાને નિર્ગમન કરતા હતા. કાઇક દિવસ ત્યાં બૈરાજ્ય ( રાજા રહિતપણું) થયું, તેથી ત્યાંના લેાકા ચાર વિગેરેવર્ડ પીડા પામવા લાગ્યા. તે વખતે નગર સહિત તે દેશને દુ:ખી અવસ્થાવાળા જાણીને રામ અને નાગદત્ત દક્ષિણ દેશમાં ગયા. ત્યાં તથાપ્રકારની ચેષ્ટામાં (વ્યાપારમાં) પ્રયોં. અને મેાટા કાને કાપવાવર્ડ પ્રાણવૃત્તિને (આજીવિકાને) કરવા લાગ્યા. એક વખતે કાષ્ઠાદિકને માટે દરવાજા પાસે (મહાર) ગયા. ત્યાં કાયાત્સો રહેલા, અત્યંત ધ્યાનના પ્રકમાં ચડવાવર્ડ મેરુપર્યંતની જેવા નિશ્ચળ તથા વાયુ રહિત તરંગ વિનાના મેાટા સમુદ્રની જેવા સ્તબ્ધ એક મહાખલ નામના સાધુને જોયા. તે વખતે તેના દર્શનથી મોટા હને પામેલા તે બન્ને જેટલામાં એક ક્ષણ વાર બીજા વ્યાપારના ત્યાગ કરીને ૧. અથવા ઘણા.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy