SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ II [ ૨૬૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ છે ? લાક દિવસો ગયા ત્યારે એક દિવસે અત્યંત હિમના કણિયાથી વ્યાપ્ત વાયુ વાવા લાગ્યો, મોટી ઠંડી( ટાઢ)ને સમૂહ પડવા લાગે, દરેક ઘરમાં રાખેલા અગ્નિની પાસે બેસીને માણસે એ દિવસનો પહેલો પહોર વ્યતીત કર્યો, ધનવાન પુરુષો પાકા તેલમાં કાલવેલા કંકુ(કેસર)વડે શરીરને અભંગ કરવા લાગ્યા, તથા વિકસ્વર કુંદપુષ, પારતિપુષ્પ વિગેરેની સમૃદ્ધિવડે શોભતો હેમંત ઋતુ પ્રાપ્ત થયો. દિવસના અંત સમયે સૂર્ય અસ્ત પામે, અને આકાશતળ સંધ્યાના વાદળાના રંગથી ભરાઈ ગયું, તે વખતે પોતાના ઘરમાં એક ઠેકાણે અર્જુન, સુષેણ અને કેલિદત્ત સુખાસન ઉપર બેઠા હતા, તથા એકાંતમાં તેને પરિજન બેઠો હતે, તે વખતે આ પ્રમાણે વાર્તા થઈ (ગામમાં થતી વાર્તા સાંભળી) કે-“આજે યશોવર્ધન નામના શ્રેષ્ઠીના પુત્રની વહુ પ્રથમ યોવનમાં વર્તે છે, તેણીનો તેવા પ્રકારને દોષ જોયા વિના પણ તેના પતિએ કઠોર વચનવડે તેની અત્યંત તજેને કરી, કે–“તારે કોઈની સાથે બેલિવું નહીં અને કોઈને ઘેર જવું નહીં, કેમકે જેનો પ્રચાર રૂં ન હોય તેવી સુશીલા સ્ત્રી પણ થોડા કાળમાં જ દુરશીલપણાને પામે છે.” ત્યારે તેણીએ કહ્યું કે-“હે આર્યપુત્ર ! આ પ્રમાણે કઠોર અક્ષરવડે શિક્ષાવચન કહેવાથી શું ફળ છે ? આ જગતમાં જેની જેવી પ્રકૃતિ હોય, તે લાખે શિક્ષાના દાનને (વચનને ) પામીને પણ સરળ કરેલા કૂતરાના પુંછડાની જેમ અન્યથા થતી નથી. જેમ પ્રસરતી સમુદ્રની વેળા મર્યાદા વિના શાંત પામતી નથી, તેમ દુર્બયની પ્રવૃત્તિને નિવારણ કરનારી કુલમર્યાદા જ છે. ” આ પ્રમાણે તેણીએ કહ્યું ત્યારે તેના પતિનો કોપ વૃદ્ધિ પામે, તેથી “હે પાપી ! પ્રતિષ્ઠા પામેલા તારા આત્માને તું કહે છે?” એમ કહીને તેણે તે પ્રમાણે કર્યું, કે જે પ્રકારે નવી વહુની જેમ અત્યંત ગુપ્તસ્થાનમાં તેણીને રૂંધી (નાંખી). તેથી તે ચંદ્ર સૂર્યને પણ જેતી નથી. ત્યારે તેણીને અમર્ષ (કા૫) ઉત્પન્ન થયે, અને પતિને પ્રતિબંધ કરવા માટે ઉપાયના સમૂહને વિચારવા લાગી. પછી કઈક દિવસે તેના ઘરમાં કઈક મહત્સવ થયે તેથી સર્વ સ્વજનવર્ગને નિમંત્રણ કર્યું, તેમને ભોજન કરાવ્યું અને રાત્રિએ ગૃહદેવતાની પાસે જાગરણ પ્રારંગ્યું. તે વખતે ઘરના લોકો ગીત, નૃત્ય જોવામાં વ્યાપ્ત થયા ત્યારે તે વહુએ વિચાર્યું કે-“ આજે મારે અહીંથી નીકળવાનો સમય છે. ” પછી તે પુરુષને વેષ ધારણ કરીને ગુપ્ત ઘરમાંથી બહાર નીકળી. “આ પુરુષ છે.” એમ ધારીને ઘરના આરક્ષકોએ તેને રોકી નહીં, તેથી વિન રહિતપણે તે ઈચ્છિત સ્થાને ગઈ. ”—આ પ્રમાણે કથાને સાંભળીને ઈષ્યને સમૂહવડે પ્રસરતા ક્રોધના આવેશવાળા અર્જુને કહ્યું કે “અહો ! દુષ્ટ વનિતાનું રૂંધન કરવા ઇંદ્ર પણુ શક્તિમાન નથી.” ત્યારે કેલિદત્તે કહ્યું, કે-“હે પ્રિય મિત્ર ! તું સર્વ સ્ત્રી જનની નિંદા ન કર. સીતા વિગેરે મહાસતીઓના ચરિત્ર સાંભળવાથી હર્ષનો ઉત્કર્ષ થાય છે.” ત્યારે સુષેણાએ કહ્યું કે-“કોઈ પણ સારા શીળવાળી નથી, એમ આર્યપુત્રને અભિપ્રાય છે.” આ પ્રમાણે વિતર્ક રહિત તેઓના દિવસે જવા લાગ્યા. પછી કોઈ વખત રાત્રિએ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy