SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૫૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થે વીરોને બોલાવવા લાગ્યા, સંગ્રામના વેગથી મૂકેલા પોકારરૂપી ઘેર શબ્દવડે આકાશતળને વિસ્તાર રૂંધાઈ ગયે, ભેગને માટે પ્રાપ્ત થયેલા પક્ષીઓની પાવડે છાયા વૃદ્ધિ પામી, દીન મુખવાળા રાજાના સમૂહ છાગ, ગજેન્દ્ર અને અશ્વ ઉપર પલાંઠી વાળીને બેઠા, ગણ ન શકાય તેટલા પડેલા મડદા વડે પૃથ્વી ભરાઈ ગઈ. આ પ્રમાણે બન્ને પક્ષના ક્ષયને કરનારા, મેટા અને ભયંકર યુદ્ધના વ્યાપારને જોઈને તે બને કુમારે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. આ અવસરે ગગનવલભ રાજાના પ્રધાન પુરુષોએ “આ વિના કારણે અન્ય જનેનો નાશ કરવાથી શું ફળ છે?” એમ કહીને મહાગ રાજકુમારને પાછો વા. બીજાને પણ રથનપુરચક્રવાલ નગરના રાજાના સચિએ પાછો વાળે. ત્યારે તે બને પિતાપિતાને સ્થાને ગયા. યુદ્ધને વ્યાપાર શાંત થયે. કામદેવની જેમ શેભ મહાવેગ કુમાર પદ્દમા સહિત ભેગપુર નગરમાં આવ્યું. ત્યાં વધામણ થઈ, ફરીથી તે નગરમાં મહત્સવ થા. પછી કેટલાક દિવસ ત્યાં રહીને ચંડગતિ વિદ્યાધરેશ્વરે આપેલાં ઘણાં વસ્ત્રો, અલંકાર, હાથીઓ અને અ વિગેરે પદાર્થો લઈને તે કુમાર પદ્દમા સહિત પિતાના નગરમાં આવ્યું. તે જોઈ રાજા હર્ષ પામે, તેણે સર્વ વૃત્તાંત જા. પછી પદમા રાજપુત્રીની સાથે પાંચ પ્રકારના વિષયસુખને ભેગવતે દેવલેમાં ઇંદ્રની જેમ વિવિધ પ્રકારની ક્રીડાવડે કીડા કરતે તે કુમાર રહેવા લાગ્યું. હવે અહીં થનપુરચક્રવાલ નગરમાં કઈપણ પ્રકારે (મુશ્કેલીથી) લાવેલા અનતકેતુ કુમારને વિદ્યાધરના રાજા અનંતવીએ કહ્યું કે-“હે વત્સ! બાળ(મૂર્ખ) જનને લાયક તે આ શું આચરણ કર્યું? કે જેથી આવું કાર્ય કરતા તે મને કે તારી માતાને કે બંધુ જનને કે મિત્રવર્ગને કોઈને પણ પૂછ્યું નહીં. વિચાર્યા વિના આવું કાર્ય કરવું તે શું બુદ્ધિમાન પુરુષોને યોગ્ય છે? હે વત્સ! એક જ વખત પ્રાપ્ત થયેલ અપયશરૂપી કલંક હજારે સુકૃતરૂપી જળ વડે ધોઈ શકાતું નથી, તે શું તું નથી જાણતે? અખંડિત પુરુષાર્થ વડે જ સપુરુષોનું જીવિત વખણાય છે. બીજા પુરુષના ઉપર ઠેષ કરનારી તે સીની ઉપર મહ શ કરે? અથવા તે તે આ શું નથી સાંભળ્યું? કે-“સ્ત્રીઓના હૃદયમાં જેઓ વસે છે, તેઓ જ પુણ્યશાળી છે. તથા જેઓ દેવેને પણ પૂજવા લાયક છે, તેઓને તે સ્ત્રીઓ જાણતી નથી. અથવા તે હે વત્સ! શું તે આશ્ચર્યકારક સનસ્કુમાર ભગવાનનું આ ચરિત્ર નથી સાંભળ્યું? કે જેણે વિવિધ પ્રકારના પ્રલાપ અને શૃંગારનું જાણે મનહર ઘર હોય, કામદેવનું જાણે ઘર હોય, લાવણ્યનું જાણે સંકેત કરવાનું સ્થાન હોય, મોટા પ્રતિબંધ(આગ્રહ)ની જાણે ખાણ હોય, રૂપાદિક ગુણેના સમૂહનું જાણે નિધાન હોય, અને દેવસુંદરીઓને પણ પરાભવ કરનાર ચોસઠ હજારની સંખ્યાવાળા અંત:પુરને તૃણની જેમ ત્યાગ કર્યો, તે વખતે તેણે તેના પ્રેમબંધની અપેક્ષા કરી નહીં, શાંતિના સારવાળા તેઓના અનુનયના વચનના વ્યાપારને ગયે નહીં, તેઓની સાથે પૂર્વકાળે કરેલા કેલિકીડાના આલાપને સંભાર્યો પણ નહીં, પરંતુ કેવળ સિંહની
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy