SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવેગકુમારનુ લગ્ન માટે ભાગપુરે આવવું. [ ૨૫૧ ] વિગેરેને ચેાગ્ય જાસા વિગેરે માકલ્યા અને કુમારને માટે વિશેષ પ્રકારના ઉપદ્યાગ અને પરિભાગને ઉચિત પુષ્પ અને તાંબલ વિગેરે માકલ્યા. ત્યારપછી રાજમાર્ગ શુદ્ધ કર્યા, મદિરા સંમાર્જન કર્યો, વિવાહની સામગ્રી તૈયાર થવા લાગી, વિચિત્ર શય્યા સજ્જ કરવા લાગ્યા, ખંડ, ખાજા વિગેરે દ્રવ્યના સમૂહ એકઠા કરવા લાગ્યા, ચીન, ચીન, દૈવષ્ય, નિમ્માલ અને દુકૂલ વિગેરે વસ્રોના ઢગલા કરવા લાગ્યા, હાર, દાર, કટક, ટિ સૂત્ર, કંકણ, કુંડલ અને કિરીટ વિગેરે વિવિધ પ્રકારના આભરણા સ્થાપન કરવા લાગ્યા, શાલભ'જિકાવર્ડ મનેાહર ચતુરિકાના સ્થિર થાંભલા ખાડવા લાગ્યા, સ્વજન વર્ગના સન્માનને માટે શ્રેષ્ઠ હાથી, અશ્વ વિગેરે તૈયાર કરવા લાગ્યા, તથા સમીપે આવેલા મહોત્સવને માટે ચિ'તક મનુષ્યા. આમતેમ હથી દોડવા લાગ્યા, તે વખતે યમરાજની જેવા અજાણ્યા આગમનવાળા કેઇ એક વિદ્યાધર પ્રતિહારને પણ જણાવ્યા વિના સુખાસન ઉપર બેઠેલા વિદ્યાધર રાજાની પાસે આવ્યા, અને ખેલવા લાગ્યા કે— હું વિદ્યાધરેંદ્ર ! રથપુરચક્રવાલ નામના પુરના અધિપતિ અનંતવીર્યના પુત્ર અનતકેતુએ મને તમારી પાસે માકા છે, અને આ પ્રમાણે કહેવરાવ્યું છે કે—“ જે આ પદ્મા નામની તમારી પુત્રી છે, તે ખીજા કાઈને આપવી નહીં, હું જ તેને પરણવા ઈચ્છુ છું. છતાં પણ જો કદાચ તે કન્યા બીજા કાઇને આપશેા, તે તેની પાસેથી પશુ હું' તેણીનું હરણ કરીશ. ” આ પ્રમાણે મર્યાદા રહિત પૂર્વે નહીં સાંભળેલ પ્રલાપાને સાંભળીને વિદ્યાધર રાજાએ કહ્યું કે-“ હું ભદ્ર! તું મહારાજાના પુત્રના દૂત છે, તેથી તુ અનુચિત મેલ નહીં. અન્યથા આવા પ્રકારનું મર્યાદા રહિત ખાલનારાને શરીર સંબંધી દંડ જ ચેાગ્ય હાય છે. ” તે સાંભળીને તે ત પણ “ શું તમે મારું કહેલું નહીં કરો ?” એમ ખાલતા જેમ આવ્યા હતા તેમ ગયા, પરંતુ તે ખેચર રાજા ચિત્તમાં ચમત્કાર પામ્યા. તેથી ચતુરંગ સૈન્ય વિશેષે કરીને તૈયાર કરાવ્યું. સર્વ ઠેકાણે અખ્તરને ધારણ કરનારા અને વિવિધ પ્રકારના શસ્રના સમૂહને ઉછાળતા સુભટના સમૂહો સ્થાપન કર્યો. એવા સમયે હસ્તમેળાપનું સારું મુહૂત્ત સમીપે આવ્યુ, તેથી અને પક્ષવાળાએ કાળને ઉચિત વહુ વરને સ્નાન અને પાંખવું વિગેરે કાર્ય કર્યું. ત્યારપછી અગ્નિમાં હામ કરવા લાગ્યા, બ્રાહ્મણના સમૂહ વેદ ભણવા લાગ્યા, કુલ સ્ક્રી મંગળ ગાવા લાગી, મુહૂત્તને કહેનારા( જોશી ) પુણ્યાહ. પુણ્યાહ. એમ કહેવા લાગ્યા, તથા વહુ અને વર અગ્નિની પ્રદક્ષિણા કરવા લાગ્યા, તે વખતે તે પૂર્વ કહેલ વિદ્યાધરેંદ્રના પુત્ર અનંતકેતુ દાસીનું રૂપ ધારણ કરીને રાજકન્યા પદ્માની પાસે આવ્યા. પછી વિવાહ પૂર્ણ થયા, કન્યાના પાણિમાચનનું પ્રદાન પ્રત્યુ, બન્ને પક્ષમાં પુષ્પ, તાંમૂલ, ભૂષણ અને દિવ્યાંશુક આપવાવડ માઢુ સન્માન કરવામાં આવ્યુ, વેશ્યા સીએ નૃત્ય કરવા લાગી, ચાર પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા, દીન અને દુ:સ્થ જનાને દાન અપાવા લાગ્યા, ઉત્સવના માટેા સમારંભ માટાઇને પામ્યા, તથા બન્ને પક્ષના લેાકા
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy