SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ*ભવના વૃત્તાંત શ્રવણુથી દ્રોણને થયેલ જાતિસ્મરણ જ્ઞાન. [ ૨૨૫ ] પિતાએ મેાટા કષ્ટથી આપણને વૃદ્ધિ પમાડ્યા. ખાળપણાને ઉલ્લંઘન કર્યું ત્યારે આપણને કાંઇક વેદિવદ્યા ભણાવી. તે વેદના ઉચ્ચાર કરતા આપણે કણની ભિક્ષાવૃત્તિમાં પ્રવો. કોઈક વખત ત્યાં દુકાળ પડ્યો, ધાન્યની સ`પદા દૂર નાશી ગઇ, ધાન્યના સમૂહ ખૂટી ગયા, સ લેાક વિલખા થયા, દાતારા અવળા મુખવાળા થયા, રાજલેાક મર્યાદાના ત્યાગ કરીને લેાકેાને ઉપદ્રવ કરવા લાગ્યા, તથા ચારના સમૂહ ઇચ્છા પ્રમાણે ફરવા લાગ્યા. ત્યારે પિતાએ તને અને મને કહ્યું કે-“અરે! અહીંના નિર્વાહ દૂર નાશી ગયા, તેથી હવે દેશાંતરમાં જવુ ચેાગ્ય છે.” ત્યારે તે અને મેં કહ્યું કે-“ હૈ પિતા! આ સમયને જે ચેાગ્ય હાય, તે જ કલ્પના રહિત કરીએ કેમકે તમે જ અમને પ્રમાણભૂત છે.” પછી “સેારઠ દેશમાં મનેાહર (સારા) સુભિક્ષ ( સુકાળ છે. ” એમ લેાકેાથકી જાણીને પિતા આપણી સાથે કાઇ પણ પ્રકારે કષ્ટથી ત્યાં આવ્યા. ત્યાં જવા માત્રમાં જ પિતાને પાણી અને અન્નના દોષથી જવર, કાસ અને શાષ વિગેરે મહાભયંકર માટા રાગે થયા. તે વખતે ધનના અભાવથી ઔષધ અને વેદ્ય વગેરેના અત્યંત અભાવ થવાથી પિતાના દેહની પીડા વૃદ્ધિ પામી અને તે મરણ પામ્યા. પછી અત્યંત દુ:ખી થયેલા આપણે તેની મરણ ક્રિયા કરી. પછી આપણે પરસ્પર વિચાર કરવા લાગ્યા કે “હવે શુ કરવુ ચાગ્ય છે? શુ આપણે પેાતાને સ્થાને જઇએ ? કે શું દેશાંતરમાં જઈએ ? કે કાઇ રાજેશ્વરના પુત્રને શરણે જઈએ ? કે અહીં જ રહીએ ? ” આ પ્રમાણે આપણે ચિંતારૂપી સમુદ્રમાં મગ્ન થયા. તેવામાં એક સુનિ ત્યાં આવીને પ્રતિમા ધારણ કરીને રહ્યા. તે વખતે તેના દર્શનથી આપણા મનમાં માટે હ ઉત્પન્ન થયા, તેથી તેની પાસે જઈને ભક્તિથી આપણે બન્ને તેના પગમાં પડ્યા (નમ્યા). તેના મુખ ઉપર નેત્ર રાખીને આપણે ત્યાં સુધી રહ્યા કે જ્યાં સુધી કાયાત્સ પારીને તે સાધુ ભૂમિપૃષ્ઠ ઉપર બેઠા. આપણે ફરીથી તેને પ્રણામ કર્યાં, ત્યારે તે સુનીશ્વરે આપણુને પૂછ્યું' કે–“તમે કયાંથી આવા છે? અને આવી સુખની શાભારહિત કેમ દેખાવ છે ? ” ત્યારે આપણે મૂળથી જ પૂર્વના સર્વ વૃત્તાંત તથા જુદા જુદા દેશમાં જવાના ઉત્સાહવાળા આપણા મનના વિચાર કહ્યો. ત્યારે મુનીશ્વરે કહ્યું કે-“ જેમ તમે તેમ હું પણ ગૃહસ્થપણામાં ઘણા પ્રકારના વિકલ્પરૂપી કલૈલામાં અથડાવાથી અત્યંત વ્યાકુળ થઈને પછી સદ્ગુરુના ચરણકમળની સેવા કરવાથી સંયમના ઉદ્યોગને પામીને હવે ચિંતા રહિત પુર અને આકાર વિગેરેમાં વિચરું છુ. તમે પણ સ'સારની વાસનાના ત્યાગ કરો, સાધુના શાસનને અનુસરા, તથા મેહના નાશ કરીને દુઃખાને જલાંજલિ આપેા. દૂર દેશમાં ગયા છતાં પણ મનુષ્યાને પૂર્વે કરેલા સુકૃતના યાગથી જ વાંછિત અર્થની સિદ્ધિ થાય છે, તેથી કરીને દેશાંતરમાં ગમન કરવું નિષ્ફળ છે. આ જગતમાં જેઓ સુકૃતવડે શેાભાવાળા છે, તે પેાતાના સ્થાનમાં પણ પૂજ્ય હોય અને બીજા Re
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy